SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૯ ૮) ક્રમબદ્ધ પર્યાયનું મૂળ તો દ્રવ્ય જ છે. મારો પર્યાય મારા દ્રવ્યમાંથી આવે છે એમ દ્રવ્ય તરફ ઢળતાં, દ્રવ્યના જોરે તેને પૂર્ણતા થઈ જવાની છે. ૯) આમાં તો અનંત કાળે કદી નહિ કરેલ એવો સમ્યગ્દર્શનનો અપૂર્વ પુરુષાર્થ છે. ૧૦) પુરુષાર્થ વિનાનો જીવનો એકેય પર્યાય થતો નથી. ૮. સ્વભાવનો પુરુષાર્થ: ૧) છયે દ્રવ્યો પરિણમન સ્વભાવી છે. અને તેઓ પોતાની મેળે ક્રમબદ્ધ પર્યાયપાસે પરિણમે છે. છ યે દ્રવ્યો પરની સહાય વગર સ્વયં પરિણમે છે. આ શ્રદ્ધા કરવામાં જ અનંત પુરુષાર્થ છે. ૨) પુરુષાર્થ વગરનો જીવનો એકેય પર્યાય થતો નથી, માત્ર પુરુષાર્થનું વલણ સ્વ તરફ કરવાને બદલે પર તરફ કરે છે તે જ અજ્ઞાન છે. ૩) જો સ્વભાવની રુચિ કરે તો સ્વભાવ તરફના પુરુષાર્થ વડે પર્યાયનું પરિણમન રવભાવ તરફ વળે, એટલે પર્યાય ક્રમે ક્રમે શુદ્ધ જ થાય. ૪) સમ્યગ્દષ્ટિ ધર્માત્મા પોતાના સમ્યજ્ઞાનથી એમ જાણે છે કે દરેક વસ્તુ ક્રમબદ્ધ પરિણમે છે. આવી સમ્યક ભાવનાથી તેનું જ્ઞાન લંબાઈને સ્વભાવમાં એકાગ્ર થાય છે અને જ્ઞાતાશક્તિ પર્યાય પર્યાયે નિર્મળ થતી જાય છે તથા વિકાર પર્યાય ક્રમે ક્રમે ટળતો જાય છે.. ૫) આવા સ્વભાવમાં જ નિઃશંક છે તે સમ્યગ્દષ્ટિ છે. ૬) અહા! આ સમ્યગ્દષ્ટિ જીવની ભાવના તો જુઓ! સ્વભાવથી શરૂ કર્યું છે અને સ્વભાવમાં જ લાવીને પૂરું કરે છે. સ્વાશ્રયે આત્મામાં સાધક દશા શરૂ કરી છે અને સ્વાશ્રયે આત્મામાં જ પૂર્ણતા પણ કરે છે. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં જ સમાય છે. ૭) વસ્તુસ્વરૂપ જાણતાં જ અનંત સંસાર ટળી જાય છે. ૮) ચૈતન્યનો ક્રમબદ્ધ શુદ્ધ પર્યાય પ્રયત્ન વિના થતો નથી. મોક્ષમાર્ગની શરૂઆતથી પૂર્ણતા સુધી બધેય સમ્યક પુરુષાર્થ અને જ્ઞાનનું જ કાર્ય છે. ૯) માત્ર જે વખતે વસ્તુની જે અવસ્થા થાય છે તેનું જે જ્ઞાન કરે છે તે જ્ઞાતા થઈ ગયો અને જ્ઞાતાપણે રહીને અલ્પકાળમાં કેવળજ્ઞાન પામી મુક્તિ પામશે. આ છે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધાનું ફળ! ૧૦) સ્વભાવનો પુરુષાર્થ છે ત્યાં નિયમથી મોક્ષ છે, એટલે પુરુષાર્થમાં જ નિયત આવી જાય છે. જ્યાં પુરુષાર્થ નથી ત્યાં મોક્ષપર્યાયનું નિયત પણ નથી. ૯. પાંચ સમવાયમાં પુરુષાર્થની મુખ્યતા: પ્ર. ભગવાને તો મોક્ષમાર્ગના પાંચ સમવાય કહ્યા છે, અને તમે એક પુરુષાર્થ પુરુષાર્થ જ કહો છો, તો પછી બીજા સમવાય કઈ રીતે આવે છે?
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy