________________
૩૧૮
૧૫૩ શ્રદ્ધાનો બાહ્ય વિકલ્પ અને નિર્વિકલ્પ શ્રદ્ધા બે જુદી જુદી ચીજ છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેમ
જ્ઞાનન દોરી જવું તે ન્યાય છે. ૧૫૪ નય છે તે શ્રુતપ્રમાણનો અંશ છે, તેથી શુદ્ધ નય પણ શ્રુતપ્રમાણનો જ અંશ થયો. શ્રુતપ્રમાણ
એટલે? જે જ્ઞાનની પર્યાય દ્રવ્ય-ગુણ-પર્યાય બધાને જાણે તે શ્રુતજ્ઞાન પ્રમાણ કહેવાય. એ પ્રમાણનો એક ભાગ શુદ્ધ નય છે. તે ત્રિકાળી શુદ્ધ આત્માને જુએ છે. તેનો બીજો ભાગ વ્યવહાર નય છે. તે વર્તમાન પર્યાય, રાગાદિને જાણે છે. જે ધ્રુવ, નિત્યાનંદ જ્ઞાયકભાવ તેને જોનાર શ્રુતજ્ઞાનના અંશને શુદ્ધ નય કહે છે. શુદ્ધ નયની દષ્ટિ વડે જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય પૂર્ણને દેખે છે, શ્રદ્ધે છે તેને સાચું
સમ્યગ્દર્શન છે. ૧૫૫ જ્યાં સુધી કેવળ વ્યવહારનયના વિષયભૂત જીવાદિ ભેદરૂપ તત્ત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય
સમ્યગ્દર્શન નથી. તેથી એ નવ તત્ત્વોની પરીપાટીને છોડી, નયના ભેદો તથા પર્યાયના ભેદોનું લક્ષ છોડી શુદ્ધ નયના વિષયભૂત એક અખંડ જ્ઞાયક આત્મા જ અમને પ્રાપ્ત થાઓ. વ્યવહારી જીવ આગમને પ્રમાણ કરી, વાણી સત્ છે એને લક્ષમાં લઈ, વાણીનું જે વાચ્ય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવ
તેનું શ્રદ્ધાન કરે એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. એ સુખની પ્રથમ કણિકા છે. ૧૫૬ આત્મા કેવો છે ? તે પૂર્ણ જ્ઞાનઘન છે. પૂર્ણ એટલે ત્રણ કાળ ત્રણ લોકના દ્રવ્ય-ગુણ-પર્યાયો
જાણવાનો એનો સ્વભાવ છે. એવું જે શરીરાદિથી ભિન્ન પૂર્ણ જ્ઞાનઘન આત્માનું સ્વરૂપ છે તેની
દષ્ટિપૂર્વક શ્રદ્ધાન થતાં સમ્યગ્દર્શન થાય છે. ૧૫૭ ભગવાન આત્માનું કોઈ અદ્ભુત સ્વરૂપ છે. તેનું પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ ઐશ્વર્ય, પૂર્ણ
સ્વચ્છતા, પૂર્ણ પ્રકાશ અનેક પૂર્ણ શક્તિઓથી ભરેલું ચમત્કારિક પરિપૂર્ણ સ્વરૂપ છે. સર્વજ્ઞા ભગવાનની વાણીમાં આત્માનું આવું પરિપૂર્ણ ચૈતન્યઘન સ્વરૂપ કહ્યું છે. એનું યથાર્થ શ્રદ્ધાન થવાથી
જ સમ્યગ્દર્શન થાય છે, ત્યારે જ ધર્મના પંથની ઓળખાણ થાય છે. ૧૫૮ ભાઈ! આ આત્મા ક્યાં અને કેવડો છે એ તેં જોયો નથી. એ તો પોતામાં પરિપૂર્ણ વસ્તુ છે. વસ્તુનું
કદ મોટું હોય તો શક્તિ વધારે એમ નથી. ભગવાન આત્મા વ્યવહારે શરીર પ્રમાણ હોવા છતાં પોતાના જ્ઞાન, દર્શન આદિ સામર્થ્યથી પરિપૂર્ણ છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્યસામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની - સામાન્ય સ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર
થાય છે, તેને સમ્યગ્દર્શન કહે છે. ૧૫૯ નવ તત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે, જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે
પોતાની ચૈતન્ય ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્ય જ્યોતિ તેનું જ્ઞાન ય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે, પરયપણે થતું નથી. એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે.