________________
કરતો નથી. જેમ આખા કુટુંબને ઓળખવું હોય તો પહેલાં એક જણને ઓળખો તો બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યકત્વનું ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણોરૂપી કુટુંબનું ઓળખાણ થાય. સમ્યકત્વ સર્વોત્કૃષ્ટ સાધન કહ્યું છે. બહારની વૃત્તિઓ ઘટાડી અંતર પરિણામ કરે, તો સમ્યત્વનો માર્ગ આવે, ચાલતાં ચાલતાં ગામ આવે, પણ વગર ચાલ્ય ગામ સામું ન આવે. જીવને યથાર્થ સત્પષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી.
“ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” ૩. જીવને સમજાય તો સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી
ખરેખરો લક્ષ આપ્યો નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાને જીવને જ્યારે જગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર
ધ્યાન આપ્યું નથી. આજે પણ એ જ અભિગમ ઊભો છે. ૪. વિચાર વિના જ્ઞાન નહિ. જ્ઞાન વિના સુપ્રતીતિ એટલે સમ્યકત્વ નહિ, સમ્યકત્વ વિના ચારિત્ર ન
આવે અને ચારિત્ર ન આવે ત્યાં સુધી કેવળજ્ઞાન ન પામે, અને જ્યાં સુધી કેવળજ્ઞાન ન પામે ત્યાં
સુધી મોક્ષ નથી; એમ જોવામાં આવે છે. ૫. જીવ પહેલાં ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. આગળ જવા વિચાર કરતો નથી. પહેલાથી
આગળ શી રીતે વધી શકાય, તેના શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો તેનો વિચાર પણ કરતો નથી, અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે તેરમું આ ક્ષેત્રે અને આ કાળે પ્રાપ્ત થતું નથી. આવી આવી ગહન વાતો જે પોતાની શક્તિ બહારની છે, તે તેનાથી શી રીતે સમજી શકાય ? અર્થાત્
પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે તે ન જ સમજી શકાય. ૬. મિથ્યાત્વ પ્રકૃત્તિ ખપાવ્યા વિના સમ્યકત્વ આવે નહિ. સમ્યકત્વ પ્રાપ્ત થાય તેની દશા અદ્ભૂત વર્તે.
એ ચોથું ગુણસ્થાનક છે. ત્યાંથી પાંચમે, છઠે, સાતમે, આઠમે જઈ શ્રેણી માંડી બે ઘડીમાં મોક્ષ થઈ શકે છે. આપણી પાસે ભરત ચક્રવર્તીનો દાખલો છે. એક સમ્યકત્વ પામવાથી કેવું અદ્ભુત કાર્ય બને
છે! આથી સમ્યત્વની ચમત્કૃતિ અથવા તેનું માહાત્મ કોઈ અંશે સમજી શકાય તેમ છે. ૭. સમકિતી એટલે મિથ્યાત્વ મુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુત્ત, અને સિદ્ધ
એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત.. ૮. મિથ્યાત્વની ગ્રંથિ છે તેની સાત પ્રકૃત્તિ છે. માન આવે એટલે સાતેય આવે, તેમાં અનંતાનુબંધીની
ચાર પ્રકૃત્તિ ચક્રવર્તી સમાન છે. તે કોઈ રીતે ગ્રથિમાંથી નીકળવા દે નહિ. મિથ્યાત્વ રખેવાળ છે. આખું જગત તેની સેવા ચાકરી કરે છે. મિથ્યાત્વનું સામ્રાજ્ય ચારે તરફ ફેલાયેલું છે. સાત પ્રકૃત્તિનો ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમકિત મોહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રગટે.
સપુરુષ મળે જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય છે. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાય છે.