SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૫ પર્યાયદષ્ટિ છે. પર્યાયદષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી પૂર્ણ આત્માનો અનુભવ થતો નથી. માટે પર્યાય પરથી દષ્ટિ ઉઠાવી લઈ પૂર્ણાનંદની સત્તાનું એક અખંડ અભેદ વસ્તુનું અવલંબન લઈ અતીન્દ્રિય આનંદ પ્રગટ કરવો એ જ પ્રયોજન છે. આ સમ્યગ્દર્શનની રીત છે. ૧૯૧ પ્રત્યેક આત્માનો દ્રવ્યસ્વભાવતો ત્રિકાળ આવો જ એકરૂપ છે. જે ભગવાન થયા તે આવા આત્માનો પૂર્ણ આશ્રય કરી પૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરીને થયા. શુદ્ધોપયોગ વડે જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો - અનુભવવો એને ભગવાને જૈન શાસન કહ્યું છે. આ જૈન શાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહિ. આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર શુદ્ધોપયોગ એ જ જૈન શાસન છે, પરમેશ્વરનો માર્ગ છે. ૧૯૨ બાર અંગરૂપી વીતરાગની વાણીનો આ જ સાર છે કે શુદ્ધાત્માનો અનુભવ કર. દ્રવ્યકૃત વાચક છે, અંદર ભાવશ્રુતજ્ઞાન તેનું વાચ્ય છે. દ્રવ્યશ્રુત અબદ્ધસ્કૃષ્ટ આત્માના સ્વરૂપને નિરૂપે છે, ભાવકૃત અબદ્ધસ્પષ્ટ આત્માનો અનુભવ કરે છે.. ૧૯૩ વીતરાગી શુદ્ધાત્માને અનુસરીને જે અનુભવ થાય એ અનુભૂતિ મોક્ષમાર્ગ છે. સર્વજ્ઞ સ્વભાવનો અનુભવ જે શુદ્ધોપયોગ એ જૈન શાસન છે, જૈમ ધર્મ છે. જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. ૧૯૪ જૈન શાસન એ તો શુદ્ધોપયોગમય વીતરાગ પરિણતિ છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રય પરિણતિ એ શુદ્ધોપયોગમય વીતરાગી પરિણતિ છે. એ જૈન ધર્મ છે, જૈન શાસન છે. આત્મપદાર્થનું વેદન અનુભવ - પરિણતિ એ જૈન શાસન - જૈન મત છે. ૧૯૫ ભાવઘુતમાં જે ત્રિકાળી વસ્તુ જણાઈ તે વીતરાગ સ્વરૂપ છે, અને એની અનુભૂતિ પ્રગટ થઈ એ પણ વીતરાગ પરિણતિ છે. ભગવાન આત્મા ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે, એનો પર્યાયમાં અનુભવ થયો તે ભાવકૃતજ્ઞાન છે, શુદ્ધોપયોગ છે. એ આત્માની જાત હોવાથી આત્મા જ છે. અનુભૂતિમાં પૂરા આત્માનો નમૂનો આવ્યો માટે તે આત્મા જ છે. તેથી દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કહો એક જ ચીજ છે. સર્વજ્ઞ સ્વભાવી જ્ઞ સ્વભાવી આત્મા એકલો જ્ઞાનસ્વભાવી છે અને એની અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ જ છે. ૧૯૬ આત્માનો સ્વાદ તો અનાકુળ આનંદમય જ છે. वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ વસ્તુ જે જ્ઞાયક સ્વરૂપ છે તેને જ્ઞાનમાં લઈ અંતરમાં ધ્યાન કરે છે તેને મનના વિકલ્પો - રાગ વિશ્રામ ન પામે છે, હટી જાય છે. મન શાંત થઈ જાય છે. ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે છે. પરિણામ અંતર્નિમગ્ન થતાં અનાકુળ સુખનો સ્વાદ આવે છે તેને અનુભવ અર્થાત્ જૈનશાસન કહે છે. ૧૯૭ પાંચ દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો અને ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો ત્રણેને જીતીને એટલે કે તેમના
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy