SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ કરે છે. બીજી રીતે કહીએ તો દ્રવ્ય અભેદ અખંડ વસ્તુ છે તેમાં ભેદ કે રાગ નથી. તેને વ્યવહાર નય પ્રગટ કરતો હોવાથી તેને અભૂતાર્થ કહ્યો છે. અભૂત અર્થને પ્રગટ કરે છે એવો વ્યવહાર નય ચાર પ્રકારે છે : ૧) વ્યક્ત રાગ ઃ જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ તે અસદ્ભુત ઉપચરિત વ્યવહાર નયનો વિષય. આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સત્ સ્વરૂપમાં નથી તેથી અસદ્ભૂત છે. ભેદ પાડ્યો તેથી વ્યવહાર છે. અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. આ રીતે રાગને આત્માનો કહેવો એ ઉપચરિત અસદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે. ૨) અવ્યક્ત રાગ : જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી તે અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર નયનો વિષય છે. ૩) ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નયઃ આત્મા અખંડ જ્ઞાનસ્વરૂપ છે. તેમાં આત્માનું જ્ઞાન રાગને જાણે, પરને જાણે એમ કહેતાં તે જ્ઞાન પોતાનું હોવાથી સદ્ભુત, ત્રિકાળમાં ભેદ પાડ્યો માટે વ્યવહાર અને જ્ઞાન પોતાનું હોવા છતાં પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આ રીતે ‘રાગનું જ્ઞાન’ એમ કહેવું (અર્થાત્ જ્ઞાન રાગને જાણે છે એમ કહેવું)તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય છે. રાગને જાણનારું જ્ઞાન તે વસ્તુમાં નથી. ૪) અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નય : ‘જ્ઞાન તે આત્મા’ એમ ભેદ પાડીને કથન કરવું તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નય છે. ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેતાં ભેદ પાડ્યો તે વ્યવહાર પણ તે ભેદ આત્માને બતાવે છે માટે તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નય છે. ભગવાન આત્મા અભેદ એકરૂપ વસ્તુ છે. તે ભૂતાર્થ છે. વ્યવહાર નયના ઉપરોક્ત ચારેય પ્રકાર ત્રિકાળી જ્ઞાયકમાં નહિ હોવાથી અસત્યાર્થ છે, જુઠા છે. વળી ધ્રુવ આત્મા અને વર્તમાન પર્યાય બન્નેને સાથે લઈએ તો પણ વ્યવહાર નય - અશુદ્ધ નયનો વિષય થઈ જાય છે. તેથી તે પણ અભૂતાર્થ - અસત્યાર્થ છે. એકાકાર જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિથી જ્યાં નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન પ્રગટ્યાં, તે રાગાદિથી ભિન્નતા જાણી, ત્યાં સાધક દશામાં ઉપર મુજબ જે જે વ્યવહાર હોય છે તેને જ્ઞાની પોતાના શેયનું બનાવે છે. જો કે દષ્ટિ તો જ્ઞાયક સ્વભાવ ઉપર જ પડી છે, પણ ‘પર્યાયમાં વ્યવહાર છે જ નહિ, રાગ છે જ નહિ’ એમ નથી માનતા, તેમ જ તે વ્યવહારને પરમાર્થમાં પણ ખતવતાં નથી, એટલે કે તે વ્યવહારના અવલંબનથી લાભ માનતાં નથી, તેને જ્ઞાનમાં શેયપણે જેમ છે તેમ જાણે છે. અહીં જ્ઞાયક સન્મુખ જ્ઞાનના ક્રમમાં રહીને રાગના ક્રમને પણ જેમ છે તેમ જાણે જ છે, પરંતુ જ્ઞાયકની અધિકતામાં તે રાગનો પણ અકર્તા જ છે; આવા શાયક સ્વભાવની દૃષ્ટિ તે ધર્મનો મૂળ પાયો છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy