________________
૩૭૨ સ્વભાવને નક્કી કરે, તો પોતે જ ધર્મરૂપે (મૂળસ્વરૂપે) છે, તે જ અવસ્થારૂપે પોતાને થયું છે. તેમાં કોઈ પર નિમિત્તની કે રાગની અવસ્થારૂપે થવાની જરૂર નથી. એટલે કે ધર્મ સ્વાધીન છે. ૧૪) હવે અહીંયા સુખનો અને ધર્મનો સંબંધ આવ્યો. મારે સુખરૂપે થવું છે - મારે ધર્મરૂપે થવું છે. ધર્મરૂપે થવાનો મારો સ્વભાવ છે. ૧૫) પુણ્ય-પાપના વિકારી ભાવને ઠીક માનવા અને તેમાં સુખ માનવું તે ઊંધી માન્યતા જ મહાપાપરૂપ અધર્મ અને દુઃખ છે. ધર્મ જોઈએ છે એમ જેણે માન્યું છે, તેની દષ્ટિ સંયોગ ઉપર છે એટલે કે બહારથી ધર્મ કરી લઉં, પરની દયા કરું, રક્ષા કરું, કોઈના આશીર્વાદ મેળવું તો કલ્યાણ થાય. ઘણા પુણ્ય કરું તો સુખ થાય. એમ પરવસ્તુ વડે ધર્મ (સુખ) માને છે અને તેથી તે જીવ પર સંબંધ રહિત સુખ સ્વરૂપે થઈ શકતો નથી, પરિણમતો નથી, અનુભવ કરતો નથી. સુખ માટે કાંઈ ઇચ્છવાનું રહેતું નથી. ૧૬) ધર્મરૂપે મારે થવું છે. કોઈ પર ચીજ મારા ધર્મને કરનાર નથી, પણ હું જ ધર્મરૂપે મારા વડે થનાર છું. મારે એકલાએ ધર્મરૂપે થવું છે. ધર્મથી જુદું પડવું નથી. સમ્યક શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રની અવસ્થારૂપે થનાર હું એકલો જ છું, તે માટે મારે પર સાધનની જરૂર નથી તેમજ કોઈની રાહ જોવી પડે તેવું મારું સ્વરૂપ નથી. હું સ્વાધીન છું. મારા ધર્મથી હું કદી ખાલી નથી.” આ પ્રમાણે પોતાની
ઓળખાણ તે જ ધર્મ છે, તે જ સુખનો અનુભવ છે. ૧૭) વિકારરૂપે થવામાં સંયોગની રૂચિ છે, તેમાં દુઃખ છે. અને ધર્મરૂપે એટલે કે સુખરૂપે થવામાં અસંયોગી અવિકારી સ્વભાવની રુચિ છે. ૧૮) “મારે ધર્મરૂપે થવું છે તેમાં એ પણ આવ્યું કે હું વર્તમાન પ્રગટ ધર્મરૂપ થયો નથી. શક્તિરૂપે ધર્મ સ્વરૂપ પૂર્ણ છે. આત્મામાં બેહદ તાકાત, અનંત - અક્ષય સુખરૂપ ધર્મ ભર્યો છે, તે સ્વભાવને
ઓળખીને તેમાં એકાગ્ર થતાં ધર્મરૂપ પર્યાય પ્રગટે છે અર્થાત્ આત્મા પોતે ધર્મરૂપ થાય છે. ૧૯) પરાશ્રય રહિત પોતાના સ્વાધીન સ્વભાવની પહેલાં પ્રતીત કરે તો જેવો સ્વભાવ છે તે રૂપે થવા માટે પોતાના સ્વભાવમાં જોવાનું રહ્યું. કાંઈ શુભાશુભભાવ થાય ત્યાં એમ જાણે કે તે ભાવ મારા પુરુષાર્થની વર્તમાન નબળાઇથી બાહ્ય લક્ષ વડે થાય છે, પરંતુ મારા ધર્મરૂપે તે ભાવ થતો નથી. ધર્મરૂપે થવા માટે આત્માને પરની જરૂર પડતી નથી. ૨૦) આત્મા ધર્મ કરે એટલે કે આત્મા સ્વયં ધર્મરૂપ થાય સ્વરૂપને ઓળખી નિરૂપાધિક ધર્મરૂપ થાય કે કોઈ બીજો ? કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર તારા ધર્મરૂપે થનાર નથી. ૨૧) પ્રથમ શ્રદ્ધામાં પરિપૂર્ણ સુખસ્વરૂપને સ્વાધીનપણે નક્કી કરે અને પરમાં સુખબુદ્ધિરૂપ મિથ્યા માન્યતાનો સર્વથા ત્યાગ કરે તો તે પોતે શ્રદ્ધામાં ધર્મરૂપ થાય એટલે પૂર્ણતાના લક્ષે અંશે નિર્મળતારૂપ જે સ્વભાવ પ્રગટ કર્યો છે તે રૂપે પોતે થયો. હવે જેટલી અધૂરી અવસ્થા રહી તેને સ્વરૂપ સ્થિરતાના જોર પલટીને પૂર્ણ નિર્મળતારૂપે-સુખરૂપે જ થવાનું પોતાનું રહ્યું. પણ પોતાના સુખ માટે કોઈ