SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ૨૨૫ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ક્રમ ૧. આત્મોન્તિનો ક્રમ : સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની બેંકતાને મોક્ષમાર્ગ કહ્યો છે. તો સૌથી પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કેમ થાય તેનો જ ઉપદેશ આપવામાં આવે છે. સમ્યગ્દર્શન થવા માટે કોઈ નિયત ક્રમ નથી. પરંતુ અભ્યાસની દૃષ્ટિથી ‘આત્મોન્તિનો ક્રમ’ આ પ્રમાણે છે. ૧. સત્સંગ : જ્યાં જ્ઞાની પુરુષો અને આત્માના કલ્યાણ અર્થે જિનવચનોનું પ્રવચન થતું હોય એવા સુપાત્ર જીવો સાથે સંગ કરવો. ૨. સ્વાધ્યાય ઃ પછી પોતે પોતાના આત્માના હિતાર્થે સ્વાધ્યાય કરવો. આગમનો અને સત્ શાસ્ત્રોનો અભ્યાસ કરવો. ૩. ગુણ જિજ્ઞાસા : આત્મા અનંત ગુણોનો પિંડ - ભંડાર છે એ ગુણો શક્તિરૂપે છે તે ગુણોનું પર્યાયમાં પ્રગટતા કેમ થાય તેની જિજ્ઞાસા થવી જોઈએ. ૪. પ્રભુ ભક્તિ : વ્યવહારથી પાંચ પરમેષ્ઠી જે પૂજ્ય છે તેના પ્રત્યે ભક્તિભાવ થવો જોઈએ. નિશ્ચયથી પોતાના આત્માની રુચિ થવી જોઈએ. ૫. આત્મવિચાર : આત્માનું જેવું સ્વરૂપ છે - જેવું સ્વરૂપ ભગવંતો અને જ્ઞાનીઓએ બતાવ્યું છે - તેનો વિચાર એટલે ચિંતન-મનન કરવું. ૬. આત્મસાક્ષાત્કાર : આત્માની સન્મુખ થઈ, એની પ્રતીતિ કરી, એનું લક્ષ કરી આત્માનો અનુભવ કરવો - પ્રત્યક્ષ આત્મા સાક્ષાત્કાર થાય એ જ ખરું કાર્ય છે. ૨. સમ્યગ્દર્શન માટે અભ્યાસનો ક્રમ : શાસ્ત્રોમાં આ પ્રમાણેનો ક્રમ અભ્યાસ માટે બતાવ્યો છે. ૧. પ્રથમ તો આજ્ઞાદિ વડે વા કોઈ પરીક્ષા વડે કુદેવાદિની માન્યતા છોડી અરહંત દેવાદિકનું શ્રદ્ધાન કરવું. તેમાં સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્ર બધું આવી જાય છે. એનું શ્રદ્ધાન થતાં ગૃહીત મિથ્યાત્વનો તો અભાવ થાય છે. કુદેવાદિકનું નિમિત્ત દૂર થાય છે અને અરિહંત દેવાદિકનું નિમિત્ત મળે છે. માટે પ્રથમ દેવાદિકનું યથાર્થ શ્રદ્ધાન કરવું. ૨. પછી જિનમતમાં કહેલાં જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો. તેના નામ - લક્ષણાદિ શીખવા કારણ કે એના અભ્યાસથી તત્ત્વ શ્રદ્ધાનની પ્રાપ્તિ થાય છે. જ્યાં તત્ત્વ શ્રદ્ધાન કહ્યું છે ત્યાં તો આ પ્રયોજન છે કે જો એ તત્ત્વોનો ઓળખે તો વસ્તુના યથાર્થ સ્વરૂપનું વા હિત-અહિતનું શ્રદ્ધાન કરી મોક્ષમાર્ગમાં પ્રવર્તે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy