________________
૫
-
૧૩. જ્યારે બાત્માએ પોતાનું સ્વરૂપ જાણી લીધું અને તેની તેવી જ પ્રતીતિ કરી, તેમાં જ રમણતા અને
લીનતા કરી, ત્યારે પોતાનું સ્વરૂપ સર્વે પદાર્થોથી અત્યંત ભિન્ન અનુભવથી લાગ્યું પછી પરદ્રવ્યોથી મને લાભ કે નુકસાન થાય એ માન્યતા છૂટી જાય છે. પરદ્રવ્યો પ્રત્યેની કર્તબુદ્ધિ તૂટી જાય છે. અને જો હું રાગ-દ્વેષરૂપ પરિણમીશ તો એના ફળ હું એકલો જ ભોગવીશ. અને જો નિર્વિકલ્પ દશા પ્રગટાવી, વીતરાગતા પ્રગટ કરીને કેવળજ્ઞાન પ્રગટાવીશ તો ફળ સ્વરૂપ મોક્ષના અનંત સુખ પણ હું
એકલો જ ભોગવીશ એવો તેને દઢ નિશ્ચય હોય છે. ૧૪. શરીરરૂપ જડ પુદ્ગલ અને પરમ જ્યોતિ સ્વરૂપ ચૈતન્ય એ બન્ને દ્રવ્યના સ્વભાવ જુદા છે એવું જેને
સુપ્રતિતપણે, સમ્યક પ્રતીતિપૂર્વક સમજાઈ જાય છે. તથા સ્વ-પરપ્રકાશક અથતું પોતાને અને અન્યને જાણનાર પરમ જ્યોતિ સ્વરૂપ એટલે કે સંપૂર્ણ જ્ઞાનમય આત્મા તે જ પોતાનું સ્વરૂપ છે અને શરીરાદિ જડ પદાર્થ શેય છે અર્થાત્ મારા જ્ઞાનમાં જણાવા યોગ્ય છે. વળી તે શેય પણ સ્વજોય નથી પરંતુ પરણેય માત્ર છે. સ્વજ્ઞય તો મારો નિજ ભગવાન આત્મા જ છે. આવો અનુભવનો પ્રકાશ જેને ઉલ્લસિત થયો છે તેવા આત્માને શરીરાદિ જડ પદાર્થથી ઉદાસીનતા થાય છે, તે પુદ્ગલના પરિણમનથી તેને રાગ-દ્વેષ થતાં નથી, કારણ કે તે જાણે છે કે તે પુદ્ગલનું પરિણમન તેની સ્વતંત્રતાથી, ક્રમબદ્ધ અને તે સમયની તેની પર્યાયની યોગ્યતાથી થાય છે. તેમાં ફેરફાર કરવા કોઈ પણ અન્ય દ્રવ્ય સામર્થ્ય ધરાવતું નથી. આવી દઢ માન્યતાથી ત્યાંથી દષ્ટિ ખસી જાય છે અને તે આત્માને સ્વરૂપમાં
પ્રવર્તવારૂપ આત્મવૃત્તિ થાય છે. ૧૫. જો આમા નિશ્ચયથી શરીરાદિરૂપ પર દ્રવ્યના કર્મને કરે તો નિયમથી તેમાં તન્મય અર્થાત્ પદ્રવ્યમય
થઈ જાય. અને જો એમ થાય તો દ્રવ્યનો નાશ થઈ જાય, તેનું અસ્તિત્વ જ ન રહે, એ મોટો દોષ આવી પડે. પરંતુ આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કર્તા ક્યારે થતો નથી. એક દ્રવ્યને બીજા દ્રવ્યનું કર્તા માનવું એ મિથ્યા માન્યતા છે. આવી રીતે વસ્તુ સ્વતંત્રતાનો સિદ્ધાંત બરાબર સમજી આત્મ
સ્વરૂપની સમજણથી સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૬. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટે ભેદજ્ઞાન કરવું જરૂરી છે. આ ભેદજ્ઞાન કરવા માટે સાતે તત્ત્વોનું યથાર્થ
જ્ઞાન કરી એ જીવ તત્વ બીજા બધાથી સર્વથા ભિન્ન છું એમ નિર્ણય કરી એ તત્ત્વોના વિકલ્પ છોડી, આત્મતત્ત્વ પર જ લક્ષ કેન્દ્રિત કરી, તે આત્મસ્વરૂપની ભાવના કરવાથી તેમાં અંતર્મુખ થવાય છે, સ્વરૂપમાં લીનતા આવે છે. સ્વભાવને જોરે તે નિર્વિકલ્પતા, વીતરાગતા, સ્વસંવેદનતા પ્રગટે છે
અને તે સાથે જ સમ્યગ્દર્શન પ્રગટે છે. ૧૭. આ વીતરાગ ભાવ એક સમય માટે પર્યાયમાં હોય છે તે વખતે ચારિત્રની શુદ્ધિ હોય છે તેને સ્વરૂપ
આચરણ કહે છે. ચારિત્રની અંશે શુદ્ધિ થયે સમ્યગ્દર્શનની સંપ્રાપ્તિ થાય છે. સ્વસંવેદનમાં આત્માના આનંદાણનો સ્વભાવ પર્યાય પ્રગટ થયો તેને ભોગવતો આત્માને પ્રત્યક્ષ થાય છે. તેથી સ્વસંવેદન, સ્વાનુભૂતિ કે ઉપયોગાત્મક અનુભૂતિમાં જે આનંદ પ્રગટ્યો એ અતીન્દ્રિય છે.