________________
૨૬૬
૧૮. જ્ઞાનની ક્રિયા : મતિ અને શ્રુતજ્ઞાનને સ્વ તરફ એકાગ્ર કરવા, જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે તે જ જ્ઞાનને ત્યાંથી ખસેડીને સ્વભાવમાં વાળવું. મતિ અને શ્રુતજ્ઞાનના જે ભાવ છે તે તો જ્ઞાનમાં જ રહે છે, પરંતુ પહેલાં તે ભાવો પર તરફ વળતા, હવે તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. આત્માના સ્વભાવમાં એકાગ્ર થવાનો આ પુરુષાર્થ છે.
૧૯. જ્ઞાનમાં ભવ નથી : જેણે મનના અવલંબને પ્રવર્તતા જ્ઞાનને મનથી છોડાવી સ્વ તરફ વાળ્યું છે અર્થાત્ મિતજ્ઞાન પર તરફ વળતું તેને મર્યાદામાં લઈને આત્મસન્મુખ કર્યું છે તેના જ્ઞાનમાં અનંત સંસારનો નાસ્તિભાવ અને જ્ઞાનસ્વભાવનો અસ્તિભાવ છે. આવી સમજણ અને આવું જ્ઞાન કરવું તેમાં અનંત પુરુષાર્થ છે. સ્વભાવમાં ભવ નથી. તેથી જેને સ્વભાવ તરફનો પુરુષાર્થ ઊગ્યો તેને ભવની શંકા રહેતી નથી. જ્યાં ભવની શંકા છે ત્યાં સાચું જ્ઞાન નથી અને જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભવની શંકા નથી. આ રીતે ‘જ્ઞાન’ અને ‘ભવ’ની એકબીજામાં નાસ્તિ છે.
નિર્વિકલ્પ અનુભૂતિ ઃ
૨૦. નયપક્ષોના અવલંબનથી થતાં મન સંબંધી અનેક પ્રકારના વિકલ્પો તેને પણ મર્યાદામાં લાવીને અર્થાત્ તે વિકલ્પોને રોકવાના પુરુષાર્થ વડે શ્રુતજ્ઞાનને પણ આત્મસન્મુખ કરતાં શુદ્ધાત્માનો અનુભવ થાય છે; આ રીતે મતિ અને શ્રુતજ્ઞાનને આત્મસન્મુખ કરવા તે જ સમ્યગ્દર્શન છે. પરાવલંબને પ્રવર્તતા મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં લાવીને - અંતસ્ત્વભાવ સન્મુખ કરીને, તે જ્ઞાનો દ્વારા એક જ્ઞાનસ્વભાવને પકડીને (લક્ષમાં લઈને), નિર્વિકલ્પ થઈને, તત્કાળ નિજરસથી પ્રગટ થતાં શુદ્ધાત્માનો અનુભવ કરવો, તે અનુભવ જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
૨૧. સમ્યગ્દર્શન થતાં શું થાય ? : સમ્યગ્દર્શન થતાં સ્વરસનો અપૂર્વ આનંદ અનુભવાય છે. આત્માનો સહજ આનંદ પ્રગટ થાય છે, આત્મિક આનંદનો ઉછાળો આવે છે, અંતરમાં આત્મશાંતિનું વેદન થાય છે, આત્માનું સુખ અંતરમાં છે તે અનુભવમાં આવે છે; એ અપૂર્વ સુખનો રસ્તો સમ્યગ્દર્શન જ છે.‘હું ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ છું’ એમ જે નિર્વિકલ્પ શાંતરસ અનુભવાય છે તે જ શુદ્ધાત્મા અર્થાત્ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન છે. અહીં તો સમ્યગ્દર્શન અને આત્મા બન્ને અભેદ લીધા છે. આત્મા પોતે સમ્યગ્દર્શન સ્વરૂપ છે.
૨૨. આ રીતે અનુભવમાં આવતો શુદ્ધાત્મા કેવો છે ? : શુદ્ધાત્મા આદિ-મધ્ય-અંત રહિત ત્રિકાળ એકરૂપ છે, તેમાં બંધ-મોક્ષ નથી, તે અનાકુળતા સ્વરૂપ છે. ‘હું શુદ્ધ છું કે અશુદ્ધ છું’ એવા વિકલ્પથી થતી જે આકુળતા તેનાથી રહિત છે. લક્ષમાંથી પુણ્ય-પાપનો આશ્રય છૂટીને એકલો આત્મા જ અનુભવરૂપ છે, કેવળ એક આત્મામાં પુણ્ય-પાપના કોઈ ભાવો નથી. જાણે કે આખા ય વિશ્વ પર તરતો હોય એટલે કે સમસ્ત વિભાવોથી જુદો થઈ ગયો હોય તેવો ચૈતન્યસ્વભાવ છૂટો અખંડ પ્રતિભાસમય અનુભવાય છે. આત્માનો સ્વભાવ પુણ્ય-પાપથી ઉપર તરતો છે. તરતો એટલે કે તેમાં ભળી જતો નથી, તે રૂપ થતો નથી, પરંતુ તેનાથી છૂટો ને છૂટો રહે છે. અનંત છે એટલે કે જેના સ્વભાવનો કદી