________________
૬
તે
૧૮. સમ્યગ્દર્શન પ્રગટ થયું તે પર્યાયની પૂર્વેની પર્યાય શુભ ભાવની જ હોય છે. તે સવિકલ્પ દશામાં પણ ‘હું શુદ્ધ, બુદ્ધ, શાયક’ એવું ચિંતવન ચાલી રહ્યું હોય છે તે પણ રાગ ભાવ જ છે. એ મારું સ્વરૂપ નથી. પરંતુ અંદર બીરાજમાન ભગવાન આત્મા એના સ્વભાવના જોરે જે ભાવ દર કામ કરે છે, ત્યાં તીવ્ર પુરુષાર્થ દ્વારા અંદર જતાં શુદ્ધ ભાવની સંપ્રાપ્તિ થાય છે.
૧૯. જીવને અજ્ઞાનવશ દેહમાં આત્મબુદ્ધિ રહેલી છે તેથી પર વસ્તુમાં પણ મમત્વ રહેલું છે. દેહ વિષે જે વિપર્યાસ બુદ્ધિ છે તેનું બળ ઘટવા યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા ‘જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યા છે.’’
ગૃહ-કુટુંબ પરિગ્રહાદિભાવને વિષે જે અહંતા - મમતા છે અને તેની પ્રાપ્તિ, અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ-દ્વેષ કષાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે. અને અહંતા, મમતા તથા કષાય જેવા વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે તેવા મંદ પડે છે. અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહ-કુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે ‘વૈરાગ્ય’ છે. અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો જે કષાય કલેશ તેનું મંદ થવું તે ‘ઉપશમ’ છે. આ બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાયાંતર કરી રાજ્બુદ્ધિ કરે છે. આવી સત્બુદ્ધિ જીવને સમ્યક્ત્વ સંપ્રાપ્ત કરવામાં મહાન ઉપકારી થાય છે.
૨૦. મુમુક્ષુ જીવ આત્મજ્ઞાની સદ્ગુરુ પાસેથી પોતાનું આત્મસ્વરૂપ સાંભળી - સમજીને તેનું જ્ઞાન કરી લે છે અને મારું સ્વથી એકત્વ અને પરથી વિભક્ત સ્વરૂપ જેવું છે તેની યથાર્થ શ્રદ્ધા કરે છે. પછી તે સ્વરૂપનું ધ્યાન અને ભાવના કરીને તે શુદ્ધ સ્વરૂપ પર્યાયમાં પ્રગટાવવા ઉદ્યમી બને છે. જેને સત્ની રુચિ છે તેને તત્ત્વ પામવાની સાચી જિજ્ઞાસા હોય જ. એ રીતે એ જીવ સમ્યક્ત્વ પ્રગટ કરે છે. આ સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે. માટે સમ્યગ્દર્શનના વિષયનો વિસ્તારથી અભ્યાસ કરવો અત્યંત જરૂરી છે.
૪. ભેજ્ઞાન :
૧. સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન, અસંગ, અભેદ એકક્ષેત્રાવગાહપણે અને વિશેષ સંબંધથી રહેલા શરીર અને અષ્ટ કર્મોથી પણ ભિન્ન અબદ્ધ, અસ્પષ્ટ, જ્ઞાન-દર્શન ઉપયોગલક્ષણથી લક્ષિત, ચૈતન્ય ચમત્કાર માત્ર એવા આ પરમ શુદ્ધ આત્માને ચિંતવવો, તેની જ ભાવના કરવી અને જ્ઞાનઉદ્યોગ જે અન્ય પદાર્થોમાં જતો હતો તે ઉપયોગને ત્યાંથી સમેટી લઈ કેવળ એક આત્મદ્રવ્યનું જ્ઞાન કરવામાં તેને લગાવવો, તેનું સતત ચિંતન કરવું, તે રીતે પરિણતિ શુદ્ધ થતાં સમ્યગ્દર્શન પ્રકાશે છે.
૨. મારો આ આત્મા અજર, અમર, અવિનાશી, શુદ્ધ, નિર્મળ સ્વભાવી છે. ત્રણે કાળ એકરૂપ શુદ્ધ,
।
પરમ શુદ્ધ જ રહેવાવાળો છે. અને સર્વે પર દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે. એવું આ ભગવાન આત્માનું સ્વરૂપ જાણીને, રાગરહિત સ્વભાવની શ્રદ્ધા અને પ્રતીતિ કરવાથી પર્યાયમાં જેરાગ-દ્વેષની પરિણતિ થતી હતી તેનો છેદ થાય છે.
૩. ભેદજ્ઞાનની પ્રક્રિયા વડે નિશ્ચલ શ્રદ્ધા કરીને પોતાના આત્માની અનુભૂતિ પામે છે તે પુરુષો દર્પણની