SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે “મિથ્યાત્વ મોહનીય'. ઉન્માર્ગથી મોક્ષ થાય નહિ માટે માર્ગ બીજો કોઈ હોવો જોઈએ એવો જે ભાવ તે “મિશ્ર મોહનીય'. આત્મ આ હશે?' તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વ મોહનીય'. આત્મા આ છે' એવો નિશ્ચય ભાવ તે સમ્યકત્વ. ૯. “જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. ‘દર્શન” એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ‘ચારિત્ર' એટલે આત્મસ્થિર થાય તે. ૧૦. ચૌદગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે, અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાંતિ પ્રગટે અને ચૌદે પહલ પાડતા છેવટે હીરાની સંપૂર્ણ સ્પષ્ટ કાંતિ પ્રગટે. આ જ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે. ૧૧. જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું એમ વિચારવું, બાવવું. નિર્મળ, અત્યંત નર્મળ, પરમ શુદ્ધ, ચૈતન્ય ઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે “આત્મા” છે. જે સર્વને જાણે છે તે આત્મા છે'. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મ' છે. ઉપયોગમય “આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ “આત્મા છે. ૧૨. “આત્મ છે” આત્મા અત્યંત પ્રગટ છે, કેમ કે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અવિનાશી હોવાથી આત્મા નિત્ય છે. ભ્રાંતિપણે પરભાવનો કર્તા છે. તેના ફળનો ‘ભોક્તા છે'. ભાન થયે ‘સ્વભાવ પરિણામી છે.” આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે : ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ, વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” સર્વથા સ્વભાવ પરિણામ તે “મોક્ષ છે', વળી આગળ કહ્યું છે : “છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ નહિ ભોક્તા તું તેહનો એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.” સદ્ગુરુ, સત્સંગ, સલ્લાસ્ત્ર, સવિચાર અને સંયમાદિ તેના ‘સાધન છે. આત્માના અસ્તિત્ત્વથી માંડી નિર્વાણ સુધીના આ છ પદ સાચા છે, અત્યંત સાચા છે. કેમ કે એવું જ પ્રગટ અનુભવમાં આવે છે. ભ્રાંતિપણે આત્મા પરભાવનો કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભોગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીના ન્યૂનાધિક પર્યાય ભોગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે. ૧૩. નિજ સ્વભાવમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન’ છે. “કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ તે કેવળજ્ઞાન.” તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે “સમ્યકત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે “ક્ષાયિક સમ્યકત્વ' કહીએ છીએ. કવચિત
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy