________________
૨૪૭
૮. સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાન છે. તે જ્ઞાની પુરુષના વચન સાચા છે, અત્યંત.
સાચા છે. જ્યાં સુધી તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનથી નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા રાઘુરુનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય ભાવના
નિરંતર કર્તવ્ય છે. ૯. સત્પરુષના પ્રત્યક્ષ જોગનું અને પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ તે
સપુરુષ છે. સમ્યકત્વ પામ્યા છે એવા પુરુષનો નિશ્ચય થયું અને પોતાની યોગ્યતાના કારણે જીવ
સમ્યકત્વ પામે છે. ૧૦. પૂર્વે થઈ ગયેલા અનંત જ્ઞાનીઓ જો કે મહા જ્ઞાની થઈ ગયા છે, પણ તેથી કાંઈ જીવનો દોષ જાય
નહિ, એટલે કે અત્યારે જીવમાં માન હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાની કહેવા આવે નહિ, પરંતુ હાલ જે પ્રત્યક્ષ જ્ઞાની બીરાજમાન હોય તે જ દોષને જણાવી - કઢાવી શકે. જેમ દૂરના ક્ષીર સમુદ્રથી
અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહિ પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. ૧૧. જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે આવા આવા પ્રકારથી, પણ
તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહિ. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે
પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. ૧૨. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૩. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણાવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા
વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને તે આવ્યથી અવશ્ય તે
મુમુક્ષુ જેનાં ચરણાવિંદ તેણે સેવ્યા છે, તેની દશાને પામે છે. ૧૪. અનંત કાળથી પોતાને પોતાના સ્વરૂપ વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે આ એક અવા, અભૂત
વિચારણાનું સ્થળ છે. ૧૫. નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; પુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; પુરુષોના ચારિત્રોનું સ્મરણ
કરવું, સત્પરુષોના લક્ષણનું ચિંતન કરવું, પુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેના મન, વચન, કાયાના પ્રત્યેક ચેષ્ટાના અદ્ભત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત
કરેલું સર્વ સમ્મત કરવું. ૧૬. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી
ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય પરમ રહસ્ય છે. એ સઘળાનું કારણ
કોઇ વિદ્યમાન પુરુષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. ૧૭. ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી, તેજસ અને કાર્પણ શરીરથી પણ ભિન્ન
અવલોકનની દષ્ટિ સાધ્ય કરવી.