________________
૩૨૯ ૧૩. “નિશ્ચય નય -શુદ્ધ નય ભૂતાર્થ છે” એ સંબંધી ગાથા સૂત્રઃ
“વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત, શુદ્ધ નય ભૂતાર્થ છે;
ભૂતાર્થને આશ્રિત જીવ સુદષ્ટિ નિશ્ચય હોય છે.” -સમયસાર ગાથા ૧૧. ગાથાર્થ વ્યવહાર નય અભૂતાર્થ છે અને શુદ્ધ નય ભૂતાર્થ છે એમ ઋષીશ્વરોએ દર્શાવ્યું છે, જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. વિશેષ વ્યવહાર નય અભૂતાર્થ એટલે અસત્ય છે, જૂઠો છે અને નિશ્ચય નય ભૂતાર્થ એટલે સત્ય સાચો છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે તે જીવ નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. ત્રિકાળી પૂર્ણ આનંદ સ્વરૂપ જે જ્ઞાયકભાવ, છતો પદાર્થ, શાશ્વત ચીજ આત્મા છે તે ભૂતાર્થ છે. જે જીવ તેનો આશ્રય કરે એટલે કે તેની સન્મુખ થાય તે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ છે. કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમ કે એ કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ અનંત, અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણ-ગુણીના ભેદ નથી - એવા અભેદની દષ્ટિ કરવી, આશ્રય કરવો તે સમ્યગ્દર્શન છે.
અંદર આત્મા ત્રિકાળી એકરૂપ અભેદ જ્ઞાયક છે તેનો દષ્ટિમાં જ્યાં સુધી સ્વીકાર આવે નહિ ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી. - અનંત ગુણોનો અભેદ પિંડ એક ધુવ આત્માનો આશ્રય લઈ એની પ્રતીતિ કર તે સમ્યગ્દર્શન છે. તે જૈન ધર્મ છે. એ વસ્તુનું સ્વરૂપ છે.
આત્માને તેની સન્મુખ થઈને જાણવો તેનું નામ સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ ભગવાને જે પ્રત્યક્ષ જોયો, જાણ્યો, અનુભવ્યો અને દિવ્યધ્વનિમાં કહ્યો એ ત્રિકાળી સત્ ચૈતન્ય સ્વરૂપ પરમ બ્રહ્મ સ્વરૂપ આનંદકંદઆત્મા ભૂતાર્થ છે. તેનો આશ્રય કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મનું પહેલું પગથિયું,
તે સમ્યગ્દર્શન છે. ૧૪. સમ્યગ્દર્શન સંબંધી થોડું વિશેષ: ૧) વર્તમાન પર્યાય સ્વતંત્રપણે કર્તા થઈને રાગનું લક્ષ છોડી અંતરમાં
સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાયક પૂર્ણાનંદ તરફ વળે, ઢળે તેને આશ્રય કહે છે. દ્રવ્યની પ્રાપ્તિ થાય છે તે પર્યાયમાં થાય છે. અનાદિથી પર્યાય રાગની પ્રાપ્તિમાં પડી છે એ મિથ્યાત્વ છે. ત્યાં જે જ્ઞાનની પર્યાય અંતર વળીને અંદર જ્ઞાયકની સન્મુખ થાય, સત્ પૂર્ણાનંદની તરફ ઢળે તે આત્માની પ્રાપ્તિ છે, તે સમ્યગ્દર્શન છે. પરનું લક્ષ છોડી વર્તમાન પર્યાય ત્રિકાળી ભૂતાર્થ સત્ નિજ જ્ઞાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે તેને ભગવાન અહિંસા કહે છે. ૨) આત્માનો પરમ સ્વભાવ સત્ છે. તે સને લક્ષમાં લઈ તેનો પક્ષ કરી, તેના અભ્યાસમાં દક્ષ થઈ, તેને સ્વાનુભવથી પ્રત્યક્ષ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૩) વ્યવહારના અનેક પ્રકારો છે કેમ કે તેમાં સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત છે ને કર્મ અને રાગ સાથે ભેળસેળવાળા અનેક ભાવો અનુભવાય છે. જ્યારે નિશ્રચયનો પ્રકાર એક જ છે, તેમાં સહજ