________________
૩૦૬
જે જ્ઞાયકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દૃષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. આ વીતરાગની મૂળ વાત છે. તું જ્ઞાયક મહાપ્રભુ છો
તેમાં દ” એકાગ્ર કરવી એ ભક્તિ છે અને એ મોક્ષમાર્ગ છે.
૬૪. અહાહા.....! સુખનિધાન પ્રભુ આત્મા દુઃખરૂપ કેમ પરિણમે ? દુઃખપણે તો પર્યાય પરિણમી છે. પરના લક્ષે પર્યાય વિકારી થાય છે. એ પર્યાય અશુદ્ધ છે અને પરના લક્ષે વિકારી થઈ ગઈ છે. ગુણમાં વિકાર થઈ જાય એવો ભાવ નથી, ગુણ કદીય વિકારી થયો નથી. ત્રણ લોકના નાથ જિનેન્દ્રદેવનું આ કથન છે. જૈનદર્શન સિવાય બીજે ક્યાંય આવી વાત નથી.
૬૫. દૃષ્ટિનો વિષય શુદ્ધ છે અને દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે. એટલે વસ્તુસ્વભાવથી જોતાં દ્રવ્ય શુદ્ધ છે અને એની દૃષ્ટિ કરતાં જે દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ તે પોતે પણ શુદ્ધ છે અને શુદ્ધ દ્રવ્ય એનું ધ્યેય છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં ‘શુદ્ધ’ જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ ! આત્મા પરમાત્મા સ્વરૂપ શુદ્ધ છે. એની દૃષ્ટિથી જોઈએ તો વસ્તુ શુદ્ધ છે. પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ દૃષ્ટિ જ્યારે ‘શુદ્ધ’ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણ્યું કહેવાય.
r
૬૬. દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે. ૬૭. ‘ આ હું જાણનારો છું તે હું જ છું, અન્ય કોઈ નથી.’ શેય પદાર્થનું જ્ઞાન થયું ત્યાં જાણનારો તે હું છું, શેય તે હું નથી. એવો પોતાને પોતાનો અભેદરૂપ અનુભવ થયો ત્યારે એ જાણવારૂપ ક્રિયાનો કર્તા પોતે જ છે અને જેને જાણ્યું તે કર્મ પણ પોતે જ છે. જ્ઞાનની પર્યાયે ત્રિકાળી દ્રવ્યને જાણ્યું ત્યારે શેયને પણ ભેગું જાણ્યું. એ શેયને નહિ પોતાની પર્યાયને પોતે જાણી છે. જાણનક્રિયાનો કર્તા પણ પોતે અને જાણનકર્મ પણ પોતે. આવો એક જ્ઞાયકપણામાત્ર પોતે શુદ્ધ છે. એ ‘શુદ્ધ’ જણાયો પર્યાયમાં. એ રીતે એને શુદ્ધ કહેવામાં આવે છે. જણાયા વિના શુદ્ધ કોને કહેવું ?
૬૮. અહીં આત્મા જે ધ્રુવ વસ્તુ તેને સત્યાર્થ, ભૂતાર્થ અને પરમાર્થ કહી છે અને અશુદ્ધ નયનો વિષય જે રાગાદિ એને અસત્યાર્થ, અભૂતાર્થ અને ઉપચાર કહ્યા. દ્રવ્યના સ્વભાવનું પ્રયોજન સિદ્ધ કરવા આમ કહ્યું છે. ધ્રુવને ધ્યેય બનાવીને તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનાદિ પ્રગટ થાય છે. માટે દ્રવ્યની મુખ્યતામાં પર્યાયને ગૌણ કરી તેનું લક્ષ છોડાવવા તેને અસત્યાર્થ કહ્યા છે.
૬૯. વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવ છે તેના આશ્રયે ધર્મની પ્રાપ્તિ થાય છે. પર્યાયનો આશ્રય કરવા જાય ત્યાં વિકલ્પ ઊઠે છે, રાગ ઉત્પન્ન થાય છે. તેથી તેને અસત્યાર્થ કહી ત્રિકાળી ધ્રુવ શાયકનું અવલંબન લેવા કહ્યું છે. પણ એમ ન માનવું કે પર્યાયમાં શુદ્ધતા-અશુદ્ધતા કાંઈ ચીજ જ નથી. કારણકે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા-અશુદ્ધતા બન્ને વસ્તુના ધર્મ છે, અને વસ્તુ ધર્મ છે તે વસ્તુનું સત્વ છે. અશુદ્ધતા એ પણ આત્માની પર્યાયનું સત્વ છે. સર્વથા અસત્ય છે, જૂઠું છે એમ નથી. માર્ગ