SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૫ કરી અને તેને જ્ઞાયક “શુદ્ધ છે એમ જણાયું. અંદર લક્ષ ગયા વિના શુદ્ધ છે એમ કહે પણ તેનો કાંઈ અર્થ નથી. ૫૯. પરના કારણે જ્ઞાન શેયાકારરૂપ થાય છે એમ નથી, પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો જ્ઞાનાકાર પોતાથી થયો છે. આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહિ અને સામાયિક કરે, પૌષધ કરે, પ્રતિક્રમણ કરે, ઉપવાસાદિ કરે પણ તેથી શું? અહીં તો કહે છે કે જ્ઞાયક, જે શેયો પર છે તેનો જાણનાર છે, પરણેયો જેવા હોય તે આકારે જ્ઞાનનું પરિણમન થાય છે; તો પરની અપેક્ષાથી જ્ઞાનનું પરિણમન અશુદ્ધ થયું કે નહિ ? તો કહે છે કે ના, કેમ કે રાગાદિ શેયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જેમ દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી તેમ શેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે શેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાને કારણે થયું છે. જે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ, કર્તા-કર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે કર્મ. શેયને જાણ્યું જ નથી, પણ શેયાકાર થયેલાં પોતાના જ્ઞાનને જાણ્યું છે. અહાહા...! વસ્તુ તો સતુ, સહજ અને સરળ છે. ૬૦. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે. આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહિ? તો કહે છે કે પરને જાણવાને કાળે પણ સ્વનું પરિણમન - જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણે નહિ. જ્ઞાન શેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે, શેય છે માટે પરિણમે છે એમ નથી. ૬૧. મૂળ દ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તે પરદ્રવ્યથી કે કર્મના ઉદયથી મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપે રહે છે. દ્રવ્યદૃષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાયદષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે. પર્યાયદષ્ટિથી જુઓ તો તે મલિન દેખાય છે અને દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તે જ્ઞાયકપણું જ છે, કાંઈ જડપણું થયું નથી. ૬૨. નિમિત્તના સદ્ભાવવાળી પ્રમત્ત દશા અને નિમિત્તના અભાવવાળી અપ્રમત્ત દશા એ બન્ને સંયોગજનિત છે અને તેથી નિત્યાનંદ, ધ્રુવ, પ્રભુ જ્ઞાયકમાં એ પર્યાય - ભેદો નથી. ભાઈ! આ સમજ્યા વિના જન્મમરણના ફેરા મટે તેમ નથી. અહાહા...! દષ્ટિનો વિષય જે જ્ઞાયકબિંબ તેમાં કોઈ પર્યાયો છે જ નહિ. ૬૩. આત્મામાં બે પ્રકાર. એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy