________________
અંત નથી; પુણ્ય-પાપ તો અંતવાળા છે. જ્ઞાનસ્વરૂપ અનંત છે અને વિજ્ઞાનઘન છે. એકલા જ્ઞાનનો જ પિંડ છે. એકલા જ્ઞાનપિંડમાં રાગ-દ્વેષ જરા પણ નથી. રાગનો અજ્ઞાનભાવે કર્તા હતો પણ સ્વભાવભાવે રાગનો કર્તા નથી.
અખંડ આત્મસ્વભાવનો અનુભવ થતાં જે જે અસ્થિરતાના વિભાવો હતા તે બધાથી છૂટીને જ્યારે આ આત્મા, વિજ્ઞાનઘન એટલે જેમાં કોઈ વિકલ્પો પ્રવેશ કરી શકે નહિ એવા જ્ઞાનના નિબિડ
પિંડરૂપ પરમાત્મસ્વરૂપ આત્માને અનુભવે છે ત્યારે તે પોતે જ સમ્યગ્દર્શન સ્વરૂપ છે. ૨૩. નિશ્ચય અને વ્યવહાર: આમાં નિશ્ચય-વ્યવહાર બન્ને આવી જાય છે. અખંડ વિજ્ઞાનઘન સ્વરૂપ
જ્ઞાનસ્વભાવી આત્મા તે નિશ્ચય છે અને પરિણતિને સ્વભાવ સન્મુખ કરવી તે વ્યવહાર છે. મતિશ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળવાના પુરુષાર્થરૂપી જે પર્યાય તે વ્યવહાર છે, અને અખંડ આત્મસ્વભાવ તે નિશ્ચય છે. જ્યારે મતિ-શ્રુતજ્ઞાનને સ્વ તરફ વાળ્યા અને આત્માનો અનુભવ કર્યો તે જ વખતે આત્મા
સમ્યકપણે દેખાય છે – શ્રદ્ધાય છે જણાય છે. આ સમ્યગ્દર્શન પ્રગટ્યા વખતની વાત કરી છે. ૨૪. ઉપાદાન-નિમિત્ત અને કારણ-કાર્યઃ (૧) સાચા શ્રુતજ્ઞાનના અવલંબન વિના અને (૨) શ્રુતજ્ઞાનથી
જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કર્યા વિના આત્મા અનુભવમાં આવે નહિ. આમાં આત્માનો અનુભવ કરવો તે કાર્ય છે, આત્માનો નિર્ણય તે ઉપાદાનકારણ છે અને શ્રુતજ્ઞાનનું અવલંબન તે નિમિત્ત છે.
શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો તેનું ફળ તે નિર્ણય અનુસાર આચરણ અર્થાત્ અનુભવ કરવો તે છે. આત્માનો નિર્ણય તે કારણ અને આત્માનો અનુભવ તે કાર્ય - એ રીતે
અહીં લીધું છે, એટલે નિર્ણય કરે તેને અનુભવ થાય જ એમ વાત કરી છે. ૨૫. સમગ્દર્શન એ જ શાંતિનો ઉપાય છે અનાદિથી આત્માના અખંડ રસને સમ્યગ્દર્શન વડે જાણ્યો નથી
એટલે પરમાં અને વિકલ્પમાં જીવ રસ માની રહ્યો છે, પણ હું અખંડ એકરૂપ સ્વભાવ છું તેમાં જ મારો રસ છે, પરમાં કયાંય મારો રસ નથી. એમ સ્વભાવદષ્ટિના જોરે એક વાર બધાને નિરસ બનાવી દે! શુભ વિકલ્પ ઉઠે તે પણ મારી શાંતિનું સાધન નથી, મારી શાંતિ મારા સ્વરૂપમાં છે, આમ સ્વરૂપનારસના અનુભવમાં સમસ્ત સંસારને નિરસ બનાવી દે! તને સહજાનંદ રૂપના અમૃતરસની અપૂર્વ શાંતિનો અનુભવ પ્રગટ થશે. તેનો ઉપાય સમ્યગ્દર્શન જ છે.
અનંત કાળથી અનંત જીવો સંસારમાં રખડે છે અને અનંત કાળમાં અનંત જીવો સમ્યગ્દર્શન વડે સંપૂર્ણ સ્વરૂપનું ભાન કરીને મુક્તિ પામ્યા છે. જીવોએ સંસારપક્ષ તો અનાદિથી ગ્રહણ કર્યો છે પરંતુ સિદ્ધનો પક્ષ કદી ગ્રહણ કર્યો નથી. હવે સિદ્ધનો પક્ષ ગ્રહણ કરીને પોતાના સિદ્ધ સ્વરૂપને જાણીને સંસારનો અભાવ કરવાનો અવસર આવ્યો છે અને તેનો ઉપાય એકમ – સમ્યગ્દર્શન છે. સાર: સુખનો રસ્તો સાચી સમજણઃ જો આત્માની સાચી રુચિ થાય તો સમજણનો રસ્તો લીધા વગર રહે નહિ; સત્ય જોઈતું હોય તો આ જ રસ્તો છે. સમજતાં ભલે વાર લાગે, પરંતુ માર્ગ તો સાચી