SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૩ એકપણામાં અનંતપણું-ખંડપણું થઈ જાય છે એમ નથી, છતાં શેયના ભેદથી જ્ઞાનમાં ખંડ-ભેદ માલૂમ પડવો તે વિકલ્પ છે. આવા સંકલ્પ-વિકલ્પથી ભગવાન આત્મા ભિન્ન છે. સમ્યગ્દર્શન થતાં અર્થાત્ પૂર્ણ સ્વરૂપનો અનુભવ થતાં સંકલ્પ-વિકલ્પ નાશ પામી જાય છે. આવા આત્મસ્વભાવને પ્રગટ કરતો શુદ્ધ નય ઉદય પામે છે. આ છે સમ્યગ્દર્શન ! ૧૮૧ નિશ્ચયથી આ જ્ઞાયકભાવ સ્વરૂપ આત્મા અબલ્વસ્પષ્ટ છે. અબદ્ધ કહેતાં રાગ અને કર્મના બંધથી રહિત છે તથા અસ્પૃષ્ટ કહેતાં જે વિસસા પરમાણુઓ (કર્મ બંધાવાને યોગ્ય પરમાણુઓ જે એક ક્ષેત્રાવગાહી છે) તેના સ્પૃશથી રહિત છે. વળી તે અનન્ય છે. અનેરી અનેરી જે નર-નારકાદિ પર્યાયો તેથી રહિત છે. વળી તે નિયત છે. જ્ઞાન અને બીજા અનંત ગુણોની પર્યાયોમાં હીન અધિકપણું થાય છે તે અનિયત છે, એનાથી રહિત ભગવાન આત્મા નિયત છે. જ્ઞાન, દર્શન, આનંદ આદિ ગુણોના જે વિશેષો-ભેદો એ દ્રવ્ય સામાન્યમાં નથી તેથી અવિશેષ છે. તથા કર્મના નિમિત્તથી જે વિકારી શુભાશુભ ભાવો પર્યાયમાં ઉત્પન્ન થાય છે એનાથી ભગવાન આત્મા અસંયુક્ત છે, સંબંધ રહિત છે. એવા ત્રિકાળી વસ્તુ તરફ નિર્મળ જ્ઞાનની પર્યાય ઝૂકે છે ત્યારે તેનો અનુભવ થાય છે. એને શુદ્ધોપયોગ કહે છે. ઉપરોક્ત અબદ્ધસૃષ્ટાદિ જે પાંચ ભાવો સહિત જે એકરૂપ શુદ્ધ વસ્તુ તે શુદ્ધના અનુભવને તું શુદ્ધ નય જાણ! ૧૮૨ આત્માની અનુભૂતિ તે શુદ્ધ નય છે. સામાન્ય, એક ધ્રુવ ચૈતન્ય સ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ થયો એ શુદ્ધ નય છે. એક ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધ નય છે. અને એ અનુભૂતિ એ આત્મા જ છે. ૧૮૩ દ્રવ્યસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો આત્મા પુદ્ગલથી કિંચિતમાત્ર સ્પર્શાયેલો નથી. અવસ્થા દષ્ટિ છોડીને આત્માના એક ત્રિકાળી સ્વભાવનું લક્ષ કરતાં, પર્યાયની રુચિમાં સ્વભાવથી દૂર હતો તે સ્વભાવની સમીપ થયો. એ સ્વભાવની સમીપ થઈને અનુભવ કરતાં બદ્ધ - સ્પષ્ટપણું જુદું છે. આમાં ધર્મ શું આવ્યો ? તો અવસ્થા છોડીને ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિ કરી તેમાં એકાગ્ર થતાં ભૂતાર્થનો અનુભવ થાય છે અને તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આ ધર્મ છે ભાઈ ! બાકી દયા પાળો, વ્રત કરો, ઉપવાસ કરો ઇત્યાદિ ધૂળેય નથી. એ તો બધો રાગ છે. ૧૮૪ વસ્તુનું જ્ઞાન ન્યૂનતા, અધિકતા અને વિપરીતતા રહિત યથાર્થ હોય તે સત્ય છે, તે સમ્યજ્ઞાન છે અને તે સમ્યગ્દર્શન સહિત હોય છે. ખાલી શાસ્ત્રનું ભણતર તે સમ્યજ્ઞાન નથી. ભગવાન આત્મા પૂર્ણ, પૂર્ણસ્વરૂપે અંદરમાં છે. અત્યારે જ છે, હમણાં અહીં અંદર પડ્યો છે. જે શક્તિરૂપે છે તે વ્યક્તરૂપે પ્રગટ થાય છે. એવા ત્રિકાળી સ્વભાવ ઉપર લક્ષ દેતાં વર્તમાન અવસ્થા ગૌણ થઈ જાય છે. ૧૮૫ ધ્રુવ, નિશ્ચલ નિત્યાનંદ સ્વભાવ ભગવાન આત્માની સમીપ જઈને - એટલે પર્યાયગત હીન
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy