SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સમજણ તે જ ધર્મનું પ્રથમ પગથિયું છે. કેવળજ્ઞાન દશા તે સંપૂર્ણ ધર્મ છે. શ્રદ્ધા ધર્મ પ્રગટ થયા પછી જ ચારેત્ર ધર્મ પ્રગટ થાય છે તેથી જ શ્રદ્ધારૂપી ધર્મ - સમ્યગ્દર્શન એ જ ધર્મનું પ્રથમ પગથિયું છે. ૫. હે જીવો ! જો તમે આત્મકલ્યાણ ચાહતા હો તે સ્વતઃ શુદ્ધ અને સમસ્ત પ્રકારે પરિપૂર્ણ આત્મ સ્વભાવની રુચિ અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો. એ સિવાય બીજાં જે કાંઈ છે તે સર્વની રુચિ, લક્ષ અને આશ્રય છોડો કેમ કે સુખ સ્વાધીન સ્વભાવમાં છે. પરદ્રવ્યો તમને સુખ કે દુઃખ કરવામાં સમર્થ નથી. તમે તમારા સ્વાધીન સ્વભાવનો આશ્રય છોડીને પોતાના દોષથી જ પરાશ્રય વડે અનાદિથી પોતાનું અમર્યાદિત અકલ્યાણ કરી રહ્યા છો. માટે હવે સર્વ પરદ્રવ્યોનું લક્ષ અને આશ્રય છોડીને સ્વદ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન તથા સ્થિરતા કરો. સ્વદ્રવ્યમાં બે પડખાં છે – એક તો ત્રિકાળી શુદ્ધ સ્વતઃ પરિપૂર્ણ નિરપેક્ષ સ્વભાવ છે અને બીજું ક્ષણિક વર્તમાન વર્તતી વિકારી હાલત છે. પર્યાય પોતે અનિત્ય છે તેથી તેના લક્ષે પૂર્ણતાની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન નહિ પ્રગટે. પણ જે ત્રિકાળી સ્વભાવ છે તે સદા શુદ્ધ, પરિપૂર્ણ છે અને વર્તમાને પણ તે પ્રકાશમાન છે. તેથી તેના આશ્રય – લક્ષે પૂર્ણતાની પ્રતીતરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થશે. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણ સ્વરૂપ છે. અને તે જ સર્વ કલ્યાણનું મૂળ છે. જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને કલ્યાણની મૂર્તિ ' કહે છે. માટે હે જીવો! તમે સર્વ પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો અભ્યાસ કરો. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે પણ કહ્યું છે કે ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. ૬. યથાર્થ વસ્તુ સ્વરૂપ ૧. ત્રણ લોકમાં જે અનંત જીવો છે તે બધા સુખ ચાહે છે અને દુઃખથી ડરે છે; પણ પોતાના સાચા સ્વરૂપની સમજણ ન હોવાને લીધે દુઃખ ભોગવે છે. ચાર ગતિના સંયોગ એ દુઃખનું કારણ નથી પણ બે સંયોગોમાં જે એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોકતૃત્વ, શેયત્વ બુદ્ધિ કરી જીવ સ્વયં એમાં ઈષ્ટઅનિષ્ટપણું માનીને રાગ-દ્વેષાદિ પરિણામો પોતાની પર્યાયમાં કરે છે અને એ દુઃખનું કારણ છે. ભગવંતોએ દુઃખના મુખ્ય ત્રણ કારણો બતાવ્યા છે. (૧) અજ્ઞાનતા (૨) મિથ્યાત્વ (૩) અસંયમ. નિશ્ચય સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્ર એ જ સુખનું કારણ છે. ૨. મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રને વશ થઈને આ જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કરી અનંત દુઃખ ભોગવી રહ્યો છે. જ્યાં સુધી દેહાદિથી ભિન્ન પોતાના આત્માની સાચી સમજણ અને પછી રાગાદિનો અભાવ ન કરે ત્યાં સુધી સુખ, શાંતિ, શાતા ન અનુભવાય. ૩. આત્મહિત માટે પ્રથમ આ ચારનું શ્રદ્ધાન જરૂરી છે. (અ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની યથાર્થ સમજણ અને પ્રતીતિ. (બ) જીવાદિ સાત તત્ત્વનું યથાર્થ શ્રદ્ધાન. (ક) સ્વ-પરના ભેદનું શ્રદ્ધાન. (ડ) નિજ શુદ્ધ આત્માનું યથાર્થ શ્રદ્ધાન.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy