________________
૩૫૩ વિશેષ ખુલાસો (સૂક્ષ્મ વાત) ૧) ત્રિકાળી જ્ઞાન ગુણ એનો જેમ સ્વ-પરપ્રકાશક રવભાવ છે તેમ તેની જ્ઞાનની વર્તમાન પર્યાયનો પણ સ્વ-પરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદા કાળ જ્ઞાયક જણાતો હોવા છતાં રાગને વશ થયેલો પ્રાણી તેને જોઈ શકતો નથી. એની નજર પર્યાય ઉપર અને રાગ ઉપર છે, એટલે આ જ્ઞાયકને જાણું છું તે ખોઈ બેસે છે. અનાદિ બંધને-રાગને વશે પડ્યો રાગને જોવે છે પણ મને જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે એમ જોતો નથી. ભલેને તું ના પાડ, હું (મને, જ્ઞાયકને) નથી જાણતો, છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હોં! ૨) આત્મામાં અનંત ગુણો ભલે હો, પરંતુ જાણવું એ એનો મુખ્ય ગુણ છે. અમે છીએ એમ અનંત ગુણો જાણતા નથી; જ્ઞાન છે તે પોતાને ને પરને જાણે છે. જ્ઞાનની પર્યાય પોતાને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પ્રગટ છે. તેથી તે જ્ઞાન પર્યાયમાં સદ સૌને ભગવાન આત્મદેવ પ્રકાશે છે, પરંતુ તેની દષ્ટિ-બુદ્ધિ એક સમયની પર્યાય અને રાગ ઉપર હોવાથી ભગવાન (જ્ઞાયક આત્મા) જણાય છે એમ માનતો નથી. આ જાણવામાં આવે છે એને જાગતો નથી અને પરને જાણું છું એવી મિથ્થાબુદ્ધિ થઈ ગઈ છે. અર્થાત્ એકલો પરપ્રકાશક છું એવી બુદ્ધિ થઈ ગઈ છે જે મિથ્યા છે. ૩) “શબ્દાદિ પદાર્થો દૂર હો કે સમીપ હો, આત્મા તેમને પોતાના સ્વરૂપથી જ જાણે છે.” સ્વરૂપથી જ જાણે છે એમ કહેવાનો આશય એ છે કે - જેને નિજ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાતા-દષ્ટ પ્રભુનું અંતરમાં ભાન થયું છે તે પરપદાર્થોને જાણવામાં રોકાતો નથી, પોતાને જાણતાં સહજ તેનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પ્રગટ થાય છે.” ૪) અહાહા ! જ્ઞાન એક જેનો સ્વભાવ છે તે જ્ઞાયક પ્રભુ આત્મા. શેય પદાર્થો - દેવ-ગુરુ-શાસ્ત્ર હો કે સ્ત્રી-પુત્ર પરિવાર હો કે અન્ય હો! તે શેયને જાણવા માત્રથી વિક્રિયા-રાગ થાય છે એમ નથી. તો કેમ છે? પરંતુ અજ્ઞાની પ્રાણી બાહ્ય ચીજોને ઈષ્ટ-અનિષ્ટ, અનુકૂળ-પ્રતિકૂળ માને છે તેથી તેને રાગ-દ્વેષ થાય છે. બાહ્ય પદાર્થો તેને રાગ-દ્વેષ કરે છે -કરાવે છે એમ નથી. આ ઠીક છે અને આ અઠીક છે એમ પરણેયોમાં ઠીક-અઠીકની કલ્પના અજ્ઞાની કરે છે તેથી તેને રાગ-દ્વેષ થાય છે. તે પદ્રવ્યો તેને વિક્રિયા ઉપજાવતા નથી વા તે શેયોને જાણવાથી રાગાદિ થાય છે એમ પણ નથી. ૫) આત્મામાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણ છે. તેમાં ચારિત્ર અને શ્રદ્ધા ગુણ મલિન પરિણમે છે; પણ જ્ઞાન ગુણ છે તે ત્રિકાળી જ્ઞાનપણે વર્તે છે, રાગપણે વર્તતો નથી. તેથી જ્ઞાન જ્ઞાયક સ્વભાવથી સ્વપરને જાણે છે. અજ્ઞાનીને પણ જ્ઞાન અતિરૂપે છે, રાગને પોતાપણે માનવાથી તેનું જ્ઞાન નાસિરૂપે થયેલું દેખાય છે. દષ્ટાશક્તિ, જ્ઞાનગુણમાં અને વીર્યગુણમાં વિપરીતતા નથી પણ ઘટાડો થાય છે. અજ્ઞાન દશામાં પણ જ્ઞાનનો ઉઘાડ તો હોય જ છે. તે ઉઘાડને સ્વ તરફ વાળે તો સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે. અને તે વડે ત્રિકાળી નિશ્ચલ સ્વભાવને જીવ જાણે છે.