________________
૩૫૨
શરીરને, રાગને જાણતા પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા હું છું; આ જાણનાર તે હું છું, એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડ્યો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થયો છે. ‘‘કર્મ બિચારા કૌન ? ભૂલ મેરી અધિકાઈ ’
""
૪) હવે આત્મા અને રાગ વચ્ચે સંધિ (સાંધ) છે એ વાત સમજાવે છે. એ બંધના વશે પર સાથે એકપણા નિશ્ચયથી ‘‘જાણનાર......જાણનાર....જણાય છે’’ એમ ન જાણતાં જાણનારની પર્યાય વર્તમાન કર્મબંધને વશ થઈ (સ્વતંત્રપણે વશ થઈ) પર સાથે રાગ અને પુણ્યના વિકલ્પો સાથે એકપણાનો અધ્યાસ -નિર્ણય કરે છે. હું રાગ જ છું એમ માને છે છતાં એકપણે થતો નથી. રાગ અને અત્મા વચ્ચે સંધિ (સાંધ-તડ) છે. રાગનો વિકલ્પ અને જ્ઞાનપર્યાય એ બે વચ્ચે સંધિ છે. એ બે એક થયા નથી. પણ બન્નેના એકપણાના નિશ્ચયથી મૂઢ અજ્ઞાની તેને જે રાગનો વિકલ્પ ઊઠે છે એને વશ થઈને તે હું છું એમ પર પદાર્થ જે રાગાદિ તેને પોતાના માને છે, પરંતુ રાગથી ભિન્ન અનુભવરૂપ પોતાની ચીજ જુદી એ એનું ભાન નહિ હોવાથી આ જાણનાર જણાય છે તે હું છું એમ માનતો નથી.
૫) જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયકપણે જ રહ્યો છે છતાં અજ્ઞાની બીજી રીતે હું રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે.
૬) ભગવાન આત્મા જ્ઞાયકજ્યોતિ ધ્રુવ વસ્તુ છે. એ તો જાણન સ્વભાવે, પરમ પારિણામિકભાવે, સ્વભાવ ભાવરૂપે જ ત્રિકાળ છે. રાગ સાથે દ્રવ્ય એકપણે થયું નથી. પણ જાણનાર તેમાં જણાય છે તે જ્ઞાનપર્યાય લંબાઈને અંદર જતી નથી. જાણનાર સદા પોતે જણાઈ રહ્યો છે એવી જ્ઞાનની પર્યાય થઈ રહી હોવા છતાં આ અંદર જાણનાર તે હું છું અર્થાત્ આ જ્ઞાનની પર્યાય જણાય છે તે હું છું એમ અંદરમાં ન જતાં કર્મને-રાગને વશ પડ્યો થકો બહારમાં જે રાગ જણાય છે તે હું છું એમ માને છે. ૭) આ જાણાના....જાણનાર....જાણનાર આ જે જાણનક્રિયા દ્વારા જણાય છે તે હું એમ અંતરમાં ન જતાં, જાણવામાં આવે છે જે રાગ તેને વશ થઈ રાગ તે હું એમ અજ્ઞાનીએ માન્યું તેથી આ અનુભૂતિમાં જણાય છે તે જ્ઞાયક હું એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી.
૮) ભાઈ ! બહારથી એમ કલ્પી લે દયા પાળો, વ્રત કરો અને આ કરો, તે કરો, પણ ભાઈ ! કોણ રાગનો કર્તા થાય ? કર્તાપણાની બુદ્ધિ એ તો મિથ્યાત્વ છે, જ્ઞાનસ્વભાવી ચૈતન્યસૂર્ય ભગવાન અચેતન એવા રાગને કેમ કરે ? જો જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યસૂર્ય અચેતન એવા શુભાશુભભાવપણે થાય તો ચેતન અચેતન થઈ જાય. પણ એમ કદીયે બનતું નથી. જે કાંઈ થાય છે તે બધી ભ્રમણા છે. ભ્રમણા એ ખોટી માન્યતા મિથ્યાત્વ છે. આત્મજ્ઞાન ઉદય થતું નથી તેથી તેનું શ્રદ્ધાન પણ ઉદય થતું નથી એટલે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી.
૯) આ રીતે વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ જાણવાથી - શ્રદ્ધવાથી સમ્યગ્દર્શન-આત્માનુભૂતિ થાય છે. આ જ સમ્યગ્દર્શન પ્રગટ કરવાની રીત છે.