SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ૧૨) દ્રવ્યલિંગી મિથ્યાદષ્ટિ મુનિની ધર્મ સાધનામાં અન્યથા પણ શું છે? વ્યલિંગી મુનિ, વિષયસુખાદિના ફળ નરકાદિ છે, શરીર અશુચિમય છે, વિનાશિક છે, પોષણ કરવા યોગ્ય નથી. તથા કુટુંબાદિક સ્વાર્થના સગા છે - ઇત્યાદિ પરદ્રવ્યોના દોષ વિચારી તેનો તો ત્યાગ કરે છે; તથા વ્રતાદિનું ફળ સ્વર્ગ - મોક્ષ છે, તપશ્ચરણાદિ પવિત્ર ફળ આપનારા છે, એ વડે શરીર શોષણ કરવા યોગ્ય છે તથા દેવ-ગુરુ-શાસ્ત્ર હિતકારી છે ઇત્યાદિ પરદ્રવ્યોનો ગુણ વિચારી તેને જ અંગીકાર કરે છે. ઇત્યાદિ પ્રકારથી કોઈ પરદ્રવ્યોને બૂરા જાણી અનિષ્ટ શ્રદ્ધાન કરે છે તથા કોઈ પરદ્રવ્યોને ભલા જાણી ઇષ્ટરૂપ શ્રદ્ધાન કરે છે. હવે પરદ્રવ્યોમાં ઇષ્ટ - અનિષ્ટરૂપ શ્રદ્ધાન કરવું એ મિથ્યાત્વ છે. વળી એ જ દ્રવ્યથી તેને ઉદાસીનતા પણ દ્વેષબુદ્ધિરૂપ હોય છે કારણ કે કોઈને બૂરા જાણવા તેનું નામ જ દ્વેષ છે. ૧૩) વ્યલિંગી મુનિ વગેરેને ભ્રમ થાય છે તેનું કારણ કોઈ કર્મ જ હશે ને? ત્યાં પુરુષાર્થ શો કરે ? ના! ત્યાં કર્મનો દોષ નથી. સાચા ઉપદેશથી નિર્ણય કરતાં ભ્રમ દૂર થાય છે. પણ સાચો પુરુષાર્થ કરતો નથી કે જેથી ભ્રમ દૂર થાય. જો તત્વનિર્ણય કરવાનો પુરુષાર્થ કરે તો ભ્રમનું નિમિત્તકારણ જે મોહ કર્મ તેનો પણ ઉપશમ થાય અને ભ્રમ દૂર થાય. કારણ કે તત્ત્વનિર્ણય કરતાં પરિણામોની વિશુદ્ધતા થાય છે અને મોહન સ્થિતિ - અનુભાગ પણ ઘટે છે. સાચા નિર્ણયમાં તો સ્વરૂપનો જ નિર્ણય કરવાનો છે. “હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને સર્વથા સર્વથી ભિન્ન છું.’ ૧૪) સમ્યગ્દર્શન પ્રગટ ન થવામાં નિમિત્તકારણ દર્શનમોહ છે અને ચારિત્ર પ્રગટ ન થવામાં નિમિત્તકારણ ચારિત્રમોહ છે - તેનો અભાવ થયા વિના જીવ ધર્મ કેવી રીતે કરી શકે? માટે ધર્મન થવામાં જડ કર્મોનો દોષ છે ને? ના; પોતાના ઊંધા પુરુષાર્થનો જ દોષ છે. જો સવળા પુરુષાર્થપૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવે તો સ્વયમેવ મોહનો અભાવ થાય છે અને મોહના ઉપાયનો પુરુષાર્થ બને છે; તેથી પ્રથમ જ તત્ત્વનો નિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો પુરુષાર્થ કરવો અને ઉપદેશ પણ એ જ પુરુષાર્થ અર્થે આપવામાં આવે છે, અને એ પુરુષાર્થથી મોક્ષના ઉપાયના પુરુષાર્થની સિદ્ધિ આપોઆપ થાય છે. તસ્વનિર્ણય કરવામાં કર્મનો કાંઈ પણ દોષ નથી પણ જીવનો જ દોષ છે. જે જીવ કર્મનો દોષ કાઢે છે તે પોતાનો દોષ હોવા છતાં કર્મ ઉપર દોષ નાખે છે એ અનીતિ છે. શ્રી સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા માને તેને એવી અનીતિ હોઈ શકે નહિ. જૈન ધર્મ કરવો રુચતો નથી તે જ આવું જૂઠું બોલે છે. જેને મોક્ષસુખની સાચી અભિલાષા છે તે આવી જૂઠી યુક્તિ બતાવે નહિ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy