________________
૨૬૪
૯. આનંદ પ્રગટાવવાની ભાવનાવાળો શું કરે ? : જગતના જીવોને સુખ જોઈએ છે, સુખ કહો કે ધર્મ કહો. ધર્મ કરવો છે એટલે આત્મશાંતિ જોઈએ છે, સારું કરવું છે. સારું ક્યાં કરવું છે ? આત્માની અવસ્થામાં દુઃખનો નાશ કરીને વીતરાગી આનંદ પ્રગટ કરવો છે. આનંદ એવો જોઈએ કે સ્વાધીન હોય - જેના માટે પરનું અવલંબન ન હોય. આવો આનંદ પ્રગટાવવાની જેને યથાર્થ ભાવના હોય તે જિજ્ઞાસુ કહેવાય. જિજ્ઞાસુ પ્રથમ એ જુએ કે એવો પૂર્ણાનંદ કોને પ્રગટ્યો છે. જેને પરિપૂર્ણ અને એ સ્વાધીન આનંદ પ્રગટ્યો હોય તે જ સંપૂર્ણ સુખી છે, તેવા સર્વજ્ઞ છે. આ રીતે જિજ્ઞાસુ પોતાના જ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય કરે છે. પરદ્રવ્ય પ્રત્યેની સુખબુદ્ધિ અને રુચિ ટાળી તે પાત્રતા અને સ્વભાવની રુચિ અને ઓળખાણ થવી તે પાત્રતાનું ફળ છે.
૧૦. શ્રુતજ્ઞાનનું અવલંબન એ જ પહેલી ક્રિયા ઃ પોતાના જ્ઞાનમાં રુચિ અને પુરુષાર્થથી આલ્કલ્યાણ થાય છે. સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને તેમના કહેલા શ્રુતજ્ઞાનના અવલંબનથી પોતાના આત્માનો નિર્ણય કરવો જોઈએ, એ જ પ્રથમ કર્તવ્ય છે. જ્યારે જીવ પોતે પોતાના પુરુષાર્થથી સમજે છે ત્યારે સામે નિમિત્ત તરીકે સત્ દેવ-ગુરુ-શાસ્ત્ર.જ હોય છે. આત્માના નિર્ણયમાં સત્ નિમિત્તો જ હોય છે. કુદેવાદિને માને તેને આત્મનિર્ણય હોય જ નહિ. આ ધર્મની કળા સમજ્યા વગર મોક્ષ થાય નહિ, સુખ પ્રગટે નહિ.
૧૧. ધર્મ કયાં છે અને કેમ થાય ?ઃ ધર્મ તો પોતાનો સ્વભાવ છે. બાહ્ય ક્રિયાકાંડમાં ક્યાંય આત્માનો ધર્મ નથી. ધર્મ પરાધીન નથી, કોઈના અવલંબને ધર્મ થતો નથી, ધર્મ કોઈનો આપ્યો અપાતો નથી; પણ પોતાની ઓળખાણથી જ ધર્મ થાય છે. જે આત્માઓ પૂર્ણાનંદ દશા પામ્યા છે - તેમની એ દશામાં જ્ઞાન પણ પૂર્ણ જ છે; જો જ્ઞાન પૂર્ણ ન હોય તો રાગ-દ્વેષ રહે અને રાગ-દ્વેષ રહે તો દુઃખ રહે, જ્યાં દુઃખ હોય ત્યાં પૂર્ણાનંદ ન હોઈ શકે. જેને પૂર્ણાનંદ પ્રગટ્યો છે એવા સર્વજ્ઞ ભગવાન છે અને તેઓ શું કહે છે તેનો જિજ્ઞાસુએ નિર્ણય કરવો જોઈએ. ‘પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબન વડે આત્માનો નિર્ણય કરવો જોઈએ.’ એ નક્કી કરવા નિવૃત્તિ જોઈએ.
૧૨. સુખનો ઉપાય - જ્ઞાન અને સત્સમાગમ ઃ સુખ જોઈતું હોય તો તું પહેલાં સુખ ક્યાં છે અને તે કેમ પ્રગટે તેનો નિર્ણય કર. જેને ધર્મ કરવો હોય તે ધર્મીને ઓળખી તેઓ શું કહે છે તેનો નિર્ણય કરવા માટે સત્સમાગમ કરે. સત્યમાગમે જેને શ્રુતજ્ઞાનનું અવલંબન થયું કે ‘અહો ! પરિપૂર્ણ આત્મવસ્તુ, આ જ ઉત્કૃષ્ટ મહિમાવંત છે, આવું પરમ સ્વરૂપ મે અનંત કાળમાં સાંભળ્યું પણ નથી’- આમ થતાં તેને સ્વરૂપની રુચિ જાગે અને સત્સમાગમનો રંગ લાગે. આત્મસ્વભાવની વાત સાંભળતા જિજ્ઞાસુ જીવોને મહિમા આવે જ ! સ્વરૂપની ઝંખના લાગે, રસ આવે, મહિમા જાગે અને એ મહિમાને યથાર્થપણે ઘૂંટતા સ્વરૂપનો નિર્ણય કરે. આ રીતે જેને ધર્મ કરીને સુખી થવું હોય તેણે પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન લઈને આત્માનો નિર્ણય કરવો.
જ
શ્રુતજ્ઞાનના અવલંબન વડે જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવા જે તૈયાર થયો છે તેને અલ્પ કાળમાં આત્મભાન થશે. જે અનંત કાળના સંસારનો અંત લાવવા માટે પૂર્ણ સ્વભાવના લક્ષે