SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ (૩) અતિ ચંચળ મન પણ એકાગ્ર થાય છે. ૪) હિંસા આદિ પાંચ પાપ થતાં નથી. ૫) અલ્પજ્ઞાન હોવા છતાં પણ ત્રણ લોકના ત્રણ કાળ સંબંધી ચરાચર પદાર્થોનું જાણવું થાય છે. ૬) હેય-ઉપાદેયની ઓળખાણ થાય છે ૭) આત્મજ્ઞાનની સન્મુખતા થાય છે. ૮) અધિક-અધિક જ્ઞાન થતાં આનંદ ઉત્પન્ન થાય છે. આકુળતા-વ્યાકુળતા ઓછી થાય છે. ૯) લોકમાં મહિમા - યશ વિશેષ થાય છે. ૧૦) સાતિશય પુણ્યનો બંધ થાય છે. ઇત્યાદિ ગુણો શાસ્ત્ર અભ્યાસ કરવાથી તત્કાળ જ ઉત્પન્ન થાય છે. માટે શાસ્ત્ર અભ્યાસ અવશ્ય કરવો. શાસ્ત્ર અભ્યાસ કરવાનો અવસર મળવો મહા દુર્લભ છે. એકેન્દ્રિયાદિ અસંજ્ઞી પર્યત જીવોને તો મન નથી. નારકી વેદનાથી પિડિત છે. તિર્યંચ વિવેક રહિત છે. દેવ વિષયાસક્ત છે. મનુષ્ય પર્યાય મળવા છતાં ઉત્તમ યોગની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. હે ભવ્યો! તમને તમારા હિતને માટે પ્રેરણા કરીએ છીએ કે જે રીતે બને એ રીતે જિનાગમનો અભ્યાસ કરો, અન્ય જીવોને આ શાસ્ત્રનો અભ્યાસ કરાવો તથા જે જીવ શાસ્ત્ર અભ્યાસ કરે તેની અનુમોદના કરો. દર્શન પ્રાભૃતઃ પ્રારંભમાં કરીને નમન જિનવરવૃષભ મહાવીરને; સંક્ષેપથી હું યથાક્રમે ભાખીશ દર્શનમાર્ગને. રે! ધર્મ દર્શનમૂલ ઉપદેશ્યો જિનોએ શિષ્યને; તે ધર્મ નિજ કાર્ગે સૂણી દર્શનરહિત ન વંદ્ય છે. દભ્રષ્ટ જીવો ભ્રષ્ટ છે, દભ્રષ્ટનો નહિ મોક્ષ છે; ચારિત્રબ્રણ મુકાય છે, દભ્રષ્ટ નહિ મુક્તિ લહે. સમ્યકત્વરત્નવિહીત જાણે શાસ્ત્ર બહુવિધને ભલે; પણ શૂન્ય છે આરાધનાથી તેથી ત્યાં ને ત્યાં ભમે. સમ્યકત્વ વિણ જીવો ભલે ત૫ ઉગ્ર સુષુ આચરે; પણ લક્ષ કોટિ વર્ષમાં યે બોધિલાભ નહીં લહે. સમ્યકત્વદર્શન-જ્ઞાન બળ-વર્ષે અહો! વધતા રહે; તે અલ્પકાળે કલેશ-મળ-અધ ટાળી વરજ્ઞાની બને.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy