SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ ૫. પરની અપેક્ષાએ પર્યાય વિનાનું દ્રવ્ય નથી, પરંતુ સ્વની અપેક્ષાએ પર્યાય વિનાનું દ્રવ્ય છે. પર્યાય અને દ્રવ્ય બે ભિન્ન સત્તા છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી, વ્યક્ત અને અવ્યક્તને સ્પર્શતું નથી. આવી ભગવાનને લક્ષમાં લેનારી પર્યાય પણ વસ્તુમાં આવતી નથી. ૬. જિનવરદેવ એને જીવ કહે છે કે જે ઉત્પાદ-વ્યયની દશામાં આવતો નથી, બંધ-મોક્ષમાં આવતો નથી, બંધ-મોક્ષને કરતો નથી. મોક્ષની પર્યાય જે વસ્તુમાં નથી એવી વસ્તુ દષ્ટિમાં લેવા છતાં દષ્ટિમાં વસ્તુ આવતી નથી. વસ્તુ જેવડી અને જેવી છે તેની શ્રદ્ધા પર્યાયમાં આવે છે પણ વસ્તુ પર્યાયમાં આવતી નથી. ૭. એવો જીવ - ત્રિકાળી ધ્રુવ તે સમ્યગ્દર્શનનો વિષય છે, પર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી. સમ્યગ્દર્શન પર્યાય છે પણ તેનો વિષય ધ્રુવ છે. સમગ્દર્શનની પર્યાયમાં ત્રિકાળી ધ્રુવની શ્રદ્ધા આવે પણ ત્રિકાળી ધ્રુવ ન આવે. પ્રતીતિમાં પૂર્ણાનંદના નાથની શ્રદ્ધા આવે પણ તે પર્યાયમાં પૂર્ણાનંદનો નાથ પોતે ન આવે. ૮. ધ્રુવ પોતાની પર્યાયમાં આવતું નથી અને પર્યાયને કરતું નથી. અજ્ઞાની પોતાના દ્રવ્યને ભૂલીને રાગને કરે છે પણ તે પરદ્રવ્યનો કર્તા નથી. નિર્મળ પર્યાય દ્વારા જેને આત્માનું ભાન થયું છે તે રાગનો પણ કર્તા નથી. શુદ્ધ નિશ્ચય નયથી ભગવાન આત્મા ઉત્પાદને કરતો નથી, વ્યયને કરતો નથી, બંધને કરતો નથી, મોક્ષને કરતો નથી. ૯. વાસ્તવિક તત્વની દૃષ્ટિથી વિચારવામાં આવે - જોવામાં આવે અર્થાત્ અનાદિ અનંત વસ્તુસ્વભાવથી પરિપૂર્ણ ત્રિકાળી ધ્રુવની દષ્ટિથી જોવામાં આવે તો પરિપૂર્ણ ધ્રુવ વસ્તુ પર્યાયને કરતી જ નથી. ૧૦. સમ્યગ્દષ્ટિ એમ જાણે છે કે દ્રવ્ય સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા નથી, સમ્યગ્દર્શનની પર્યાય રાગનો કર્તા નથી અને રાગ પરદ્રવ્યની પર્યાયનો કર્તા નથી. ૧૧. સમ્યગ્દર્શનની પર્યાયમાં આખું દ્રવ્ય આવતું નથી પણ આખા દ્રવ્યની પ્રતીતિ આવે છે. ભગવાન આત્મા પરદ્રવ્યનો તો કર્તા નથી, રાગનો કર્તા નથી, પણ નિર્મળ પરિણતિનો પણ કર્યા નથી. અકર્તા છે. શુદ્ધ નિશ્ચય નયથી ભગવાન આત્મા બંધ-મોક્ષથી રહિત છે. ૧૨. અનાદિથી ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ છે કે જે શુદ્ધ પર્યાયને પણ કરતો નથી. એવા શુદ્ધ આત્માની અનુભૂતિના અભાવથી - નિજ ચૈતન્ય પૂર્ણાનંદ સ્વરૂપની અનુભૂતિના અભાવથી જીવ પર્યાયમાં શુભ-અશુભ ઉપયોગે પરિણમીને ગતિઓમાં ઉપજે છે, નાશ પામે છે, કર્મબંધ કરે છે. ૧૩. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ છે, ત્રિકાળી જાણવા-દેખવાની શક્તિવાળો છે. એવા ભગવાન આત્માની સન્મુખતાના અભાવથી જીવ શુભાશુભ ભાવો કરીને, શુભાશુભ કર્મ બાંધીને પરિભ્રમણ કરે છે તેથી તે શુભોપયોગ મોક્ષનું કારણ કેમ હોઈ શકે ? ન જ હોઈ શકે. ૧૪. શુદ્ધાત્માની અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધોપયોગથી મોક્ષને કરે છે અને શુદ્ધાત્માની અનુભૂતિના
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy