SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તેમને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન - તત્ત્વને આત્મસન્મુખ કર્યું છે એવો તથા નાના પ્રકારના પક્ષોના આલંબનથી થતાં અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવી શ્રુતજ્ઞાન તત્ત્વને પણ આત્મસન્મુખ કરતો, અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ પરમાત્મારૂપ આત્માને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે, તે જ સમ્યગ્દર્શન અને જ્ઞાન છે. ૪. શ્રુતજ્ઞાન કોને કહેવું? સર્વજ્ઞ ભગવાને કહેલું અસ્તિ-નાસ્તિ દ્વારા વસ્તુસ્વરૂપને સિદ્ધ કરે છે. અનેકાન્ત સ્વરૂપ વસ્તુને ‘સ્વપણે છે અને પરપણે નથી”-એમ જે વસ્તુને સ્વતંત્ર સિદ્ધ કરે છે તે શ્રુતજ્ઞાન છે. એક વસ્તુમાં છે અને નથી' એવી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ જુદી જુદી અપેક્ષાથી પ્રકાશીને વસ્તુનું પરથી ભિન્ન સ્વરૂપ જે બતાવે છે તે શ્રુતજ્ઞાન છે; આત્મા સર્વ પદ્રવ્યોથી જુદી વસ્તુ છે એમ પ્રથમ શ્રુતજ્ઞાનથી નક્કી કરવું જોઈએ. ૫. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક લક્ષણ - અનેકાન્તઃ એક વસ્તુ પોતાપણે છે અને તે વસ્તુ અનંત પરદ્રવ્યોથી છૂટી છે આમ અસ્તિ-નાસિરૂપ પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓને પ્રકાશીને વસ્તુસ્વરૂપને જે બતાવે છે તે અનેકાન્ત છે અને તે શ્રુતજ્ઞાનનું લક્ષણ છે. ૬. ભગવાન પણ બીજાનું કરી શક્યા નહિ. ભગવાને પોતાનું કાર્ય પૂરેપૂરું કર્યું પણ બીજાનું ભગવાને કાંઈ કર્યું નહિ, કેમ કે એક તત્વ પોતાપણે છે અને પરપણે નથી તેથી તે કોઈ બીજાનું કાંઈ કરી શકે નહિ. દરેક દ્રવ્ય જુદા જુદા સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકે નહિ - આમ જાણવું તે જ ભગવાનના શાસ્ત્રની ઓળખાણ છે; તે શ્રુતજ્ઞાન છે. પ્રભાવનાનું સાચું સ્વરૂપ : કોઈ જીવ પરદ્રવ્યની પ્રભાવના કરી શકતો નથી, પરંતુ જૈન ધર્મ એટલે કે આત્માનો વીતરાગ સ્વભાવ તેની પ્રભાવના ધર્મી જીવો કરે છે. આત્માને જાણ્યા વગર આત્માના સ્વભાવની વૃદ્ધિરૂપ પ્રભાવના કેવી રીતે કરે ? પ્રભાવના કરવાનો વિકલ્પ ઉઠે તે પગ પરના કારણે નથી; બીજા માટે કાંઈ પણ પોતામાં થાય એમ કહેવું તે જૈન શાસનની મર્યાદામાં નથી. જૈન શાસન તો વસ્તુને સ્વતંત્ર, સ્વાધીન, પરિપૂર્ણ સ્થાપે છે. ૮. અહિંસાનું ભગવાને કહેલું સ્વરૂપઃ ભગવાને બીજા જીવોની દયા સ્થાપી એ વાત ખોટી છે. પરજીવની કિયા જીવ કરી જ શકતો નથી તો પછી તેને બચાવવાનું ભગવાન કેમ કહે? ભગવાને તો આત્માના સ્વભાવને ઓળખીને કષાય ભાવથી પોતાના આત્માને બચાવવો તે કરવાનું કહ્યું છે; તે ખરી દયા છે. પોતાના આત્માનો નિર્ણય કર્યા વગર જીવ શું કરશે? ભગવાનના શ્રુતજ્ઞાનમાં તો એમ કહ્યું છે કે તું તારાથી પરિપૂર્ણ વસ્તુ છો, દરેક તત્ત્વ પોતાથી જ સ્વતંત્ર છે, કોઈ તત્ત્વને બીજા તત્ત્વનો આશ્રય નથી.” આ પ્રમાણે વસ્તુના સ્વરૂપને છૂટું રાખવું તે અહિંસા છે અને એકબીજાનું કરી શકે એમ વસ્તુને પરાધીન માનવી તે હિંસા છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy