________________
જેમ પાતામાં પ્રતિબિંબીત થયેલા અનંત ભાવોના સ્વભાવથી નિરંતર વિકારરહિત હોય છે. જ્ઞાનમાં જે શેય(પોતાના જ્ઞાનમાં જણાવા યોગ્ય પદાર્થો)ના આકાર પ્રતિભાસે છે તેમનાથી તેવા પુરુષોને વિકાર પ્રાપ્ત થતાં નથી. ૪. કોઈ આત્મા પોતાથી જ આત્માની અનુભૂતિને પામે છે તેવા આત્માઓએ પૂર્વે સદગુરુ પાસેથી
દેશનાલબ્ધિ સંપ્રાપ્ત કરી હોય છે. તેઓ રાગ અને આત્માના ભિન્ન ભિન્ન લક્ષણો જાણીને, રાગનું લક્ષ છોડીને પ્રજ્ઞાછીણી વડે અર્થાત્ જ્ઞાનની પરિણતિરૂપ છીણી વડે - રાગ અને આત્મા વચ્ચે જે સાંધ છે તેમાં પ્રજ્ઞાછીણી પટકાવીને આત્માને રાગથી જુદો જુએ છે. જેને આવું ભેદજ્ઞાન પ્રકાશે છે તે આમા આવી અવિચળ સ્વ આત્મતત્ત્વની અનુભૂતિને પામે છે. ભેદજ્ઞાન જ આત્માનુભૂતિનું
સાધન છે. ૫. ભગવાન આત્માની અનુભૂતિ અને સમ્યગ્દર્શનનું મૂળ કારણ ભેદજ્ઞાન છે. જ્ઞાનીઓએ અનંત કરુણા
કરીને કહ્યું છે હેભવ્યો! તમે પહેલાં વિકલ્પ દ્વારા લક્ષામાં અને પ્રતીતમાં લોકે અંતરનો અનુભવભેદજ્ઞાનના કારણે થાય છે. પરદ્રવ્યોથી ભિન્ન પોતાના સ્વરૂપને જાણી એનો અનુભવ કરવો એમાં ભેદજ્ઞાન જ
કારણભૂત થાય છે. ૬. હે ભવ્ય ! બીજા નકામા કોલાહલ અર્થાત પરમાં વસવાનું એટલે પરમાં આસક્તિ અને મારાપણાની
બુદ્ધિ અને વિકારો વગેરે કોલાહલ કરવાથી તારા આત્માને શું લાભ થવાનો છે? માત્ર અશુભ કર્મબંધનનો જ લાભ થશે અને તેથી તું દુર્ગતિ અને અનંત સંસાર તથા દુઃખને પામીશ. માટે એ કોલાહલથી તું વિરક્ત થા; અને એક ચૈતન્યમાત્ર વસ્તુને તેમાં લીન થઈ દેખ. તને તારા નિજ
વૈભવની પ્રાપ્તિ થયા વગર રહેશે નહિ. ૭. જો આત્મા પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે, તેને ચિંતવે, પર્યાય તે સ્વરૂપમાં એકાકાર થાય તો તેની
પ્રાપ્તિ અવશ્ય થાય જ. પર વસ્તુ હોય તો તેની પ્રાપ્તિ ન થાય. પરંતુ પોતાનું સ્વરૂપ તો પોતાની સન્મુખ જ છે, કાંઈ દૂર નથી, તેથી તેની પ્રાપ્તિ થાય, અવશ્ય થાય જ. પરંતુ જીવ અનાદિકાળથી મોહને વશ થઈ તે સ્વરૂપને ભૂલી રહ્યો છે. જો તે ભૂલ સુધારે, સ્વરૂપ સન્મુખ થાય, જે ઉપયોગ અન્ય દ્રવ્ય-ગુણ-પર્યાયમાં પ્રવર્તતો હતો ત્યાંથી વાળી લઈને, માત્ર સ્વરૂપનું જ જ્ઞાન કરવા લાગે, તેમાં લીનતા કરે, અન્ય કોલાહલથી નિવૃત્તિ કરે તો અવશ્ય સ્વરૂપનું બીજા સર્વ પદાર્થોથી ભિન્ન
ભાન થઈ, સમ્યગ્દર્શન પ્રગટ થઈ શકે છે. મોક્ષમાર્ગ ખુલ્લો થાય છે. ૮. પ્રયોજનભૂત કાર્ય કે પ્રવૃત્તિ એને કહેવાય કે જે કાર્યથી મોક્ષ પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ થાય. જે
સંસારમાં પરિભ્રમણ કરાવે તે નિપ્રયોજનભૂત કાર્ય છે. ભેદજ્ઞાન એ પ્રયોજનભૂત કાર્ય છે. ૯. જે જ્ઞાન ઉપયોગ પરદ્રવ્યમાં પરિણમતો હતો, તેને હવે પોતાના મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને મર્યાદામાં
લાવે. અને પોતાના જ્ઞાનસ્વરૂપમાં લીન થઈ - તેમાં ઢળી જઈ તેનું જ જ્ઞાન કરવા લાગે તો અત્યંત વિકલ્પ રહિત થઈને, તત્કાળ નિજ રસથી પ્રગટ થતાં, આદિ-મધ્ય-અંતરહિત અનાકુળ કેવળ એક