________________
૨૯૦ જ્ઞાન થતું નથી, કેમ કે સ્વ-પર પ્રકાશક સમ્યજ્ઞાન જ તેને ખીલ્યું નથી. ૪૩) પુરુષાર્થ ઊડે નહિ... ને.....કમ પણ તૂટે નહિ. પોતાની ક્રમબદ્ધ પર્યાયમાં જ્ઞાતાપણાનું કાર્ય કરતો જીવ બીજાનું પણ કાર્ય કરે એમ બનતું નથી, આ રીતે જ્ઞાયક જીવ અકર્તા છે. જડ કે ચેતન જ્ઞાની કે અજ્ઞાની બધાય પોતપોતાની કમબદ્ધ પર્યાયપણે ઊપજે છે. જ્ઞાયક સ્વભાવના આશ્રયે પુરુષાર્થ થાય છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયક સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન થાય છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયક સ્વભાવના આશ્રયે ચારિત્રદશા થાય છતાં પર્યાયનો કમ તૂટે નહિ, જ્ઞાયક સ્વભાવના આશ્રયે આનંદ પ્રગટે છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ, જ્ઞાયક સ્વભાવના આશ્રયે કેવળજ્ઞાન થાય છતાં પર્યાયનો ક્રમ તૂટે નહિ. આ છે વસ્તુસ્થિતિ! પુરુષાર્થ ઊડે નહિ ને ક્રમ પણ તૂટે નહિ. જ્ઞાયક સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરેનો પુરુષાર્થ થાય છે અને તેવી નિર્મળ દશાઓ થતી જાય છે, છતાં પર્યાયનું ક્રમબદ્ધપણું તૂટતું નથી. " ૪૪) એક વગરબધુંય ખોટું હું જ્ઞાતા જ છું ને પદાર્થો ક્રમબદ્ધ પરિણમનારા છે એમ જેનથી માનતો, તે કેવળી ભગવાનને નથી માનતો, આત્માના જ્ઞાન સ્વભાવને પણ નથી માનતો, પંચ પરમેષ્ઠી ભગવંતોને કે શાસ્ત્રને પણ તે નથી માનતો, જીવ-અજીવની સ્વતંત્રતા કે સાત તત્ત્વોને પણ તે નથી જાણતો, મોક્ષમાર્ગના પુરુષાર્થને પણ તે નથી જાણતો. દ્રવ્ય-ગુણ-પર્યાયનું, ઉપાદાન-નિમિત્તનું, નિશ્ચય-વ્યવહારનું યથાર્થ સ્વરૂપ પણ તે નથી જાણતો. જ્ઞાન સ્વભાવનો નિર્ણય જેણે ન કર્યો તેનું કાંઈ પણ સાચું નથી. જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તેમાં બધા પડખાનો નિર્ણય આવી જાય છે. ૪૫) એક તરફ એકલો જ્ઞાયક સ્વભાવ અને બીજા તરફ ક્રમબદ્ધ પર્યાય. એનો યથાર્થ નિર્ણય કરવામાં બધું આવી જાય છે, તે મૂળ વસ્તુ ધર્મ છે, તે કેવળી ભગવાનનું પેટ છે, સંતોનું હાર્દ છે, શાસ્ત્રોનો મર્મ છે, વિશ્વનું દર્શન છે અને મોક્ષમાર્ગનું કર્તવ્ય કેમ થાય તેની આ રીત છે. આ તો સર્વજ્ઞના હૃદયનું હાર્દ છે, જેને આ વાત બેઠી તેના હૃદયમાં સર્વજ્ઞ બેઠા, તે અલ્પજ્ઞ હોવા છતાં હું સર્વજ્ઞ જેવો જ્ઞાતા જ છું' એવો તેને નિર્ણય થયો. ૪૬) “કમબદ્ધ'નો નિર્ણય અને તેનું ફળ જેની બુદ્ધિ જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈ છે અને રાગમાં કે પરનો ફેરફાર કરવાની માન્યતામાં જેની બુદ્ધિ અટકી નથી તેને જ ક્રમબદ્ધ પર્યાયનો યથાર્થ નિર્ણય થયો છે અને તે નિર્ણયની સાથે તેને પુરુષાર્થ વગેરે પાંચે ય સમવાય આવી જાય છે. સ્વ સન્મુખ થઈને તે નિર્ણય કરતાં જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયનો કમબદ્ધ પ્રવાહ શરૂ થઈ જાય છે. એ જ તેનું ફળ છે. જ્ઞાયક સ્વભાવની દષ્ટિ કહો, ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો કે મોક્ષમાર્ગનો પુરુષાર્થ કહો, ત્રણે એક સાથે જ છે; તેમાંથી એક હોય અને બીજા બે ન હોય એમ બને નહિ. ૪૭) વસ્તુનું પરિણમન વ્યવસ્થિત-ક્રમબદ્ધ-નિયમબદ્ધ જ છે. અને વ્યવસ્થિત જ પરિણમન દરેક વસ્તુમાં છે, તો આત્મા તેમાં કોઈ ફેરફાર કરી દે એ વાત રહેતી નથી, જ્ઞાયકપણું જ રહે છે. માટે તું તારા જ્ઞાયકપણાનો નિર્ણય કર, ને પરને ફેરવવાની બુદ્ધિ છોડ એવો ઉપદેશ છે. પરને અવ્યવસ્થિત માનતા તારું જ્ઞાન જ અવ્યવસ્થિત થઈ જાય છે, એટલે કે તને તારા જ્ઞાનની જ પ્રતીત રહેતી નથી.