________________
૩૫૪
શ્રદ્ધા અને ચારિત્ર ગુણનું કાર્ય કરતાં જ્ઞાન ગુણનું કાર્ય જુદું છે. તે જાણવાનું કાર્ય કરે છે. જો કે બધા ગુણ પૂર્ણ નિર્મળ એક સાથે થાય છે તો પણ તે જ્ઞાનગુણ નિર્મળપણું પ્રથમ જણાવે છે.
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન થયું તેમાં જ્ઞાયકપણે જણાયો તે પૂર્વે જ્ઞાયક જ હતો, વર્તમાનમાં જ્ઞાયક જ છે અને ભવિષ્યમાં જ્ઞાયકપણે જ રહેશે. સદાય જાણનારો હોવાથી ચારિત્ર ગુણમાં જે અવસ્થા રહી જાય છે તેને જ્ઞાન જાણી લે છે પણ તે ગૌણ છે.
આ રીતે જ્ઞાનગુણનું સ્વરૂપ યથાર્થ સમજવાથી માન્યતાની ભૂલ નીકળી જતાં સમ્યગ્દર્શન પ્રગટે છે. ૨૦ અગાધ શાંતિથી ભરેલો જ્ઞાનીનો માર્ગ : ૧. જ્ઞાનીનું સાચું જીવન:
૧) ભેદજ્ઞાન અને વીતરાગતા કરવા તે જ્ઞાનીનું સાચું જીવન છે. ભેદજ્ઞાનની સાથે ચૈતન્ય શાંતિની કોઈ અગાધ અનુભૂતિ થાય છે. ૨) અહો! આત્મા શાંતિના બરફની વચ્ચે બેઠો ત્યાં ચૈતન્યના આનંદની અનુભૂતિની શી વાત! ૩) હે જ્ઞાની! તારી વાત દુનિયાને ન બેસે તો તું મૂંઝાઈશ નહિ. દુનિયાને ભલે ન બેસે, પંચ પરમેષ્ઠી ભગવંતો તો તારી સાથે છે. અહો ! અંતરનો અતીન્દ્રિય માર્ગ! એને દુનિયા સાથે મેળ ક્યાંથી ખાય? ૪) આત્માના અગાધ શાંતિથી ભરેલા આ માર્ગમાં પંચ પરમેષ્ઠી ભગવંતો મારા સાથીદાર છે. પંચ પરમેષ્ટીના પ્રસાદથી આવો માર્ગ જગતમાં જ્યવંત વર્તે છે. ૫) અનુભવ કરવાનો સરળમાં સરળ રસ્તો આ જ છે. વિકલ્પથી જ્ઞાનને જુદુઓળખવાનો અભ્યાસ કરવાના. જ્ઞાનની મહાનતા એ છે કે જ્ઞાન અનંત ચૈતન્ય ભાવોથી ભરેલું છે, ને રાગ -વિકલ્પો ચૈિતન્યથી શૂન્ય છે. એમ ભેદજ્ઞાન કરતાં અનુભવ થાય છે. ૬) રાગ પોતે દુઃખ છે, તેથી તેમાં એકત્વ બુદ્ધિ તે દુઃખ જ છે. દુઃખના ભાવમાં જેને એકત્વ ભાસે (પોતાપણું ભાસે) તે દુઃખથી કેમ છૂટે? રાગથી ભિન્ન જ્ઞાન આનંદસ્વભાવી આત્મા પોતે સુખરૂપ છે, તેમાં એકત્વ પરિણતિ પણ સુખ છે. ૭) આત્મા પોતે કર્તા થઈને પોતાની સમત્વાદિ પરિણતિને કરે છે એવો તેનો કર્તા સ્વભાવ છે. અનુભવમાં વિકલ્પ વગર તેની નિર્મળ પર્યાય થઈ જાય છે. આત્મા પોતે પરિણમીને નિર્મળ પર્યાયરૂપ થઈ જાય છે. ૮) વિકલ્પથી ખસીને પરિણતિ અંતરમાં કેમ વળતી નથી ? અંતરમાં ચૈતન્યનો ખરો મહિમા આવતો નથી ને રાગનો મહિમા છૂટતો નથી. ૯) જ્યાં જ્ઞાન અતંરમાં વળ્યું ત્યાં બીજા અનંત ગુણો પણ પોતપોતાના નિર્મળ ભાવપણે ખીલી ઊઠે છે. અને અનંત ગુણના વીતરાગી ચૈતન્ય રસનો અચિંત્ય સ્વાદ આવે છે. આનું નામ સમ્યગ્દર્શન..!