SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ ૬) મારા સ્વભાવમાં ઊણી દશા કે વિકાર નથી' એમ પરિપૂર્ણ સ્વભાવને જે જ્ઞાન લક્ષમાં લે છે, તે જ્ઞાન નિશ્ચય છે. અને પરિપૂર્ણ સ્વભાવનું ભાન હોવા છતાં પર્યાયમાં અપૂર્ણતા અને વિકાર છે તેને લક્ષમાં લ્ય, તે જ્ઞાન વ્યવહાર છે. ૭) નિશ્ચય અને વ્યવહાર બન્નેનું જ્ઞાન ભેગું કરવું તે પ્રમાણ છે. નિશ્ચય અને વ્યવહારનું જ્ઞાન ભેગું કરવું એનો અર્થ એવો છે કે : નિશ્ચય સ્વભાવ છે તે જ મારું સ્વરૂપ છે અને અપૂર્ણતારૂપ વ્યવહાર છે ખરો પણ તે મારું સ્વરૂપ નથી - એમ જાણવું તે પ્રમાણ છે. ૮) સ્વને જાણવું તે નિશ્ચય અને પરને (તેમજ પરલક્ષે થતાં ભાવોને) જાણવું તે વ્યવહાર, તેમાંથી નિશ્ચયજ્ઞાનમાં જે જણાયું તે હું અને વ્યવહારજ્ઞાનમાં જે જણાયું તે હું નહિ, એમ સમજવું તે પ્રમાણ છે. ૯) નિશ્ચય સ્વભાવ તે જ ઉપાદેય છે. શુદ્ધોપયોગ જ ઉપાદેય છે. શુભ વિકલ્પ વગેરે નિમિત્ત તરીકે વચ્ચે હોય ખરા પરંતુ તે સાચું સાધન નથી પણ બંધન છે, માટે હેય છે. આમ જાણનાર જ્ઞાન પ્રમાણ છે. પરંતુ નિશ્ચય અને વ્યવહાર બન્નેના વિષયને સમાનપણે માને તો તે જ્ઞાન પ્રમાણ નથી, પણ મિથ્યા છે. ૧૦) નિશ્ચયજ્ઞાન એકલા સ્વભાવને જ લક્ષમાં લેતું હોવાથી સ્વલક્ષે વિકલ્પ થતો નથી અને તેથી બંધન પણ થતું નથી, માટે નિશ્ચય ઉપાદેય છે. વ્યવહારજ્ઞાનનું લક્ષ પર ઉપર છે અને પર ઉપરના લક્ષથી રાગ થાય છે તેથી પર ઉપરનું લક્ષ કરનાર જ્ઞાન હેય છે. પરલક્ષે વિકલ્પ આવ્યા વગર રહેતો નથી અને વિકલ્પથી બંધન જ થાય છે. માટે વ્યવહાર છોડવો યોગ્ય જ છે. ૧૧) નિશ્ચયજ્ઞાન શુદ્ધ ચૈતન્યનું જ ગ્રહણ કરીને સમસ્ત અશુદ્ધ ભાવોને છોડે છે તેથી જ મુક્તિનું નિશ્ચય સાધન છે. અને વ્યવહારજ્ઞાનનું લક્ષ પર ઉપર હોવા છતાં તે જ્ઞાન સાચું હોવાથી તેને વ્યવહાર સાધન કહેવાય છે. ૧૨) સ્વભાવ તરફ એકાગ્ર થતું જ્ઞાન તે જ પરમાર્થે મોક્ષનું કારણ છે. જે જ્ઞાને જુદા સ્વરૂપને જાણવાનું કાર્ય કર્યું તે જ જ્ઞાન જુદા સ્વરૂપમાં સ્થિરતાનું કાર્ય કરે છે. આ રીતે નિશ્ચયસાધન અને વ્યવહારસાધન બન્ને જ્ઞાનમાં જ સમાય છે. પરંતુ નિશ્ચયસાધન આત્મામાં અને વ્યવહાર સાધન પરમાં એમ નથી. જ્ઞાનથી જ મોક્ષ થાય છે. જ્ઞાનનો પુરુષાર્થ કરવો તે જ જિજ્ઞાસુઓનું કર્તવ્ય છે. ૧૮. સાધક દશામાં વ્યવહારનું યથાર્થ જ્ઞાન જ્ઞાયક સ્વભાવ ઉપર દષ્ટિ રાખીને સાધક જીવ વ્યવહારને પણ જેમ છે તેમ જાણે છે. ક્રમબદ્ધ પર્યાયના યથાર્થ જ્ઞાનમાં વ્યવહારનું પણ જ્ઞાન આવી જાય છે. વ્યવહાર નય બધો ય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. વ્યવહારનય અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે. જે વસ્તુના સ્વરૂપમાં નથી તેને વ્યવહાર નય પ્રગટ કરે છે માટે તે અભૂતાર્થ છે. અભેદ વસ્તુમાં ભેદ નથી છતાં એવા અવિદ્યમાન અર્થને વ્યવહાર નય પ્રગટ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy