SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ ૧૮. તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શ તા-અશાતારૂપ અનુભવ વેદયા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી - ૧) જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા-અશાતાને સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઇ..... ૨) દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગ્રહણ કરી..... ૩) પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપશમ થઇ...... ૪) જેમ ઉપશમીત થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવનના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે. ૧૯. તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થીજનને પરમ વીતરાગ સ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિગ્રંથ ગુરુ, પરમ દયામૂળ ધર્મ વ્યવહાર અને પરમ શાંતરસ રહસ્ય વાક્યમય સલ્લાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમ ભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણના પરમ કારણ છે. ૨૦. દેહથી ભિન્ન સ્વ-પરપ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો, તો અનંત અપાર આનંદ અનુભવશો. ૨૧. ‘આ’ પ્રભુ ! અંદર મહાન વસ્તુ પડી છે (વિદ્યમાન છે) એમાં એ બાજુ અંતરમાં લીન થા! એની સન્મુખ થા! એનો આશ્રય લે ! એ ભગવાન, પૂર્ણાનંદના નાથનું શરણ લે ! ઉત્તમમાં ઉત્તમ કોઈ પદાર્થ હોય તો એ સામાન્ય ચીજ નિજાત્મા છે; તે ઉત્તમ પદાર્થ સર્વોત્કૃષ્ટ છે અને તીર્થંકર પરમાત્માથી પણ તારો આત્મા સર્વોત્કૃષ્ટ, ઉત્તમ છે એને તું જાણ! ૨૨. આત્મજ્ઞાન જે યથાર્થ બોધની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી, એ યથાર્થ બોધની પ્રાપ્તિ ઘણું કરીને કમે કરીને ઘણા જીવોને થાય છે અને તેનો મુખ્ય માર્ગ તે બોધ સ્વરૂપ એવા જ્ઞાની પુરુષોનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. ૨૩. સર્વ વિકલ્પનો, તર્કનો ત્યાગ કરીને, મનનો, વચનનો, કાયાનો, ઇન્દ્રિયોનો, આહારનો, નિદ્રાનો જય કરીને, નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. તે થતાં જ તેનો અનુભવ થશે. ૨૪. એકાંત આત્મવૃત્તિ, એકાંત આત્મા, કેવળ એક આત્મા, કેવળ એક આત્મા જ, કેવળ માત્ર આત્મા, કેવળ માત્ર આત્મા જ, આત્મા જ, શુદ્ધાત્મા જ, સહજ આત્મા જ, નિર્વિકલ્પ, શબ્દાતીત, સહજ સ્વરૂપ આત્મા જ. બસ એક જ લીનતા. સ્વભાવ સન્મુખ અનુભવ કરવાની, સમકિત પ્રાપ્ત કરવાની આ જ રીત છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy