________________
૧૧
૩. મિથ્યાત્વ-રાગાદિ પ્રગટ દુઃખ દેનારા છે, છતાં તેનું સેવન કરવામાં સુખ માને છે. આ આસવ તત્ત્વની ભૂલ છે.
૪. શુભને લાભદાયક અને અશુભને નુકસાનકારક તે માને છે, પણ તત્ત્વ દષ્ટિએ તે બન્ને નુકસાનકારક છે માનતો નથી. આ બંધ તત્ત્વની ભૂલ છે.
એમ
૫. સમ્યાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર અને ન સમજાય એવા છે - એમ માને છે તે સંવર તત્ત્વની ભૂલ છે.
૬. શુભાશુભ ઇચ્છાઓને નહિ રોકતા, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ઇચ્છાઓ કર્યા કરે છે તે નિર્જરા તત્ત્વની ભૂલ છે.
૭. સમ્યગ્દર્શનપૂર્વક જ પૂર્ણ નિરાકુળતા પ્રગટ થાય છે, અને તે જ ખરું સુખ છે - એમ ન માનતા, બાહ્ય વસ્તુઓની સગવડોથી સુખ મળી શકે એમ જીવ માને છે તે મોક્ષ તત્ત્વની ભૂલ છે.
આ ભૂલોનું ફળ જીવને સમયે સમયે અનંત દુઃખનો ભોગવટો છે; એટલે કે ચાર ગતિમાં પરિભ્રમણ કરી દુઃખ ભોગવે છે. આ ગતિઓમાં સૌથી હલકામાં હલકી ગતિ નિગોદ-એકેન્દ્રિયની છે, સંસારદશામાં વધારેમાં વધારે કાળ જીવ તેમાં કાઢે છે અને તે અનેક દુઃખનું કારણ છે.
૮. મિથ્યાત્વનું મહા પાપ ઃ
જીવની અનાદિની ભૂલોનું - એ બધાનું મૂળ કારણ પોતાના સ્વરૂપની જીવને ભ્રમણા છે. પરનું હું કરી શકું, પર મારું કરી શકે, પરથી મને લાભ થાય, પરથી મને નુકસાન થાય એવી મિથ્યા માન્યતાનું નિત્ય અપરિમિત મહાપાપ દરેક ક્ષણે જીવ સેવ્યા કરે છે; તે મહાપાપને શાસ્ત્રીય ભાષામાં મિથ્યાદર્શન કહેવામાં આવે છે. તેના ફળ તરીકે ક્રોધ, માન, માયા, લોભ જે પરિમિત પાપ છે તેને તીવ્ર કે મંદપણે સેવે છે. જીવો ક્રોધાદિકને પાપ ગણે છે, પણ તેનું મૂળિયું મિથ્યાદર્શનરૂપ મહાપાપ છે તેને તેઓ ઓળખતા નથી, તો પછી તેને ટાળે ક્યાંથી ?
હવે વસ્તુસ્વરૂપ કહો કે જૈન દર્શન કહો, તે બન્ને એક જ છે. તેનો વિધિ એવો છે કે પહેલાં મોટું પાપ છોડાવી પછી નાનું પાપ છોડાવે છે. માટે મહા પાપ શું અને નાનું પાપ શું તે પ્રથમ સમજવાની ખાસ જરૂર છે.
(૧) જુગાર (૨) માંસ ભક્ષણ (૩) મદિરાપાન (૪) વેશ્યાગમન (૫) શિકાર (૬) પરનારીનો સંગ અને (૭) ચોરી - એ સાત જગતમાં મોટા વ્યસનો ગણાય છે, પણ એ સાતે વ્યસનો કરતાં મિથ્યાત્વ તે મહા પાપ છે, તેથી તે પ્રથમ છોડાવવાનો જૈન ધર્મનો ઉપદેશ છે.
મિથ્યાત્વના યથાર્થ સ્વરૂપથી અજાણ ‘પુણ્ય’ ને ધર્મમાં સહાયક માની એના ઉપદેશની મુખ્યતા કરવાથી જીવો ધર્મને નામે મહા મિથ્યાત્વરૂપી પાપને અવ્યક્ત રીતે પોષે છે. આ ભૂલ જીવ ટાળી શકે એ માટે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગનો ક્રમ બરાબર સમજી તે પ્રમાણે ધર્મ પ્રગટ કરવો