________________
૩૨૭ વ્યવહાર નય સ્વદ્રવ્ય-પદ્રવ્યને અથવા તેના ભાવોને અથવા કારણ - કાર્યાદિને કોઈના કોઈમાં મેળવી નિરુપણ કરે છે. વ્યવહાર નય એટલે કે વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પરવસ્તુ સાથનો સંબંધ બતાવવા માટે કથન હોય - જ્યાં વ્યવહારથી કથન હોય ત્યાં ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિ બતાવવા ઉપચારથી તે કથન છે' એમ સમજવું.
નિશ્ચય નયના શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે માટે તેનું શ્રદ્ધાન કરવું. વ્યવહાર જ્યના શ્રદ્ધાનથી મિથ્યાત્વ પુષ્ટ થાય છે માટે તેનો ત્યાગ કરવો. ૫. જ્ઞાન બન્ને નયોનું કરવું પણ તેમાં પરમાર્થે આદરણીય નિશ્ચય નય છે એમ શ્રદ્ધા કરવી. શાસ્ત્રમાં બન્ને
નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તે કઈ રીતે ? બન્ને નયોના કથનનો અર્થ કરવો તે બન્ને જ્યોનું ગ્રહણ છે. બન્નેને આદરવા લાયક ગણવા તે ભ્રમ છે. સત્યાર્થીને જ આદરવા લાયક ગણવું.
બન્ને નયોના કથનને સત્યાર્થ જાણવું અર્થાત્ “આ પ્રમાણે છે તથા આ પ્રમાણે પણ છે એમ માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહાર કથનને સત્યાર્થ ન જાણવું,
પણ નિમિત્તાદિ બતાવનારું કથન છે એમ સમજવું. ૬. નિશ્ચયાભાસીનું સ્વરૂપ જે જીવ આત્માના ત્રિકાળી સ્વરૂપને સ્વીકારે પણ વર્તમાન પર્યાયમાં પોતાને
વિકાર છે તેમ ન સ્વીકારે તે નિશ્ચયાભાસી છે. તેને શુષ્ક જ્ઞાની પણ કહેવામાં આવે છે. ૭. વ્યવહારભાસીનું સ્વરૂપ જીવને શુભ ભાવથી ધર્મ થાય એમ સ્વીકારે પણ જીવના ત્રિકાળી શુદ્ધ
સ્વભાવને ન સ્વીકારે અને તેથી તે તરફ પોતાનું વલણ ન ફેરવે તે વ્યવહારાભાસી છે. તેને કિયાડ પણ કહેવામાં આવે છે. શરીરની ક્રિયાથી ધર્મ થાય એમ માને છે તો વ્યવહારાભાસથી પણ ઘણે દૂર
૮. સમ્યગ્દષ્ટિના નયોઃ સમસ્ત સાચી વિદ્યાના મૂળરૂપ પોતાના ભગવાન આત્માના સ્વભાવને પ્રાપ્ત
થવું. આત્માના સ્વભાવની ભાવનામાં જોડાવું અને આત્મસ્વભાવમાં સ્થિરતા વધ રવી તે સમ્યક અનેકાન્ત દષ્ટિ છે. સમ્યગ્દષ્ટિ જીવ પોતાના એકરૂપ - ધ્રુવ સ્વભાવરૂપ આત્માનો આશ્રય કરે છે તે તેનો નિશ્ચય સુનય છે અને અચલિત ચૈતન્યવિલાસરૂપ આત્મવ્યવહાર (શુદ્ધ પર્યાય) જે પ્રગટ થાય
છે તે તેનો વ્યવહાર સુય છે. ૯. બીજી રીતે નયના પ્રકારઃ બીજી રીતે નય ‘રાગવાળા” તથા “રાગ વગરના” એમ બે પ્રકારના છે. તેમાં
આગમનો પ્રથમ અભ્યાસ કરતાં નયોનું જે જ્ઞાન થાય છે તે રાગ સહિત નય છે; ત્યાં તે રાગ હોવા છતાં રાગથી ધર્મ નથી એમ જીવ માને તો તે નયનું જ્ઞાન સાચું છે, પણ રાગથી ધર્મ થાય એમ માને તો તે જ્ઞાન નયાભાસ છે. બન્ને નયોનું સાચું જ્ઞાન કર્યા પછી પોતાની પર્યાય ઉપરનું લક્ષ છોડી પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તરફ જીવ લક્ષ કરે ત્યારે સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવ પ્રગટે છે. તેથી તે નય રાગ રહિત નય છે; તેને શુદ્ધ નયનો આશ્રય અથવા શુદ્ધ નયનું અવલંબન પણ કહેવામાં આવે છે; તે દશાને નયાતિક્રાંત પણ કહેવામાં આવે છે, તેને જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે અને આત્માનો અનુભવ’ તેને જ કહેવામાં આવે છે.