________________
૧૦
આ ચાર લક્ષણોના અવિનાભાવ સહિતની સમ્યક શ્રદ્ધા એટલે નિશ્ચય સમ્યગ્દર્શન પ્રગટાવ્યા વગર ધર્મની કે સુખની શરૂઆત થતી નથી. ૪. કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર-કુધર્મની પુજા-સેવા-વિનય-શ્રદ્ધા કરવાની જે જે પ્રવૃત્તિ છે તે પોતાના
મિથ્યાત્વાદિના મહાન દોષની પોષણ કરનારી હોવાથી દુઃખદાયક છે, અનંત સંસારપરિભ્રમણનું
કારણ છે. જે જીવ તેનું સેવન કરે છે, તેને કર્તવ્ય સમજે છે તે દુર્લભ મનુષ્યભવનો નાશ કરે છે. ૫. સાત તત્વોની વિપરીત શ્રદ્ધા કરવી તે મિથ્યાદર્શન છે. શરીરાદિ પર પદાર્થ અજીવ છે, પોતે જીવ
ચૈતન્ય સ્વરૂપ છે. પર પદાર્થોની ક્રિયા હું કરી શકું, પર મને લાભ-નુકસાન કરી શકે, હું પરનું શુભ કરી
શકું એવો જે સત-અસત્નો યથાર્થ વિવેક નથી એ મિથ્યાશ્રદ્ધાન છે જે જીવના દુઃખનું કારણ છે. ૬. આત્માનું પરદ્રવ્યોથી ભિન્નપણાનું યથાર્થ શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન અને આત્માનું પરદ્રવ્યોથી
ભિન્નપણાનું યથાર્થ જ્ઞાન તે નિશ્ચય સમ્યજ્ઞાન અને પરદ્રવ્યોનું આલંબન છોડીને આત્મસ્વરૂપમાં
લીન થવું તે નિશ્ચય સચ્ચારિત્ર છે. ૭. જેવું અરિહંત ભગવંતોએ અને જ્ઞાનીઓએ આત્માનું સ્વરૂપ જાણી, અનુભવી, બતાવ્યું છે એવું જ
નિજ ભગવાન આત્માનું સ્વરૂપ જાણી, માની, તેમાં રમણતા કરવી તેને નિજ આત્માનું યથાર્થ શ્રદ્ધાન કહેવામાં આવે છે. હવે અગૃહીત મિથ્યાદર્શન જીવને અનાદિકાળથી છે અને આ ભવમાં જે સંયોગો પ્રાપ્ત થયા તેમાં પાંચ પ્રકારની એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, યત્વ બુદ્ધિ કરી તેણે નવું ગૃહીત મિથ્યાત્વ પુષ્ટ કર્યું. માટે જીવો સારી રીતે સાવધાન થઈને ગૃહીત અને અંગૃહીત બન્ને પ્રકારના મિથ્યાભાવો છોડવા
યોગ્ય છે. ૯. આત્માનું કલ્યાણ સુખ પ્રાપ્ત કરવામાં છે. આકુળતા(ચિંતા-કલેશ)નું મટી જવું તે સાચા સુખની
સ્થિતિ છે. મોક્ષ જ સુખરૂપ છે. એટલા માટે દરેક આત્મહિતેચ્છુએ નિશ્ચય સમદર્શન-જ્ઞાન
ચારિત્ર એ ત્રણેની એકતારૂપ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ૧૦. તે માટે નિયમિત સત્સંગ, સ્વાધ્યાય, તત્ત્વચર્ચા, યથાર્થ જિનવાણીનું શ્રવણ, સત્સમાગમ,
આત્મવિચાર કરવા જરૂરી છે. ૭. જીવની અનાદિની સાત ભૂલોઃ ૧. “શરીર તે હું છું” એમ જીવ અનાદિથી માની રહ્યો છે, તેથી હું તેને હલાવી-ચલાવી શકું, શરીરના
કાર્યો હું કરી શકું, શરીર સારું હોય તો મને લાભ થાય એ વગેરે પ્રકારે તે શરીરને પોતાનું માને છે; આ
મહા ભ્રમ છે. આ જીવ તત્ત્વની ભૂલ છે એટલે કે જીવને તે અજીવ માને છે. ૨. શરીરની ઉત્પત્તિથી જીવનો જન્મ અને શરીરના વિયોગથી જીવનું મરણ તે માને છે. તેમાં અજીવને
જીવ માને છે. આ અજીવ તત્ત્વની ભૂલ છે.