________________
૩૬૫
જીવનું કર્તવ્ય તો તત્ત્વજ્ઞાનનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ સ્વયં થાય છે. દર્શનમોહના ઉપશમાદિમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. વળી ત્યાર પછી જેમ જેમ જીવ સ્વસન્મુખતા વડે વીતરાગતા વધારે છે તેમ તેમ તેને ચારિત્રમોહનો અભાવ થાય છે, અને તેમ થતાં તે જીવને નગ્ન દિગંબર દશા, ૨૮ મૂળ ગુણ અને ભાવલિંગી મુનિપણું પ્રગટ થાય છે. તે દશામાં પણ જીવ પોતાના જ્ઞાયક સ્વભાવમાં રમણતાપૂર્વક પુરુષાર્થ વડે ધર્મ પરિણતિને વધારે છે, ત્યાં પરિણામ સર્વથા શુદ્ધ થતાં કેવળજ્ઞાન અને મોક્ષ દશારૂપ સિદ્ધપદને પામે છે.
૧૫) પ્ર. : જેને જાણવાથી મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તેવું અવશ્ય જાણવા યોગ્ય પ્રયોજનભૂત શું શું છે?
ઉ. : સર્વ પ્રથમ - (૧) હેય-ઉપાદેય તત્ત્વોની પરીક્ષા કરવી.
(૨) જીવાદિ દ્રવ્યો વા સાત તત્ત્વો તથા સુદેવ-સુગુરુ-સુધર્મને ઓળખવા.
(૩) ત્યાગવા યોગ્ય મિથ્યાત્વ-રાગાદિક તથા ગ્રહણ કરવા યોગ્ય સમ્યગ્દર્શન-જ્ઞાનાદિકનું સ્વરૂપ ઓળખવું.
(૪) નિમિત્ત-નૈમિત્તિક આદિને જેમ છે તેમ ઓળખવા.
-ઇત્યાદિ જેને જાણવાથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ થાય તેને અવશ્ય જાણવા. કેમ કે તે પ્રયોજનભૂત છે. પ્ર. ઃ પ્રયોજનભૂત તત્ત્વોને જીવ યથાર્થ જાણે-માને તો તેને શું લાભ થાય ?
ઉ. ઃ જો તેને યથાર્થ જાણે-શ્રદ્ધે તો તેને સાચો સુધાર થાય છે અર્થાત્ તેથી તેને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પ્ર.: જિનદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય શું છે ?
ઉ. : મોક્ષને હિતરૂપ જાણી, એક મોક્ષનો ઉપાય કરવો એ જ સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.
σε
પ્રઃ હેય શું છે ?
ઉ. : જીવ દ્રવ્યની અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય-હેય છે; તથા પરિનિમત્ત, વિકાર અને વ્યવહારનો આશ્રય હેય છે.
: જ્ઞેય શું છે
ઉ. : સ્વ-પર અર્થાત્ તત્ત્વો સહિત જીવાદિ છ યે દ્રવ્યોનું સ્વરૂપ.
પ્ર. ઃ ઉપાદેય શું છે ?
ઉ. ઃ એકાકાર ધ્રુવ જ્ઞાયક સ્વભાવરૂપ નિજ આત્મા જ ઉપાદેય છે. નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માનવા તે પણ ભ્રમ છે.
પ્ર.:
૧૬) સમ્યક્ત્વ કોને કહે છે ? (૧) જે ગુણની નિર્મળશા પ્રગટ થવાથી પોતાના શુદ્ધાત્માનો પ્રતિભાસ થાય. અખંડ જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ થાય.