________________
૩૭૫ ૧૨) પોતે સર્વજ્ઞ સ્વભાવી હોવા છતાં જે પોતાને અલ્પજ્ઞ માને છે તે આત્માને આળ આપે છે અને તેથી તેના ફળમાં તે એવી જગ્યાએ જન્મ લેશે કે જ્યાં બીજા જીવો પણ ‘આ જીવ છે એમ નહિ
માને
૧૩) અડોલ-સ્થિર-અકંપ સ્વભાવને લક્ષે પર્યાય પણ અકંપ થઈ જાય છે. દ્રવ્યદષ્ટિના જોરે મુક્તિ
થાય છે.
૧૪) આત્મા શક્તિનું સંગ્રહાલય, ગુણનું ગોદામ અને સ્વભાવનો સાગર છે તેની દૃષ્ટિ કરતાં, આશ્રય કરતાં પર્યાય તેનાથી અભેદ થઈ જાય છે, એવા જ સામર્થ્યવાળી થઈ જાય છે. ૧૫) “વ્યટિ જિનેશ્વર, પર્યાયટિ વિનેશ્વર
પ્રથમ આ સત્યને શોધીને શ્રદ્ધા સુધારવી. આનું નામ સમ્યગ્દર્શન છે. ૫. શુદ્ધ નય:
શુદ્ધ નય આત્મસ્વભાવને કેવો પ્રગટ કરે છે? ૧) પરદ્રવ્ય ૨) પરદ્રવ્યના ભાવો ૩) પરદ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના વિભાવો - એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. ૧) પરદ્રવ્ય જે શરીર, મન, વચન, કર્મ આદિ (નોકર્મ) ૨) પરદ્રવ્યના ભાવ એટલે કર્મના ઉદયાદિ (દ્રવ્યકર્મ) ૩) પરદ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના વિકાર ભાવો - શુભાશુભ ભાવો - રાગદિ-ક્રોધાદિ વગેરે (ભાવકર્મ) તે સર્વ પરભાવોથી ભિન્ન આત્માને શુદ્ધ નય પ્રગટ કરે છે. શુદ્ધ નય આત્મસ્વભાવ સમસ્તપણે પૂર્ણ છે એમ પ્રગટ કરે છે. જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ, આનંદથી પૂર્ણ, શાંતિથી પૂર્ણ, સ્વચ્છતાથી પૂર્ણ, પ્રભુતાથી પૂર્ણ, કર્તાથી પૂર્ણ ઇત્યાદિ સમસ્ત અનંત શક્તિઓથી આત્મસ્વભાવ પરિપૂર્ણ છે.
આ લોકમાં (સંખ્યાએ) અનંત જીવ છે, એનાથી અનંતગુણા પરમાણુ છે, એનાથી અનંત ગુણા ત્રણ કાળના સમયો છે, એનાથી અનંત ગુણા આકાશના પ્રદેશો છે, એનાથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે. આ બધા ગુણ પૂર્ણ છે. અને આવા અનંત ગુણશક્તિઓથી પરિપૂર્ણ આત્મદ્રવ્ય છે. શુદ્ધ નય આવા પૂર્ણ શક્તિઓથી મંડિત જે સમસ્ત લોકાલોકને જાણવાના સામર્થ્યવાળો આત્મસ્વભાવ છે તેને પ્રગટ કરે છે. શુદ્ધ નય, કોઈ આદિથી માંડીને જે કોઈથી ઉત્પન્ન કરવામાં આવ્યો નથી અને ક્યારેય કોઈથી જેનો વિનાશ નથી એવા પરિણામિકભાવને પ્રગટ કરે છે. પારિણામિક એટલે જેમાં નિમિત્તના સદ્ભાવ કે અભાવની અપેક્ષા નથી એવો સહજ સ્વભાવ. એકલો પારિણામિક સ્વભાવ ભાવસ, જ્ઞાન રસ, આનંદરસ, શાંત રસ, વીતરાગ રસ એવા અનંત રસનું જે અનાદિ-અનંત એકરૂપ તેને પ્રગટ કરે છે. આત્મસ્વભાવને એક એટલે સર્વ ભેદભાવોથી રહિત એકાકાર પ્રગટ કરે છે.