________________
૩૩૧
જોઈએ. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે અને એનો ઉપદેશ પણ બહુધા સર્વ પ્રાણીઓ પરસ્પર કહે છે.
જિનવાણીમાં તો વ્યવહાર નયનો ઉપદેશ શુદ્ધ નયનો હસ્તાવલન (સહાયક) જાણી બહુ કર્યો છે, પરંતુ તેનું ફળ સંસાર જ છે. શુદ્ધ નયનો પક્ષ તો આવ્યો જ નથી અને તેનો ઉપદેશ પણ વિરલ છે. શાસ્ત્રોમાં કોઈ કોઈ ઠેકાણે જ છે. તેથી ઉપકારી શ્રીગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જાણી તેનો ઉપદેશ પ્રધાનતાથી આપ્યો છે :
શુદ્ધ નય ભૂતાર્થ છે, સત્યાર્થ છે; એનો આશ્રય કરવાથી (જીવ) સમ્યગ્દષ્ટિ થઈ શકે છે; એને જાણ્યા વગર જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે ત્યાં સુધી આત્માનું જ્ઞાન-શ્રદ્ધાનરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ શકતું નથી.”
નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરુદ્ધ છે - એથી વ્યવહાર ધર્મ કરતાં નિશ્ચય ધર્મ પ્રગટ થાય - તો તે માન્યતા ઠીક નથી. બન્નેને ઉપાદેય માનવા તે ભ્રમ છે. ૧૬. સમ્યગ્દર્શન પ્રગટ થયું ન હોય ત્યાં સુધી જીવે શું કરવું?
દેખે પરમ જે ભાવ તેને શુદ્ધ નય જ્ઞાતવ્ય છે;
અપરભાવે સ્થિતને વ્યવહારનો ઉપદેશ છે.” -સમયરાર ગાથા ૧૨. હવે એ વ્યવહાર નય કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનવાન છે. સર્વથા નિષેધ કરવા યોગ્ય નથી તેથી તેનો ઉપદેશ છે. ગાથાર્થ: જે શુદ્ધ નય સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્ણ જ્ઞાન-ચારિત્રવાન થઈ ગયા તેમને તો શુદ્ધ (આત્મા)નો ઉપદેશ (આજ્ઞા) કરનાર શુદ્ધ નય જાણવા યોગ્ય છે; વળી જે જીવો અપરમભાવે અર્થાત્ શ્રદ્ધા તથા જ્ઞાન-ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા, સાધક અવસ્થામાં જ સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવા યોગ્ય છે. ભાવાર્થ જીવ નામનો પદાર્થ છે. તે પુગલના સંયોગથી અશુદ્ધ અનેકરૂપ થઈ રહ્યો છે. તેના, સર્વ પરદ્રવ્યોથી ભિન્ન એક જ્ઞાયકપણામાત્રનું જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણરૂપ પ્રાપ્તિ એ ત્રણે જેમને થઈ ગયા તેમને તો પુદ્ગલ સંયોગજનિત અનેકરૂપપણાને કહેનારો અશુદ્ધ નય કાંઈ પ્રયોજનવાન (કોઈ મતલબનો) નથી; પણ જ્યાં સુધી શુદ્ધ ભાવની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી જેટલું અશુદ્ધ નયનું કથન છે તેટલું યથાપદવી પ્રયોજનવાળું છે.
જ્યાં સુધી યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાનની પ્રાપ્તિરૂપ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી તો જેમનાથી યથાર્થ ઉપદેશ મળે છે એવાં જિનવચનોનું સાંભળવું, ધારણ કરવું, શ્રી જિનગુરુની ભક્તિ, જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે.
જેમને શ્રદ્ધાન-જ્ઞાન તો થયા છે પણ સાક્ષાત પ્રાપ્તિ થઈ નથી તેમને પૂર્વ કથિત કાર્ય, પારદ્રવ્યનું આલંબન છોડવારૂપ અણુવ્રત, મહાવ્રતનું ગ્રહણ, સમિતિ, ગતિ, પંચ પરમેષ્ઠીના ધ્યાનરૂપ પ્રવર્તન,