________________
૩૭૮ તરફની રુચિ કરે તે તરફની ક્રમબદ્ધ દશા થાય. ૭) જેને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થાય તેને દ્રવ્યની રુચિ થાય અને જેને દ્રવ્યની રુચિ થાય તેને ક્રમબદ્ધ પર્યાય શુદ્ધ જ થાય. ૮) એટલે સર્વજ્ઞ ભગવાને જાણ્યા પ્રમાણે પર્યાય ક્રમબદ્ધ જ થાય છે, તેમાં ફેર પડતો નથી એટલું નક્કી કરવામાં તો દ્રવ્ય તરફનો અનંત પુરુષાર્થ આવી જાય છે. ૯) પર્યાયનો ક્રમ ફેરવવો નથી, પણ રુચિ સ્વ તરફ કરવાની છે. ૧૦) આવા નિર્ણયમાં સમ્યગ્દર્શન આવી ગયું. આમાં કઈ રીતે પુરુષાર્થ છે? (૧) પરની અવસ્થા તેના ક્રમ પ્રમાણે થયા જ કરે છે, હું તેને કરતો નથી. એમ નક્કી કર્યું એટલે બધા પદ્રવ્યાનું કર્તુત્વનું અભિમાન ટળી ગયું. (૨) ધી માન્યતાથી પરની અવસ્થામાં ઠીક-અઠીકપણું માનીને જે અનંતાનુબંધી રાગ-દ્વેષ કરતો
હતો તે ટળી ગયો. ૭. સમ્યગ્દર્શનનો અપૂર્વ પુરુષાર્થ:
૧) દ્રવ્યમાં સમયે સમયે જે વિશેષરૂપ અવસ્થા થાય છે તે સામાન્યમાંથી જ આવે છે. સામાન્યમાંથી વિશેષ પ્રગટે છે એ સિદ્ધાંતમાં તો કેવળજ્ઞાન ભરેલું છે. ૨) જૈન સિવાય આ સામાન્ય-વિશેષની વાત બીજે ક્યાંય નથી, અને સમ્યગ્દષ્ટિ સિવાય બીજા તેને યથાર્થપણે સમજી શકતા નથી. ૩) સામાન્યમાંથી વિશેષ થાય છે - આટલો સિદ્ધાંત નક્કી કરતાં પરિણમન સ્વ તરફ ઢળી જાય છે. મારો પર્યાય પરથી થતો નથી, નિમિત્તથી થતો નથી, વિકલ્પથી થતો નથી અને પર્યાયમાંથી પણ થતો નથી. ૪) અમ બધાથી લક્ષ છોડીને જે જીવ એકલાં દ્રવ્યમાં ઢળે છે તે જીવને એમ પ્રતીતિ થાય છે કે સામાન્યમાંથી જ વિશેષ થાય છે. અજ્ઞાનીને આવી સ્વાધીનતાની પ્રતીતિ હોતી નથી. ૫) ભગવાને જેમ જોયું હોય તેમ જ થાય એમ નક્કી કરનારનું વીર્ય પરમાંથી ખસીને સ્વમાં થંભી જાય છે. ૬) જ્ઞાનીએ સ્વમાં ટકીને સર્વજ્ઞના જ્ઞાન સામર્થનો અને બધા દ્રવ્યોનો નિર્ણય કર્યો છે. તે ર્નિણયરૂપ પર્યાય ક્યાંય પરમાંથી આવ્યો નથી, વિકલ્પમાંથી પણ આવ્યો નથી, પરંતુ દ્રવ્યમાંથી તે નિર્ણયની તાકાત પ્રગટી છે. એટલે નિર્ણય કરનારે દ્રવ્યને પ્રતીતિમાં લઈને નિર્ણય કર્યો છે. ૭) કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનું કંઈ કરી શકે છે એમ જે માને છે તેણે (૧) પોતાના આત્માને (૨) સર્વજ્ઞના જ્ઞાનને (૩) ન્યાયને કે (૪) દ્રવ્ય-પર્યાયને ખરેખર માન્યા નથી.