________________
૩૬૮
(૯) એક જ આદરવા યોગ્ય છે - ચૈતન્યશીલ આત્મા. (૧૦) એક જ રમણતા કરવા યોગ્ય છે - અકષાયી આત્મા. (૧૧) એક જ લીનતા કરવા યોગ્ય છે - સુખકંદ આત્મા. (૧૨) એક જ ઉત્તમ છે - સકલ નિરાવરણ આત્મા. (૧૩) એક જ મંગલ છે - પવિત્રતાની મૂર્તિ આત્મા. (૧૪) એક જ શરણ છે - પ્રભુત્વ શક્તિને ધરનાર આત્મા. (૧૫) એક જ રુચિ કરવા યોગ્ય છે - વિજ્ઞાનઘન આત્મા. (૧૬) એક જ અભ્યાસ કરવા યોગ્ય છે - કારણ સમયસાર આત્મા (૧૭) એક જ અનુભવ કરવા યોગ્ય છે - જ્ઞાનકુંજ વિભુ આત્મા. (૧૮) એક જ પ્રતીતિ કરવા યોગ્ય છે - નિર્મળાનંદ ભગવાન આત્મા. (૧૯) એક જ મનન કરવા યોગ્ય છે - ગુણનું ગોદામ આત્મા. (૨૦) એક જ ચિંતવન કરવા યોગ્ય છે - શક્તિનું સંગ્રહાલય આત્મા. (૨૧) એક જ પ્રીતિ કરવા યોગ્ય છે - અનુપમ શાંતિ સ્વરૂપ આત્મા. (૨૨) એક જ વંદન કરવા યોગ્ય છે - દેવાધિ દેવ નિજ આત્મા. (૨૩) એક જ પક્ષ કરવા યોગ્ય છે - નયાતિક્રાંત પ્રભુ આત્મા. (૨૪) એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે - અનંત સુખનો નિધાન ભગવાન આત્મા! ૨૦) ધર્મનું સ્વરૂપઃ (૧)સ્વરૂપની સમજણ તે ધર્મ. (૨) આત્માનું આરાધન તે ધર્મ. (૩) જ્ઞાયકનું જ્ઞાન તે ધર્મ. (૪) શ્રદ્ધેય તત્ત્વની શ્રદ્ધા તે ધર્મ. (૫) સ્વભાવમાં સમાવવું તે ધર્મ. (૬) ધ્યેયનું ધ્યાન તે ધર્મ. (૭) પૂર્ણતાની પ્રતીતિ તે ધર્મ. (૮) છે તેવા થવું તે ધર્મ. (૯) અમૃતસાગરનો અનુભવ તે ધર્મ.