SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૧ પ્રાપ્ત કરવા પ્રયત્ન પણ કરે છે. પરંતુ ઉપાય સાચા ન હોવાથી ફળરૂપે દુઃખને જ પ્રાપ્ત થાય છે. ૬) હવે કોઈ જીવો એમ માને છે કે ‘મારે સુખ જોઈએ છે.’ હવે પોતે સ્વયં શાશ્વત સુખરૂપ સ્વાધીન છે તેની જેને ખબર નથી તે તો ‘સુખ જોઈએ છે’ એવી માન્યતાથી - અસંતોષથી બહારમાં સુખ શોધે છે અને તે સુખના સાધન - ઉપાય પણ પરાશ્રયથી માને છે. તેથી તેની દષ્ટિ પરસંયોગ ઉપર જ રહે છે. એ પરાધીન દષ્ટિવાળો સ્વાધીન સુખનો અંશ પણ પામી શકતો નથી. ૭) ખરેખર તો જીવને પોતાના સ્વરૂપ સંબંધી જ ભ્રમણા છે તેથી તે અનંત કાળથી દુઃખ ભોગવી રહ્યો છે. ૮) તો સુખ શું છે ? ‘સુખ’ આત્માનો સ્વભાવ છે, તેનો સહજ ગુણ છે. તે માત્ર અનુભૂતિનો વિષય છે. તે કોઈ બહારની ચીજ નથી. દરેક આત્મા પોતે તેનો સહજ અનુભવ કરી શકે. ૯) તે અનુભૂતિનો ઉપાય શું છે ? (૧) પ્રથમ પોતે પોતાને આત્મસ્વરૂપે જ્ઞાનમાં અને શ્રદ્ધામાં સ્વીકારે, પોતાનું સ્વરૂપ ઓળખે. ΟΥ (૨) જ્યારે જીવ પોતે જ પોતાને શાશ્વત સુખરૂપે ઓળખે અને પોતાના સુખ સ્વરૂપી આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં રમણતા વડે તે સ્વયં પોતે સુખરૂપે થઈ જાય એવો પોતાનો સ્વભાવ છે એમ આત્મભાન (આત્મજ્ઞાન) કરે ત્યારે સ્વાધીન દૃષ્ટિના બળે સુખનો અનુભવ પ્રગટ કરે. ૧૦) ‘મારે સુખરૂપ થવું છે’ એમાં એમ આવ્યું કે : પોતાથી જ પોતે સુખરૂપ છે. કોઈ પરપદાર્થની સુખ માટે જરૂર નથી. સુખરૂપ થનારો પોતે એકલો; તેમાં પુણ્ય જોઈએ, પર જોઈએ, બીજાની મદદ જોઈએ... એ બધું હોય તો પોતે સુખરૂપ થાય એવું કાંઈ ન આવ્યું, પણ પોતે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપને સમજીને ઠરે તો સહજ આનંદરૂપ પ્રગટ દશા થાય એટલે કે પોતે સુખરૂપ પરિણમે. આત્મા નિત્ય સુખરૂપ છે, આત્મા જ્ઞાનાનંદ મૂર્તિ છે એના ભાનરૂપ સહજ જ્ઞાન અવસ્થાનો સ્વભાવ જ નિત્ય સ્વતંત્રપણે જ્ઞાન-આનંદરૂપે સ્વયં થવાનો છે. જે સ્વભાવ છે તે જ અવસ્થારૂપે થાય છે. માટે ‘મારે સુખ જોઈએ છે’ અને ‘સુખરૂપ થવું છે’ એ બે માન્યતામાં બહુ ફેર છે એ વાત ધ્યાનમાં લેવી. ૧૧) ‘હું એકલો મારથી પૂર્ણ છું, અનંત ગુણનો શાશ્વત સ્વાધીન ભંડાર છું, મારે સુખ માટે કોઈ બીજાની જરૂર નથી, દેવ-શાસ્ર-ગુરુ તરફના શુભ વિકલ્પની પણ જરૂર નથી’ એમ પ્રથમ સ્વાધીન સ્વભાવને ઓળખીને હા તો પાડ ! ૧૨) હજી તો સત્યનો સ્વીકાર કરવાની, સાચી ઓળખાણ કરવાની આ વાત છે. પોતાના ઘરની આ વાત છે. ૧૩) પોતે તો ‘જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે.’ તેમ ‘બધા જ આત્મા સ્વતંત્ર ભગવાન છે, ક્ષણિક વિકાર જેટલા નથી, પણ પોતે જે સ્વભાવે છે તેનાથી બીજારૂપે કદી થનાર નથી’ એમ જો
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy