________________
૩૬૬ (૨) સાચા દેવ-ગુરુ-ધર્મમાં દઢ પ્રતીતિ થાય. (૩) જીવાદિ સાત તત્ત્વોની યથાર્થ પ્રતીતિ થાય. (૪) સ્વ-પરનું શ્રદ્ધાન થાય. (૫) આત્મશ્રદ્ધાન થાય - તેને સમ્યકત્વ કહે છે. આ લક્ષણોથી અવિનાભાવ સહિત જે શ્રદ્ધા થાય તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. તે પર્યાયનો ધારક સમ્યકત્વ (શ્રદ્ધા) ગુણ છે. સમ્યગ્દર્શન અને મિશ્રદર્શન તેના પર્યાયો છે.
રામ્યગ્દર્શનમાં ‘સમ્યક’ શબ્દશું સૂચવે છે? વિપરીત અભિનિવેશ (અભિપ્રાય)ના નિરાકરણ અર્થે સમ્યક પદ વાપર્યું છે, કારણ કે સમ્યક એવો શબ્દ પ્રશંસાવાચક છે. તેથી શ્રદ્ધાનમાં વિપરીત અભિનિવેશનો અભાવ થતાં જ પ્રશંસા સંભવે છે.
છવ-અજીવ આદિ સાત તત્ત્વાર્થ છે એનું શ્રદ્ધાન અર્થાત્ “આમ જ છે, અન્યથા નથી' એવો પ્રતીતિભાવ તે તત્ત્વાર્થશ્રદ્ધાન છે તથા વિપરીત અભિનિવેશ અર્થાત્ અન્યથા અભિપ્રાય રહિત શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
વિપરીત અભિનિવેશ રહિત જીવ-અજીવાદિ તત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કરવા યોગ્ય છે. એ શ્રદ્ધાન આત્માનું જ સ્વરૂપ છે. ચોથા ગુણસ્થાનથી તે પ્રગટ થાય છે.
આ બધાથી એમ સમજવું કે મોક્ષને હિતરૂપ જાણી, એક મોક્ષનો જ ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે. ૧૭) તત્ત્વનો નિર્ણયઃ (૧) જીવને અનાદિથી પોતાના સ્વરૂપની ભ્રમણા છે, માટે પ્રથમ આત્મજ્ઞાની પુરુષ પાસેથી આત્માનું સ્વરૂપ સાંભળીને, યુક્તિ દ્વારા આત્મા જ્ઞાનસ્વભાવી છે એવો નિર્ણય કરવો...પછી... (૨) પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો દ્વારા તથા મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિ તેને મર્યાદામાં લાવી એટલે કે પરપદાર્થ તરફથી પોતાનું લક્ષ ખેંચી આત્મા પોતે જ્યારે સ્વસમ્મુખ લક્ષ કરે છે ત્યારે પ્રથમ સામાન્ય સ્થૂળપણે આત્મા સંબંધી જ્ઞાન થયું; તે આત્માનો અર્થાવગ્રહ (moto) થયો. (૩) પછી વિચારના નિર્ણય તરફ વળ્યો તે ઈહા (બcine) (૪) નિર્ણય થયો તે અવાય ( ૧ ) અર્થાત્ ઇહાથી જાણેલા આત્મામાં આ તે જ છે, અન્ય નથી એવા મજબૂત જ્ઞાનને અવાય કહે છે. (૫) આત્મા સંબંધી કાળાંતરમાં સંશય તથા વિસ્મરણ ન થાય તેને ધારણા (
R io%) કહે છે. ત્યાં સુધી તો પરોક્ષ એવા મતિજ્ઞાનમાં ધારણા સુધીનો છેલ્લો ભેદ થયો. પછી આ આત્મા અનંત જ્ઞાનાનંદ શાંતિસ્વરૂપે છે તેમ મતિમાંથી લંબાતું તાર્કિક જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. અંદર સ્વલક્ષમાં મનઇન્દ્રિય નિમિત્ત નથી. જીવ તેનાથી અંશે જુદો પડે ત્યારે સ્વતંત્ર તત્ત્વનું જ્ઞાન કરી તેમાં ઠરી શકે છે.