________________
૨૨૪
અભાવમાં શુભાશુભ ઉપયોગથી બંધને કરે છે, તો પણ શુદ્ધ પરમ પારિણામિક ભાવ બંધ-મોક્ષને કરતો નથી, શુભાશુભ ભાવને કરતો નથી ને અનુભૂતિને પણ કરતો નથી. પરમ ભાવની દૃષ્ટિથી અનુભૂતિનો તથા શુભાશુભ ભાવનો અકર્તા છે.
૧૫. ઉત્પાદ-વ્યય વિનાનું ધ્રુવ, મોક્ષની પર્યાયને કરતું નથી. નિશ્ચયથી ધ્રુવ છે તે ઉત્પાદ-વ્યયનો હેતુ નથી, ઉત્પાદ છે તે વ્યય કે ધ્રુવનો હેતુ નથી તથા વ્યય છે તે ઉત્પાદ કે ધ્રુવનો હેતુ નથી, બંધનો ને મોક્ષનો બન્ને ભાવોનો કર્તા ધ્રુવ નથી, કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા પણ ધ્રુવ વસ્તુ નથી.
૧૬. વસ્તુ અબંધ સ્વરૂપ છે, તેને દૃષ્ટિમાં લેવો તે મહાન પુરુષાર્થ છે. નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ દ્વારા વસ્તુ દૃષ્ટિમાં આવે છે. પર્યાયમાં બંધ-મોક્ષ છે પણ દ્રવ્યમાં બંધ-મોક્ષ છે જ નહિ. વસ્તુસ્વભાવમાં બંધ કેમ હોય ? તો વસ્તુનો અભાવ થઈ જાય. જ્ઞાયકભાવમાં બંધ-મોક્ષ ક્યાંથી આવે ? નિર્મળ પરિણતિ પણ દ્રવ્યની નથી.
૧૭. દ્રવ્યનું સ્વરૂપ બતાવવા, તેની દૃષ્ટિ કરાવવા અને પર્યાય દષ્ટિ છોડાવવા આચાર્ય કહે છે કે પર્યાયને દ્રવ્ય કરતું નથી.
૧૮. જીવ અને મોક્ષ વચ્ચે કોઈ સંબંધ છે કે નહિ ? હા, અભાવ સંબંધ છે ! દ્રવ્ય અને પર્યાયને પ્રગટ ભાવાદિ ચાર પ્રકારના અભાવની જાતનો અભાવ નથી પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે આધ્યાત્મિક અભાવ છે. જીવમાં પર્યાય નથી અને પર્યાયમાં જીવ નથી એવો સંબંધ છે. ભગવાન ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ સદેશ વસ્તુ છે, સામાન્ય સ્વરૂપ છે તેમાં વિશેષનો અભાવ છે. સામાન્યમાં વિશેષનો અભાવ હોવાથી સામાન્ય તે વિશેષને કરતું નથી. વ્યક્તમાં વ્યક્ત અને અવ્યક્તનું એકી સાથે જ્ઞાન થવા છતાં અવ્યક્ત વ્યક્તને સ્પર્શતું નથી. પર્યાયના આલિંગન વિના દ્રવ્ય શુદ્ધ છે. નિર્મળ પર્યાય વિનાના દ્રવ્યને શુદ્ધ કહે છે.
૧૯. મોક્ષ અને મોક્ષમાર્ગ આશ્રય કરવા લાયક નથી, પર્યાય રહિત વસ્તુ આશ્રય કરવા લાયક છે. વસ્તુ ધ્રુવ છે કે જેમાં બંધ-મોક્ષની પર્યાય નથી તેને જિનવર પરમાર્થ આત્મા કહે છે. જ્ઞાનની પર્યાય અને શ્રદ્ધાની પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન અને દ્રવ્યની પ્રતીતિ આવે છે પણ દ્રવ્ય આવતું નથી.
૨૦. દ્રવ્યની સન્મુખ પર્યાય થાય ત્યારે દ્રવ્યનો આશ્રય પર્યાય લીધો તેમ કહેવાય.
તાત્પર્ય એ છે કે પર્યાય વિનાનો ભગવાન આત્મા તે ઉપાદેય છે. સિદ્ધ સમાન એટલે કે ત્રિકાળી શુદ્ધ એવો નિજ આત્મા ઉપાદેય છે ત્યારે તેને આત્મા ઉપાદેય થયો છે. શુદ્ધાત્માની સન્મુખની અનુભૂતિરૂપ પરિણમન થાય તેને આત્મા ઉપાદેય થયો છે.