________________
૨૯૧ અને જ્ઞાનની પ્રતીત કરે તેને પરને ફેરવવાની બુદ્ધિ રહેતી નથી. ૪૮) ક્રમબદ્ધ પરિણમતા દ્રવ્યોનું અકાર્ય-કારણપણે દરેક આત્મા અને દરેક પુદ્ગલ પોતપોતાના કમબદ્ધ પરિણામપણે ઊપજે છે; એ રીતે ઊપજતા થકા, તે દ્રવ્યો પોતાના પરિણામો સાથે તદ્રુપ છે, પણ અન્ય સાથે તેને કાર્ય-કારણપણું નથી. માટે જીવ કર્તા થઈને અજીવનું કાર્ય કરે એમ બનતું નથી, તેથી જીવ અકર્તા છે. દરેક દ્રવ્ય પોતાની તે તે સમયની ક્રમબદ્ધ પર્યાય સાથે અનન્ય છે, જો બીજો આવીને તેની પર્યાયમાં હાથ નાંખે તો તો તેને પરની સાથે અનન્યપણું થઈ જાય. એટલે ભેદજ્ઞાન ન રહેતાં બે દ્રવ્યની એકતા બુદ્ધિ થઈ જાય. ભાઈ! ક્રમબદ્ધ પર્યાયપણે દ્રવ્ય પોતે ઊપજે છે, તો બીજો તેમાં શું કરશે? આવી સમજણ તે ભેદજ્ઞાનનું કારણ છે. વસ્તુસ્વભાવ જ આવો છે, તેમાં બીજુ થાય તેમ નથી; બીજી રીતે માને તો મિથ્યાજ્ઞાન થાય છે. ૪૯) આ બધું સમજીને શું કરવું છે? અંદર જ્ઞાયકમાં ઠરવું. એ સિવાય બીજું શું કરવું છે? શું પરનું કાંઈ કરી દેવું છે? આ જ્ઞાયક સ્વરૂપ સમજતાં પોતે જ્ઞાયક સન્મુખ થઈને જ્ઞાતા પાસે જ રહ્યો, ને રાગના કર્તાપણે ન થયો, એ જ આ સમજણનું ફળ છે. “હું જ્ઞાયક છું' એમ સમજ્યો ત્યાં જ્ઞાયક શું કરે ? જ્ઞાયક તો જ્ઞાતા-દષ્ટાપણાનું જ કાર્ય કરે. ભાઈ! જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થતાં સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની કમબદ્ધ પર્યાય ખીલતી જાય છે. આ જ બધા ઉપદેશનો નિચોડ છે. ૫૦) જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્મા! તેની પ્રતીત કર અને ક્રમબદ્ધ પર્યાયને જેમ છે તેમ જાણ! ક્રમબદ્ધ પર્યાય સારભૂત ૧) ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત ! ગજબ વાત છે! ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તાપણું સિદ્ધ કરવું છે. આત્મા પરદ્રવ્યનો કર્તા નથી જ, રાગનો પણ કર્તા નહિ અને પર્યાયનો પણ કર્તા નહિ. પર્યાય પર્યાયના જન્મક્ષણે ષટકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે. પણ એ કમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય લાયકધાતુ ઉપર દષ્ટિ જાય છે, ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે ક્રમબદ્ધ પર્યાયને જાણે છે. ક્રમબદ્ધનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત પુરુષાર્થપૂર્વક થાય છે, ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. ૨) કમબદ્ધના નિર્ણયમાં દ્રવ્ય સ્વભાવનો અનંતો પુરુષાર્થ છે. ક્રમબદ્ધનો સાચો નિર્ણય કરવા જાય ત્યાં દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર જાય છે, અને ત્યારે જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. કમબદ્ધ પર્યાયના આશ્રમે ક્રમબદ્ધનો નિર્ણય થાય નહિ. અકર્તા સ્વભાવની દષ્ટિ કરવાથી ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થાય છે. આ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ છે. ૩) પર્યાયના કમ સામું જોતા ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા છે. પોતાની કમસર થતી પર્યાયનો