________________
૩૭૪
૪. દ્રવ્યદૃષ્ટિ:
૧) દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેકે દરેક દ્રવ્ય જુદાં છે. એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે ખરેખર કાંઈ સંબંધ નથી.” આમ જે યથાર્થપણે જાણે તેને દ્રવ્યદષ્ટિ થાય અને દ્રવ્યદૃષ્ટિ થતાં સમ્યગ્દર્શન થાય. જેને સમ્યગ્દર્શન થાય તેનો મોક્ષ થયા વગર રહે નહિ. તેથી સૌથી પહેલાં વસ્તુનું સ્વરૂપ જાણવું જરૂરી છે. ૨) દરેક દ્રવ્ય જુદાં છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી.’ આમ માનતા આત્મા સર્વ પર દ્રવ્યથી ભિન્ન છે તેમ જ દરેકે દરેક પુદ્ગલ પરમાણુ જુદી છે, બે પરમાણુ ભેગા-એકરૂપ થઈને કદી કાર્ય કરતાં નથી, પણ દરેક પરમાણુ સ્વતંત્ર જુદો જ છે એમ વસ્તુસ્વભાવનું જ્ઞાન થાય. ૩) જીવને વિકારભાવ થવામાં નિમિત્ત વિકારી પરમાણુઓ (સ્કંધ) છે. દ્રવ્ય અપેક્ષાએ જોતાં તે દરેક પરમાણુ છૂટા જ છે. બે પરમાણુ ભેગા થયા જ નથી અને એક છૂટો પરમાણુ કદી વિકારનું નિમિત્ત થઈ શકતો નથી. ૪) એટલે કે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી સ્વભાવ દૃષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યના વિકારનું નિમિત્ત પણ નથી. આ રીતે દ્રવ્યદષ્ટિથી કોઈ દ્રવ્યમાં વિકાર છે જ નહિ, જીવ દ્રવ્યમાં પણ દ્રવ્યદૃષ્ટિથી વિકાર
નથી.
૫) પર્યાયદષ્ટિથી જીવને અવસ્થામાં રાગ-દ્વેષ થાય છે અને તેમાં કર્મ નિમિત્તરૂપ થાય છે. પરંતુ પર્યાયને ગૌણ કરી જ્યારે દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે, ત્યારે કર્મ કોઈ વસ્તુ જ ન રહી. કેમ કે તે તો
સ્કંધ છે અને તેના દરેક પરમાણુ જુદું જુદું કાર્ય કરે છે. તેથી જીવને વિકારનું નિમિત્ત કોઈ દ્રવ્ય ન રહ્યું. અર્થાત્ સ્વથી તરફ લેતાં જીવ દ્રવ્યમાં વિકાર જ ન રહ્યો. ૬) આ રીતે દરેક દ્રવ્ય ભિન્ન છે એવી દષ્ટિ એટલે કે દ્રવ્યદષ્ટિ થતાં રાગ-દ્વેષની ઉત્પત્તિનું કારણ જ રહ્યું નહિ, એટલે દ્રવ્યદૃષ્ટિમાં વીતરાગભાવની જ ઉત્પત્તિ રહી. ૭) અવસ્થા દષ્ટિથી - પર્યાયદૃષ્ટિથી અથવા બે દ્રવ્યોના સંયોગી કાર્યની દૃષ્ટિમાં રાગ-દ્વેષાદિ ભાવો થાય છે. ૮) ‘કર્મ અનંત પુદ્ગલોનો સંયોગ છે, તે સંયોગ ઉપર કે સંયોગી ભાવ ઉપર લક્ષ કર્યું ત્યારે રાગ-દ્વેષ થાય છે. ૯) જો અસંયોગ એટલે કે દરેક પરમાણુ ભિન્ન ભિન્ન છે એવી દૃષ્ટિ કરે બીજા શબ્દોમાં કહીએ તો ખરેખર પોતાના અસંયોગી આત્મસ્વભાવની દષ્ટિ કરે તો રાગ-દ્વેષ થાય નહિ. ૧૦) દ્રવ્યદષ્ટિના જોરે કહો કે સ્વભાવદષ્ટિના જોરે કહો, તેનાથી જ મોક્ષ થાય, સુખની પ્રાપ્તિ થાય. માટે સુખ પ્રાપ્ત કરવાની ભાવનાવાળા જીવે દ્રવ્યદૃષ્ટિનો અભ્યાસ કરવો તે પરમ કર્તવ્ય છે. ૧૧) ધ્યાનથી મુક્તિ થાય છે, પરંતુ તે ધ્યાન ધ્યેયના અવલંબન વિના પ્રગટતું નથી. દ્રવ્યદૃષ્ટિનો વિષય ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા તેનો અભ્યાસ કરવો જોઈએ.