________________
૩૧૪ ૧૨૧ ધર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. ધ્રુવ ત્રિકાળી સત્ સામાન્ય જ્ઞાયક વસ્તુ તે પરમાર્થ છે. તેનો અનાદર
કરીને વર્તમાન પર્યાયનો કે રાગનો આદર કરવો એ જ જીવની હિંસા છે. તેનો અંતરમાં સ્વીકાર કરવો તેનું નામ અહિંસા છે, દયા છે, ધર્મ છે. વસ્તુ ધ્રુવ, અભેદ, સામાન્ય જ્ઞાયક સ્વરૂપ છે તેનો
આશ્રય કરી, અંતરમાં સ્વીકાર કરી, સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ કરવો જોઈએ. ૧૨૨ આત્મા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા એમ અનંત
અનંત ભાવ સ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો આશ્રય કરતાં
સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ૧૨૩“કર વિચાર તો પામ” એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા શાયકને લક્ષમાં લે તો તેની
પ્રાપ્તિ થાય. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ, જે ધ્રુવ તત્ત્વ, એની દષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં, રાગમાં ધર્મ માની પ્રવર્તે તે મિથ્યાદષ્ટિ છે.
“શુદ્ધ, બુદ્ધ, ચેતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજુ કહીએ કેટલું, કર વિચાર તો પામ.” ૧૨૪ એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો છતો છતો
વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે, તેથી તે મુખ્ય છે. અને સઘળો જે વ્યવહાર છે તેના આશ્રયે
પ્રયોજનની સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે. ૧૨૫ “જિન સો હી હે આત્મા, અન્ય સો હી હે કર્મ, યહે વચનસે સમજ લે, જિન પ્રવચનકા મર્મ.”
જિનસ્વરૂપ આત્મા છે, એટલે આત્મા વીતરાગ સ્વભાવ છે, તે ભૂતાર્થ છે તેથી મુખ્ય છે. બાકી બધું કર્મ એટલે રાગાદિ છે તે વ્યવહાર છે. અભૂતાર્થ છે તેથી ગૌણ છે, અસત્યાર્થ છે. અહીં મુખ્યતાનું
પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારને ગૌણ કરીને તે નથી એમ કહેવામાં આવ્યું છે. ૧૨૬ વસ્તુની દષ્ટિ અને એનો વિષય જે શુદ્ધ વસ્તુ - એ શું છે તે જાણ્યા વિના સમ્યગ્દર્શન ન થાય.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ શુદ્ધપણે પર્યાયમાં પરિણમે તે પર્યાય પણ અશુદ્ધ નયનો વિષય છે.
એ અશુદ્ધ નય વ્યવહાર માં જાય છે. એ આશ્રય કરવા યોગ્ય નથી. ૧૨૭ આચાર્યે પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે.
અહા ! જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડ્યું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી
સમ્યગ્દર્શન થાય છે. આ જૈન ધર્મ છે. ૧૨૮ જે શુભાશુભ રાગ થાય તે હું એવા મિથ્યાત્વ અને રાગ-દ્વેષના અનુભવની આડમાં આખો નિર્મળાનંદ
જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે, નજરમાં આવતો નથી. દયા, દાન તથા કામ-ક્રોધાદિ મલિન વૃત્તિઓના અનુભવમાં એકરૂપ જ્ઞાયક દષ્ટિમાં આવતો નથી, જણાતો નથી. બાકી તો સચ્ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાયકભાવ તો જે છે તે છે, પ્રગટ જ છે. રાગાદિના અનુભવમાં જ્ઞાયક નજરમાં આવતો નથી તેથી