________________
૧૨
જોઈએ. શુભભાવથી - પુણ્યથી ધર્મ થાય અને આત્માનું હિત થાય એમ માનવું તે મિથ્યાત્વરૂપી મહા પાપ છે. પ્રથમ મિથ્યાત્વ ટળવો જોઈએ.
૯. ધર્મ પામવાનો સમય :
જીવને ધર્મ પામવાનો મુખ્ય સમય મનુષ્યપણું છે; તેથી જો જીવ ધર્મ સમજવાની શરૂઆત કરે તો તે કાયમને માટે દુઃખ ટાળી શકે. પરંતુ મનુષ્યભવમાં પણ કાં તો ધર્મનો યથાર્થ વિચાર કરતો નથી, અગર તો ધર્મના નામે ચાલતી અનેક મિથ્યા માન્યતાઓમાંથી કોઈને કોઈ ખોટી માન્યતાને ગ્રહણ કરી કુદેવ-કુગુરુકુશાસ્ત્રમાં તે ફસાઈ જાય છે; અથવા તો બધા ધર્મો એક છે એમ ઉપલક દષ્ટિએ માની લઈને બધાનો સમન્વય કરવા લાગે છે અને પોતાની એ ભ્રમણાવાળી બુદ્ધિને વિશાળ બુદ્ધિ માનીને અભિમાન સેવે છે, કદી તે જીવ સુદેવ, સુગુરુ અને સુશાસ્ત્રનું બાહ્ય સ્વરૂપ સમજે તો પણ પોતાનું ખરું સ્વરૂપ સમજવા જીવ યથાર્થ પ્રયાસ કરતો નથી, તેથી તે ફરીને સંસારચક્રમાં રખડી પોતાનો મોટામાં મોટો કાળ નિગોદ - એકેન્દ્રિયપણામાં કાઢે છે અને અનંત દુઃખ ભોગવે છે.
હવે જ્યારે બધી બાજુથી આ અવસર આવ્યો છે, કોઈ એવા મહા પુણ્યના ઉદયથી મનુષ્યપણુંભરતક્ષેત્ર-આર્યભૂમિ-ગુંદકુંદ જેવા પ્રખર આચાર્યોના પરમાગમ - અક્ષરોઅક્ષર અને તેમનો બધી બાજુએથી સ્પષ્ટ સમજણ આપનાર જ્ઞાની ગુરુઓનો ભેટો થવો એ કાંઈ આશ્ચર્યકારક નથી શું ? અને હવે વધારામાં જીવને એ ધર્મ પામવાની સાચી રુચિ ઉપડી છે અને એ આ યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવા તૈય ૨ થયો છે એ ખરેખર જીવનની મહા ઘટના ગણાવી જોઈએ. આચાર્યોએ તો ત્યાં સુધી કહ્યું છે કે આવી સ્વરૂપની વાત જે જીવો પ્રસન્ન ચિત્તથી સાંભળે છે તે નિકટભવી જીવ છે - તે નજીકના ભાવિમાં મોક્ષ પામનાર છે. ફરીથી, બધી બાજુએથી, ધર્મ પામવાનો કાળ પાક્યો છે, અવસર આવ્યો છે તો આ સ્વરૂપ સમજવાની તક ગુમાવવા જેવી નથી.
૧૦ મુમુક્ષુ જીવોને ભલામણ :
મુમુક્ષુએ સત્શાસ્ત્રોનો સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરવો; કેમ કે સશાસ્ત્રનો ધર્મબુદ્ધિ વડે અભ્યાસ તે મ્યગ્દર્શનનું કારણ છે; આ ઉપરાંત શાસ્ત્રાભ્યાસમાં નીચેની બાબતો ખાસ લક્ષમાં રાખવી.
૧. સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે.
૨. સમ્યગ્દર્શન પામ્યા સિવાય કોઈ પણ જીવને સાચા વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન વગેરે હોય નહિ કેમ કે તે ક્રિયા પ્રથમ પાંચમે ગુણસ્થાને શુભભાવરૂપે હોય છે.
૩. શુભભાવ જ્ઞાની અને અજ્ઞાની એ બન્નેને થાય છે. પણ અજ્ઞાની તેનાથી ધર્મ થશે એમ માને છે અને જ્ઞાનીને બુદ્ધિમાં તે હેય હોવાથી તેનાથી કદી ધર્મ ન થાય એમ તે માને છે.
૪. આ ઉપરથી ધર્મીને શુભભાવ હોતો જ નથી એમ સમજવું નહિ, પણ શુભભાવને ધર્મ કે તેથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ તે માનતો નથી - કેમ કે અનંત વીતરાગોએ તેને વિકાર હોવાથી બંધનું કારણ કહ્યું
છે.