SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૯ (૧૦) ભ્રમણાને ભાંગવી તે ધર્મ. (૧૧) ચૈતન્યમાં ચરવું તે ધર્મ. (૧૨) જાગતો જીવ જાગે તે ધર્મ, (૧૩) ધ્રુવને ધારવો તે ધર્મ. (૧૪) આત્મસ્વરૂપની ભાવના તે ધર્મ. (૧૫) દષ્ટા સ્વભાવનું દર્શન તે ધર્મ. (૧૬) જ્ઞાતા સ્વભાવનું દર્શન તે ધર્મ. (૧૭) કેવળજ્ઞાનનો કટકો (સમ્યગ્દર્શન) તે ધર્મ. (૧૮) સ્વરૂપનું શરણ તે ધર્મ. (૧૯) સત્ સ્વરૂપની સાધના તે ધર્મ. (૨૦) ભગવાન આત્માની ભક્તિ તે ધર્મ. (૨૧) સ્વભાવની સેવા તે ધર્મ (૨૨) સ્વરૂપનું શરણ તે ધર્મ. (૨૩) પરમાત્માને પામવો તે ધર્મ. (૨૪) અંતરાત્માની આરાધના તે ધર્મ. ૨. વ્યવહારની પકડ અને મિથ્યાત્વ: પ્ર. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની ઓળખાણ, નવ તત્ત્વનું જ્ઞાન, બ્રહ્મચર્યનું પાલન, પૂજા, વ્રત, તપ, ભક્તિ વગેરે કરવા છતાં જીવને મિથ્યાત્વ કેમ રહી જાય છે? ઉ. : “આ વર્તમાન પરિણામ જ હું છું અને તેનાથી જ મને લાભ છે એમ જીવ વર્તમાન ઉપર જ લક્ષને ટકાવીને ત્યાં અટકી ગયો પરંતુ ત્રિકાળી એકરૂપ નિરપેક્ષ સ્વભાવ તરફ ન વળ્યો તેથી જ મિથ્યાત્વ રહી ગયું છે. વર્તમાન વર્તતી પર્યાયના આધારે સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. | નિશ્ચય-અખંડ-અભેદ સ્વભાવ તરફ ઢળતાં વચ્ચે જે વિકલ્પાદિરૂપ વ્યવહાર આવે તેને માટે ખેદ જોઈએ. એને બદલે તેની જે હોંશ કરે છે તેને સ્વભાવનો આદર ટળી જાય છે એટલે તે મિથ્યાત્વી જ રહે છે. વ્યવહારની રુચિવાળો જીવ ભગવાનના દિવ્યધ્વનિનો ઉપદેશ સાંભળીને તેમાંથી પણ વ્યવહારની રુચિને પોષે છે. વ્યવહાર વચ્ચે આવે છે તો ખરો ને!' એમ વ્યવહારની ઊંડી સૂક્ષ્મ મીઠાસ મિચ્યોદષ્ટિને રહે છે. નિશ્ચય અને વ્યવહાર બન્નેનો આશ્રય કરવા જેવું માને તો તે એકાંત છે. જ્યાં સુધી માન્યતામાં અને રુચિના વીર્યમાં નિરપેક્ષ સ્વભાવન રુચે ત્યાં સુધી એકાંત મિથ્યાત્વ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy