SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ પણ એ આશ્રય કરવા લાયક નથી. કેમ કે નવ તત્ત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે. ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાણવાથી એકપણું પ્રાપ્ત થાય છે. આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે. ૧૭૩ ચાહે એકેન્દ્રિયમાં હો કે પંચેન્દ્રિયની પર્યાયમાં ભગવાન આત્મા જે દ્રવ્યસ્વભાવ છે એ તો એકલો શુદ્ધ ત્રિકાળ છે. અને એ જ્ઞાયક જ ઉપાદેય છે. એ દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ હોવા છતાં એની પર્યાયમાં પુણ્ય, પાપ, આસવ, બંધ એવા બે ભાગ કેમ થાય છે ? વસ્તુ એક અને નવ ભેદ જે હેય છે તે ઊભા કેમ થાય છે ? આત્મવસ્તુ દ્રવ્યસ્વભાવથી શુદ્ધ ચૈતન્યરૂપ આનંદધન છે. તે એક ને નવ ન હોઈ શકે. પણ જેને એ દૃષ્ટિમાં આવ્યો નથી, અનુભવમાં આવ્યો નથી એને પર્યાયમાં વિકાર છે. પર્યાયમાં બીજાનો સંગ-સંબંધ થવાથી તેને નવ ઊભા થાય છે. દ્રવ્યમાં તો કોઈ એવી શક્તિ(ગુણ) નથી કે જે વિકાર કરે. જો ગુણ એવો હોય તો વિકાર ટળે નહિ. પર્યાયબુદ્ધિવાળાને પર્યાયની યોગ્યતાથી થાય છે, દ્રવ્યબુદ્ધિવાળાને નહિ. દ્રવ્યબુદ્ધિવાળાને એનો નિષેધ થઈ ગયો છે, એ તો જ્ઞાતા થઈ ગયો છે. વ્યવહાર નયથી એ નવ તત્ત્વો ભૂતાર્થ છે પણ એ આશ્રય કરવા લાયક નથી; કેમ કે તેના આશ્રયે સમકિત થતું નથી. ૧૭૪ અને એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને એટલે કે એક જ્ઞાયકમાત્ર દ્રવ્યસ્વભાવનો આશ્રય લઈને અર્થાત્ તે એકને એકપણે અનુભવ કરતાં તે નવ તત્ત્વો અભૂતાર્થ છે, જીવના એકાકાર સ્વરૂપમાં એ નવ તત્ત્વો નથી. એકરૂપ અભેદ જ્ઞાયકભાવ, એકાકાર સચ્ચિદાનંદ સ્વભાવમાં અનેક પ્રકારના ભેદો નથી. આ ધર્મ કેમ થાય એની વાત ચાલે છે. આ વ્યવહાર નયે નવ છે એનું તાત્પર્ય શું ? કે એ નવનું લક્ષ છોડીને એક સ્વભાવનું લક્ષ કરવું એ તાત્પર્ય છે. એ નવના લક્ષે ધર્મ ન થાય, પણ રાગ અને અધર્મ થાય. અને અખંડ એક ત્રિકાળી જ્ઞાયકના આશ્રયે અર્થાત્ તે એકને એકપણે અનુભવતાં સમ્યગ્દર્શન થાય, ધર્મ થાય. ભગવાન આત્મા, એકલો ચૈતન્ય જે પર્યાયની આડમ., નવ તત્ત્વની આડમાં દૂર હતો તે એક જ્ઞાયકભાવની સમીપ જઈને તે એકને એકપણે અનુભવતાં તેમાં નવ ભેદો જણાતા નથી, તેથી તે નવ અભૂતાર્થ છે. ભૂતાર્થ નયથી જોતાં એક જીવ જ પ્રકાશમાન છે. - ૧૭૫ એવી રીતે અંતર્દિષ્ટથી જોઈએ તો - જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો તંતુ અજીવ છે. વિકાર એટલે વિશેષ કાર્ય - જીવની પર્યાય. આ નવ તત્ત્વો એટલે જીવના વિકારો જેના અજીવ હેતુઓ છે. છે એ નવ તત્ત્વો, જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, પોતે અને પર જેના કારણ છે - પોતે ઉપાદાનકારણ અને પર નિમિત્તકારણ છે - એવા એક દ્રવ્યના પર્યાયોપણે અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે. પર્યાયો પર્યાય અપેક્ષાએ છે, વ્યવહાર નય છે. વ્યવહાર નયનો વિષય પર્યાયો છે એ જાણવા લાયક છે પણ આશ્રય કરવા યોગ્ય નથી. જીવ દ્રવ્યનો સ્વભાવ સર્વકાળે અસ્ખલિત છે. પર્યાય છે એ તો બદલાતો -પલટતો પ્રવાહ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy