SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ સામર્થ્યનો પણ નિશ્ચય થાય છે. અવલોકનમાં ચેતના...ચેતના...ચેતનાના સાતત્ય દ્વારા પોતાનું ચેતનાગુણમયપણું પરદ્રવ્યથી અને રાગથી પોતાને ભિન્ન પાડવાનું (ભેદજ્ઞાન) એકમાત્ર સાધન છે, બીજું કોઈ સાધન નથી. ૨૬. જ્ઞાનમાં રહેલાં જ્ઞાનવેદનથી લક્ષરૂપ આત્માની પ્રસિદ્ધિ થાય છે. આ લક્ષ્ય-લક્ષણની સંધિ છે. જેવો આત્મા કેવળજ્ઞાનમાં જણાય છે તેવો જ આત્મા લક્ષમાં આવતા અનંત મહિમાવંત પદાર્થ સાક્ષાત સિઇ સ્વરૂપ પોતે છે તેમ લાગતાં તેનો કોઈ અપૂર્વ મહિમા ઉત્પન્ન થાય છે. તે મહિમા આત્મરસ દ્વારા પરિણતિ ઉત્પન્ન કરે છે. વારંવાર પોતાના જ્ઞાન-દર્શન દ્વારમાં સ્વરૂપ શક્તિને દેખતાં, અનંત સુખનો ભંડાર પ્રતિભાસતા નિર્વિકલ્પ સ્વરૂપનો રસ ઘૂંટાઈને ઘટ્ટ થતો જાય છે. આ સ્થિતિમાં સ્વભાવની અનન્ય રુચિ - અપૂર્વ ભાવો પ્રગટ થાય છે અને રુચિ અનુયાયી વીર્ય-પુરુષાર્થ વડે અનંત પ્રત્યક્ષ તેજનું પૂર, જ્ઞાનમાં રહેલી પરોક્ષતાને વિલીન કરી સહજ પ્રત્યક્ષપણે વર્તવા લાગે છે. ૨૭. આત્મા તો સ્વરૂપે કરીને પ્રત્યક્ષ જ છે. પરંતુ પર્યાય અંતર્મુખ થાય તો “આત્મા પ્રત્યક્ષ છે' તેમ જણાય છે. બહિર્મુખ જ્ઞાનની પર્યાયવાળાને આત્મા પ્રત્યક્ષ લાગતો નથી, ભાસતો નથી; પરંતુ આત્મા પ્રત્યક્ષ જ છે. તેની સન્મુખ ઢળીને દેખે તો પોતે પ્રત્યક્ષ છે તેમ ભાસે છે. પરંતુ સન્મુખ કેમ ઢળવું તે સમસ્યાનું સમાધાન આ બાર મુદ્દામાં છે. ૧) ઉપયોગમાં એટલે કે ચાલતી જ્ઞાનની પર્યાયમાં જાણરૂપ વસ્તુને અર્થાત્ સ્વને જાણે. ૨) જ્ઞાનના આધારે - નિર્વિકલ્પ જ્ઞાનવેદનના આધારે થયેલો નિર્ણય સ્વરૂપલક્ષ ઉત્પન્ન કરે છે. ૩) આ નિર્ણય અંશતઃ રાગથી મુક્ત થઈને જ્ઞાનથી જ્ઞાનસ્વભાવનો જ્ઞાનની અધિકાઈમાં થયેલ ભાવભાસન છે કે જેમાં ભવી-અભવાની શંકા રહેતી નથી. ૪) જ્ઞાન સ્વયં વેદક સ્વભાવી છે. તેથી પ્રવર્તમાન જ્ઞાનની પર્યાયમાં તે જ પર્યાય સ્વયંના વેદનનો અનુભવ કરે ત્યારે સ્વસમ્મુખ થઈને વેદવાનું બને છે. આ પ્રકારે સ્વસમ્મુખ થવાની રીત છે. ૫) અંતરંગમાં રહેલા જ્ઞાનવેદનને વેદતાં જ્ઞાનની દિશા અંતર્મુખ થાય છે. અને અંતર્મુખ પરિણમન સ્વભાવ પ્રતિભાસે છે. દશાની દિશા પલટવી તે અપૂર્વ છે. ૬) આવા સ્વરૂપ નિર્ણય કાળે જ એક અખંડ અભેદ વસ્તુના દ્રવ્ય-ગુણ-પર્યાય આદિ ભેદ યથાર્થ રીતે સમજાય છે. ભેદ સમજવામાં આવવા છતાં પણ ભેદનો દષ્ટિકોણ ગૌણ થઈમુખ્યપણે અભેદતા સાધવાની પ્રક્રિયા ચાલે છે. ૭) વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે વેદને વર્તમાન અંશનું હોવા છતાં અવલંબન અંશી(સ્વભાવ)નું! વર્તમાન અંશરૂપ વર્તતો ભેદ ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં હું પણાના ભાવે’ અભેદતા સાધી સ્વરૂપ અનુભવ કરે છે. ૮) પ્રગટ જ્ઞાન વેદન દ્વારા સ્વભાવના પ્રત્યક્ષપણાનું, પ્રતીતિના બળથી વારંવાર ઉગ્રપણું થતાં
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy