________________
૨૯૨ પા જાણનાર છે એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ છે. ૪) ક્રમબદ્ધ ખ્યાલમાં આવતાં જે કર્તાપણાની બુદ્ધિથી થાકેલો છે એ પરના કર્તાપણાના અભિમાનથી થાકીને આત્મા તરફ વળે છે તેને સમ્યગ્દર્શન થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમગ્દર્શન થાય છે. એને એમ થાય છે કે મારે કાંઈ જોઈતું નથી એટલે હું કાંઈક કરું અને એનાથી મને બીજુ કાંઈ મળે એવી સ્પૃહા નથી. ક્રમબદ્ધની દષ્ટિવાળાને દરેક દ્રવ્યની પર્યાય સ્વયં ક્રમબદ્ધ થાય છે એમ એને બેસી ગયું છે. ૫) જે કાળે જે પરિણામ થાય તેનો જાણનાર રહેઃ નિર્મળ પરિણામ હો કે મલિન પરિણામ હો તેના સ્વકાળે જ તે થાય છે, તે પરિણામનો તે સ્વકાળ છે. ખરેખર જે કાંઈ થાય છે તેનો તું જાણનાર છો, આમ કેમ થાય છે એ પ્રશ્ન જ નથી. જે કાળે જે પરિણામ થાય તેનો જાણનાર રહે. અહા પ્રભુ! તારી ગંભીરતાનો પાર નથી, દ્રવ્યસ્વભાવ-ગુણસ્વભાવ-પર્યાયસ્વભાવ મહા ગંભીર સ્વભાવ છે. આ જ્ઞાતા-દષ્ટામાં અનંતો પુરુષાર્થ છે. જે થાય તેની માત્ર જાણનાર..! ૬) ઇશ્વર જગતનો કર્તા છે એ વાત તો જૂઠી છે જ અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકે એ પણ જુદું છે અને તે દ્રવ્ય તેની પોતાની પર્યાયને કે જે તેના જન્મક્ષણે -સ્વકાળે ક્રમબદ્ધ થવાની છે તેને આડી અવળી કે આઘી પાછી કરી શકે તેમ નથી. જે સમયે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તેને અન્ય નિમિત્તની અપેક્ષા તો નથી જ પણ એના દ્રવ્યની પણ અપેક્ષા નથી. આવી વસ્તુસ્થિતિ છે. ૭) એકાંત પુરુષાર્થબુદ્ધિ રહે તે પણ મિથ્યાત્વ છે. એકલો પુરુથાર્થ કરું....પુરુષાર્થ કરું.....પુરુષાર્થ કરું એવી એકાંત પુરુષાર્થની બુદ્ધિ રહે તે પણ મિથ્યાત્વ છે. પાંચ સમવાયનું ભેગું આવવું જોઈએ. તે પાંચ સમવાય સાથે આવે ત્યારે તે સહજરૂપ પુરુષાર્થથી સમ્યગ્દર્શન પામે. ૮) નું જાણનાર જ છો. શ્રેણીબદ્ધ પર્યાય છે એટલે તું જાણનાર જ છો. જાણનાર...પૂરણ જાણનાર એટલે વિકાર કે અપૂર્ણતા શું! એકરૂપ પરિપૂર્ણ જ છો...પરિપૂર્ણ પરમાત્મા જ છો ! એવી શ્રદ્ધા
કર !
૯) જ્ઞાનમાં ખરેખર તો રાગ જણાય છે. ત્યાં અજ્ઞાની માની બેસે છે કે મેં રાગ કર્યો; એ રાગના કર્તુત્વની માન્યતા જ મિથ્યાદર્શન છે. ૧૦) પોતાની પર્યાયમાં થવાવાળો રાગ અને થવાવાળી શુદ્ધ પર્યાયના કર્તુત્વનો વિકલ્પ એ સ્વભાવમાં છે જ નહિ. અકર્તાપણું આવવું એ જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે. અહો ! આ આત્મા સર્વજ્ઞ સ્વભાવી જ છે. જાણવું....જાણવું...જાણવું....જ જેના અંતરતળમાં ભર્યું છે એ જાણનારો તું છે એમ
જાણ !
૧૧) જીવ રાગ-દ્વેષની પર્યાયને ન ફેરવી શકે, પણ શ્રદ્ધાની પર્યાયને ફેરવી શકે ને ? બધી પર્યાયને ફેરવી શકે; ન ફેરવી શકાય એમ નક્કી કરવા જાય ત્યાં દષ્ટિ સ્વભાવ ઉપર જાય છે, ત્યાં પર્યાયની દિશા