________________
૩૭૭ (૨) દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ અનેક ગુણોથી વિશેષરૂપ દેખાય છે. (૩) કર્મના નિમિત્તથી થતાં નર-નારકાદિ પર્યાયોના (અન્ય અન્ય) ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. (૪) શક્તિના અવિભાગ પ્રતિચ્છેદ અંશ વધે છે - ઘટે પણ છે એ પણ વસ્તુનો રવભાવ છે તેથી નિત્ય - નિયત એકરૂપ દેખાતો નથી. (૫) કર્મના નિમિત્તથી થતાં મોહ-રાગ-દ્વેષ આદિ પરિણામો સહિત તે સુખદુઃખરૂપ દેખાય છે. આ પાંચ પ્રકાર અશુદ્ધ દ્રવ્યાર્થિકરૂપ વ્યવહાર નયનો વિષય છે. - હવે એક સાધારણ જ્ઞાયકમાત્ર આત્માનો ભાવ લઈ તેને શુદ્ધ નયની દૃષ્ટિથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન, વિશેષ રહિત, સર્વ પર્યાયોમાં એકાકાર, હાની વૃદ્ધિ રહિત, નૈમિત્તિક ભાવોથી રહિત જોવામાં આવે તો સર્વ પાંચ ભાવોથી જે અનેક પ્રકારપણું છે તે અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. માત્ર દ્રવ્ય દૃષ્ટિ જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. સાર આત્મા જે ત્રિકાળી વસ્તુ છે એ જિનસ્વરૂપ જ છે. જિનવરમાં ને આત્મામાં કાંઈ ફેર નથી. પ્રત્યેક આત્માનો દ્રવ્યસ્વભાવ તો ત્રિકાળ આવો જ એકરૂપ છે. જે ભગવાન થયા છે તે આવા આત્માનો પૂર્ણ આશ્રય કરી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરીને થયા.
શુદ્ધોપયોગ વડે જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો, અનુભવવો એને ભગવાને જૈનશાસન કહ્યું છે. એ જૈન ધર્મ છે.
આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર શુદ્ધોપયોગ એ જ જૈન શાસન છે, પરમેશ્વરનો માર્ગ છે. જૈન ધર્મ કોઈ સંપ્રદાય કે વાડો નથી એ તો વસ્તુનું સ્વરૂપ છે. આ જૈન શાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહિ. પુરુષાર્થ ૧) આત્મા સામાન્ય-વિશેષરૂપ વસ્તુ છે. તેનું અનાદિ અનંત જ્ઞાનસ્વરૂપ છે તે સામાન્ય છે અને તે જ્ઞાનમાંથી સમયે સમયે જે પર્યાય થાય છે તે વિશેષ છે. ૨) આત્મા પોતે સામાન્યરૂપે કાયમ રહીને વિશેષપણે પરિણમે છે. ૩) જો તે વિશેષરૂપ પર્યાય સ્વરૂપની રુચિ કરે તો સમયે સમયે તેમાં શુદ્ધતા થાય છે. ૪) અને જો તે વિશેષરૂપ પર્યાય રાગ, દેહાદિતે હું” એવી ઊંધી રુચિ કરે તો તેમાં અશુદ્ધતા થાય
૫) આ રીતે સ્વરૂપની રુચિ કરે તો ક્રમબદ્ધ શુદ્ધ પર્યાય પ્રગટે છે, અને જો વિકાર - પરની રુચિ કરે તો ક્રમબદ્ધ અશુદ્ધ પર્યાય પ્રગટે છે. ૬) ચૈતન્યના ક્રમબદ્ધ પર્યાયમાં ફેર પડતો નથી, પણ ક્રમબદ્ધ પર્યાયનો નિયમ એવો છે કે જે